ચોર લૂંટારા ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. તેઓ દરરોજ કોઈક ને કોઈક ને પોતાનો નિશાનો બનાવી લે છે. પોલીસ પણ તેમને પકડવા માટે ખૂબ મહેનત કરી રહી છે. અંતે સુરતની ચોર-લૂંટારાઓની ગેંગને વરાછા પોલીસે પકડી પાડી છે.
આજે અમે વાત કરી રહ્યા છીએ એક ગરીબ દીકરી ના દાગીના ચોરનાર લૂંટારાઓની જેઓએ આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીના ચપ્પુની અણીએ ગણતરીની મિનિટોમાં જ લૂંટી લીધા હતા. સુરતના વરાછા વિસ્તારમાં હસમુખભાઈ કાનાણી પોતાના પરિવારજનોનું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
તેમની એક દીકરી સાસરે છે દીકરી ના પતિનું અવસાન થયું હતું. જેથી દીકરીએ પોતાની પાસે રહેલા દાગીના અને રોકડા એમ કુલ મળીને આશરે ત્રણેક લાખ રૂપિયા પોતાના પિતાને સાચવવા માટે આપ્યા હતા. આ સમય દરમિયાન ચાર દિવસ પહેલાં હસમુખભાઈ રિક્ષામાં બેસીને વડોદરા જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં પહેલાથી ચોર-લૂંટારા બેઠેલા હતા.
હસમુખભાઈ જેવા રીક્ષામાં બેઠા એટલે તેઓએ હસમુખભાઈ ની પાસે રહેલી બેગમાંથી દાગીના અને રોકડા ને લૂંટી લેવાનો ઇરાદો બનાવી લીધો હતો. હસમુખભાઈ ને રીક્ષામાં વચ્ચે બેસાડ્યા હતા તેમજ આજુબાજુ ચોર-લૂંટારા હતા. તેઓ હસમુખભાઇને ચપ્પુની અણી બતાવી હતી અને ધમકી આપી હતી કે તેમની પાસે રહેલો બધું જ મુદ્દામાલ પ્રેમથી આપી દે નહીં તો અહીં તેમને પતાવી દેવામાં આવશે.
હસમુખભાઈ પોતાનો જીવ બચાવવા માટે પોતાની દીકરીના આપેલા તમામ દાગીના અને પૈસા ચોર લુંટારૂઓ ને આપી દીધા હતા અને તેઓએ પોતાનો જીવ ને સુરક્ષિત કરી દીધો હતો. આ ઘટના બન્યા બાદ હસમુખભાઈ વરાછા પોલીસ મથકમાં આચાર લૂંટારૂઓની ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતા જ પોલીસે પોતાની કામગીરી પૂર ઝડપે ચાલુ કરી દીધી હતી. પોલીસને બાતમી મળી હતી કે આ લૂંટારાઓ ના નામ નુરા શેખ અને રાઝીક શેખ છે. આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી લૂંટ કરેલા તમામ મુદ્દામાલ પણ કબજે કરી લીધો હતો.
પોલીસની પુછપરછ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે આ લૂંટારાઓ અગાઉ સલાબતપુરા, લિંબાયત પોલીસ મથક અને રેલવે પોલીસના હાથમાં પણ ઝડપાઈ ગયેલા છે. ઉપરવાળાની દયા થી એ ગરીબ દીકરી ના તમામ દાગીના અને પૈસા જે તેની જીવનભરની મૂડી છે તેને પરત મળી ગયા હતા. એક વિધવા દીકરીના હારે ભગવાન હંમેશા રહે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]