ઘર ચલાવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેજીનો માહોલ હોય કે મંદીનો માહોલ હોય પરંતુ ઘર ચલાવવા માટે જેટલા રૂપિયાની જરૂર પડે તેના વગર કોઈપણ વ્યક્તિને ચાલતું નથી. દર મહિને ઘણા બધા રૂપિયાની કમાણી કરવી પડતી હોય છે, જે વ્યક્તિ મધ્યમ તેમજ સામાન્ય વર્ગમાં જીવન જીવી રહ્યા છે..
તેમના માટે તો નાની-નાની ચીજ વસ્તુઓની ગણતરી પણ ખૂબ જ વધારે કામ લાગતી હોય છે, અત્યારે એક મધ્યમ વર્ગીય વ્યક્તિએ તેની દીકરીના લગ્ન માટે દર મહિનાની બચત કરીને રૂપિયા ભેગા કર્યા હતા કે, તેની લાડકડી દીકરીના લગ્ન તે મોજ શોખથી કરી શકે દરેક મહેમાનોને જમાડી શકે તેમજ પોતાના ઘર આંગણે આવેલા પ્રસંગમાં કોઈ પણ કમી બાકી નહીં રહે..
એટલા માટે તેની દીકરીના લગ્નના 7 વર્ષ અગાઉથી જ આ મધ્યમ વર્ગીય યુવક પૈસા ભેગા કરવા લાગ્યો હતો, પરંતુ એક દિવસ તેની સાથે એવી ઘટના બની કે માત્ર એક રાતની અંદર જ તેને ભેગા કરેલા તમામ મૂડી ચોરી થઈ ગઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે ચારેકોર ચર્ચાનો વિષય બની ગયો હતો..
આ બનાવો અમરાવતી કોલોનીમાંથી સામે આવ્યો છે, સતીશ નામનો એક યુવક તેના પરિવાર સાથે અહીં વસવાટ કરે છે, પરિવારમાંથીની પત્ની નિકિતા તેની લાડકવાઈ દીકરી દિપીકા તેમજ તેનો નાનકડો દીકરો પ્રીતમનો સમાવેશ થતો હતો, સતીશ નામનો આ યુવકો 20,000 રૂપિયાના પગારમાં નોકરી કરતો હતો..
અને તેના પરિવારનું જીવન ચલાવતો હતો, તેની દીકરીની ઉંમર હવે ધીમે ધીમે લગ્ન લાયક થવા લાગી હતી, સતીશ પહેલેથી જ એક એક રૂપિયાની ગણતરી કરતો અને જે પણ રૂપિયાની બચત કરતો તેમાંથી આવનારું જીવન તેનું ખૂબ જ સારું જશે તેવી આશા રાખતો હતો તેણે તેની દીકરીના લગ્ન માટે અંદાજે ત્રણ લાખ રૂપિયા એકઠા કરી લીધા હતા..
20,000 રૂપિયાનો પગાર ધરાવનારો આ યુવક 3 લાખ રૂપિયાની બચત કરી લીધી હતી અને આ તમામ રૂપિયાની મૂડી તેણે પોતાના ઘરમાં મુકેલા લોખંડના કબાટ ની તિજોરીમાં મૂકી હતી, સાંજના સમયે પરિવાર ભોજન લઈને ઉપરના માળે સુઈ ગયો હતો. જ્યારે સવારે ઉઠ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમના ઘરના નીચેના માળે આવેલી રૂમની અંદર મુકેલા કબાટમાં ચોરી થઈ ચૂકી છે..
તેમના ઘરનું મેઈન તાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું અને કબાટને પણ તોડીને અંદરથી પૈસા તેમજ સોનાના ઘરેણા પણ ગાયબ હતા, સતિષભાઈની પત્ની નિકિતાબેનના ઘરેણાની પણ ચોરી થઈ ચૂકી હતી, આ સાથે સાથે તેઓએ તેમની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા ત્રણ લાખ રૂપિયાની પણ ચોરી થઈ જતા..
નિકિતાબેન તેમજ સતિષભાઈના તો ડોળા ફાટી ગયા તેઓએ આ વાતની જાણકારી સૌપ્રથમ તેમના પડોશના રહેતા આનંદભાઈ ને આપી હતી અને ત્યારબાદ તેઓ આનંદ ભાઈને સાથે લઈને પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા માટે પણ પહોંચી ગયા હતા. આ બંને વ્યક્તિના જીવતો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા કારણ કે, તેઓએ દિવસ રાત દિવસ મહેનતનો પરસેવો પાડીને જે રૂપિયાની બચત કરી હતી..
તેજ રૂપિયા એક જ રાતની અંદર ચોરી થઈ ગયા હતા, પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિનું મહેનતનું ધન કમાયેલું હોય એ વ્યક્તિનું ધન ક્યારેય પણ એણે જતું નથી. અને બીજા જ દિવસે ભગવાને એવો ચમત્કાર કરી નાખ્યો હતો કે, બિચારો પરિવાર ખુશ ખુશાલ થઈ જવા પામ્યો હતો આ ઘટનાને જાણ્યા બાદ દરેક લોકો કહેવા લાગ્યા છે કે, સતિષભાઈએ પોતાના મનની અંદર હંમેશા સાફ નિયત રાખી છે..
તેમજ ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ખોટું કર્યું નથી, એટલા માટે ખુદ ભગવાન તેની મદદ માટે આવી પહોંચ્યા છે. હકીકતમાં બીજા દિવસે તેઓ જ્યારે તેમના ઘરના પાછળના ભાગે સાફ-સફાઈ કરતા હતા. એ વખતે તેઓએ ત્યાં પોતાના ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ તેમની પત્નીના સોનાના ઘરેણા પણ જોયા હતા..
આ ઘરેણાને ત્યાં છૂટક રીતે મૂકી દેવામાં આવ્યા હતા અને ત્યાં એક ચિઠ્ઠી પણ મૂકવામાં આવી હતી કે, આ રૂપિયાની ચોરી કરીને તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ચૂકી છે. તેઓને આ બાબતનો બિલકુલ ખ્યાલ ન હતો કે, આ રૂપિયા ખૂબ જ વધારે મહેનતના છે. તેમજ આ રૂપિયાથી તમારા ઘરે જે લગ્ન પ્રસંગની ખુશી આવવાની હતી..
એ તમામ ખુશી તમારા ચહેરા ઉપરથી જતી રહી હતી, એટલા માટે ચોર લુંટારાએ બીજા દિવસે સવારના સમયે ચોરી કરેલો તમામ સામાન સતિષભાઈના ઘરના પાછળના ભાગે ચિઠ્ઠી સાથે મૂકીને જતો રહ્યો હતો, આ ઘટના બની ત્યારે સતિષભાઈ ની આંખોમાંથી તો આંસુ નીકળવા લાગ્યા હતા..
તેમજ સતિષભાઈની પત્ની નિકિતાબેન પણ કહેવા લાગી કે, નક્કી આ ચમત્કાર ખુદ ભગવાને જ કર્યો છે. કારણ કે આપણે કોઈ પણ વ્યક્તિનું ક્યારેય પણ ખોટું ઈચ્છું નથી, અને ખોટું કરવાની કોશિશ પણ કરી નથી. એટલા માટે ભગવાને આપણી પણ મદદ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]