સુરતમાં સરથાણા વિસ્તારમાંથી એક એવી ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક પિતા જ તેની બાળકી માટે કાળ બની ગયા હતા અને પિતાની નજર સામે તેની બે વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ થતાં આફતોનો આભ ફાટી નીકળ્યું હતું. સરથાણા જકાતનાકા પાસે નેચરપાર્કની ફરતે કમ્પાઉન્ડ હોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી..
આ કામગીરીમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના મેઘનગર તાલુકામાં આવેલા નવાપાડા ગામમાં રહેતું, સુરેશ નામનો યુવક તેના પરિવારજનો સાથે આવી પહોંચ્યો હતો. તેમના પરિવારમાં મુકેશ શિંગાડીયા તેની પત્ની રંગા શિંગાડીયા તેમજ તેનું ભત્રીજો સુરેશ શિંગાડીયા અને તેની પત્ની પૂજા તેમજ તેમના બંને નાના બાળકો પણ હાજર હતા..
સુરેશ ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતો હતો. એ વખતે તેણે તેની બે વર્ષની દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડીને ટ્રેક્ટર ચલાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ એ વખતે અચાનક જ તેની દીકરી ખોળામાંથી નીચે પડી જતા ટ્રેક્ટરના મોટા ટાયરની નીચે કચડાઈ ગઈ હતી અને તેના પિતાની નજર સામે જ તેની બે વર્ષની દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું..
પ્રિયંકાના માથા ઉપર ટ્રેક્ટર ચાલી જવાને કારણે તેનું માથું ફાટી ગયું અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાને લઈને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યાં અકસ્માતમાં મૃત્યુનો બનાવ દાખલ કર્યો હતો, આ મૃત બાળકીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે..
આ અંગે પોલીસ આગળની તપાસ પણ શરૂ કરી છે. જ્યારે આ ઘટના બની ત્યારે ચાર કરુણતાના દ્રશ્યો સર્જાયા હતા. પ્રિયંકાના પરિવારજનો તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નથી. તેના પિતાને પણ અત્યારે ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે. તેઓએ તેમની બે વર્ષની દીકરીને ખોળામાં બેસાડીને ટ્રેક્ટર ચલાવવાની આ મોટી ભૂલ કરી નાખી હતી..
અને દીકરી નીચે પડી જતાની સાથે જ તેના માથા પરથી ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા તેનું મૃત્યુ થયું છે. આ અગાઉ પણ અંદાજે છ મહિના પહેલા એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ટ્રેક્ટરનું ટાયર ફરી મળવાને કારણે મજૂરો પરિવારની એક લાડકી દીકરીનું મૃત્યુ થયું હતું અને હવે ફરી પાછી કંઈક એવી જ ઘટના સામે આવી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]