રોજબરોજની જિંદગીની અંદર ઘણી બધી વાર અમુક બનાવોને આપણે સહન કરી શકતા નથી, એવી જ રીતે અત્યારે એક દીકરીના પિતાથી દુઃખની ઘડી સહન થઈ શકે નહીં અને તેને અપમાન સહન કરવાના ડરને લઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારીને હતી..
આ ઘટના સોમાસર ગામની છે, આ ગામડાની અંદર રમેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની દીકરી મમતાનો પણ સમાવેશ થતો હતો, રમેશભાઈ ખેતરનું કામકાજ કરીને જીવન વિતાવતા હતા, જ્યારે તેમની દીકરીએ થોડા સમય પહેલા પરિવારજનોની સામે એવડો મોટો ખુલાસો કરી નાખ્યો કે, પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો..
મમતાનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ રમેશભાઈ તેમની દીકરી માટે વેવીશાળ જોવાનું પણ શરૂ કરી દીધો હતો, એમાં સમયે મમતા એ તેના માતા-પિતાને જણાવ્યું કે, તે તેનાજ ગામમાં રહેતા પ્રદીપ નામના યુવકને પ્રેમ કરે છે, અને તેની સાથે લગ્નજીવન વિતાવવા માંગે છે. બસ આ શબ્દો સાંભળતા જ રમેશભાઈએ પીતો ગુમાવી દીધો હતો..
અને તેઓ તેમની દીકરીને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું કે, તેણે તેમની દીકરીને નાનપણથી જ ખૂબ જ સારા સંસ્કાર આપ્યા હતા. અને ખૂબ જ સારી રીતે સાચવણી પણ કરી છે, છતાં પણ તે પ્રેમ સંબંધની અંદર જોડાયેલી હતી. આ બાબત તેઓ બિલકુલ સહન કરી શક્યા નહીં, કારણ કે તેઓનું વિચારવું હતું કે પ્રેમ સંબંધ કરીને લગ્ન કરવા તેની રીતીરીવાજોથી તદ્દન જુદું છે..
એટલા માટે તેઓ આ બાબતનો સખત વિરોધ ધરાવતા હતા અને તેઓએ તેમની દીકરીને પણ જણાવી દીધું કે, જો આજ પછી તે ક્યારેય પણ પ્રેમ લગ્ન કરવાની જીદ પકડી છે. તો તને મોતને ઘાટ પણ ઉતારી નાખશે, આ શબ્દ સાંભળીને મમતા પણ ખૂબ જ ડરી ગઈ હતી. છતાં પણ તેને તેના પ્રેમી નો સાથ આપવાનું નક્કી કર્યું અને એક દિવસ તે પોતાનું ઘર મૂકીને ભાગવાની તૈયારી કરતી હતી..
એવામાં રમેશભાઈને ખબર પડી જતા તેણે તેમની દીકરીને અટકાવી દીધી અને ત્યારબાદ એવી ઘટના ઘટી ગઈ કે, સમગ્ર ગામ જોતું ને જોતું જ રહી ગયું છે, રમેશભાઈને અપમાન સહન ન થવાના ડર લાગતો હતો કે કદાચ તેમની કરીએ તેના પર સાથે ભાગીને લગ્ન કરી લેશે તો તેની ઈજ્જત આબરૂ જાતા ચાલ્યા જશે..
એટલા માટે તેણે તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના રાત્રિના સમયે બની હતી, ત્યારબાદ તે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારીને સુઈ ગયો હતો, સવારમાં ઉઠ્યા ત્યારે પરિવારમાં રોકકળનો માહોલ સર્જાઈ ગયો, જ્યારે ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડવામાં આવી અને પોલીસે પૂછપરછ શરૂ કરી ત્યારે રમેશે જણાવી દીધું કે, તેની દીકરી તેને પ્રેમી સાથે લગ્ન કરવાની હતી..
અને તેની કોઈ પણ વાતને માનવા માટે તૈયાર હતી નહીં, એટલા માટે તેને મોતને ઘાટ ઉતારી દીધી છે, જ્યારે પોલીસે રમેશના મોઢે ત્યાં શબ્દો સાંભળ્યા ત્યારે તેમના પણ કાળજા ધ્રુજી ગયા હતા, આ ઉપરાંત ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે, કેટલાક લોકોનું કહેવું છે કે પોતાના દીકરા કે દીકરીને મોતને ઘાટ ઉતારતા બાપનો જીવ કેવી રીતે ચાલ્યો હશે..
તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, રીતીરીવાજો એટલા બધા કડક હોય છે કે તેમના માટે પોતાના દીકરાને પણ તરછોડવા પડે તો વ્યક્તિ તૈયાર થઈ જતો હોય છે, આ ઘટનાએ ગામના દરેક લોકોના કાળજા ધમધ્માવી દીધા હતા. આ બનાવને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]