પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા એવા મોડ ઉપર આવીને ઊભા રહી જતા હોય છે કે, અંતે પસ્તાવા સિવાય કોઇ પણ વિકલ્પ બાકી રહેતો નથી. એમાં પણ હાલ ઘરેલું બાબતોમાં એક બીજાને ત્રાસ આપવાની કામગીરી કોઈપણ માણસને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખે છે. અને અંતે તે જીવન ટૂંકાવવા જેવી બાબતો સુધી પહોંચી જતા હોય છે.
જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં ગોસ્વામી પરિવારની દીકરી અંકિતાના લગ્ન તાલાલામાં રહેતા પરસોત્તમગીરી અપારનાથી નામના વ્યક્તિના દિકરા ચિરાગગીરી સાથે કરાવ્યા હતા. અંકિતાની ઉંમર ૨૬ વર્ષની હતી. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા..
લગ્નજીવન દરમિયાન તેને એક અઢી વર્ષની દીકરી છે. અંકિતાનો પતિ ચિરાગગીરી વડોદરા જિલ્લામાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અંકિતા જ્યારે પણ સાસરીયાથી પિયર મળવા આવતી હતી એ સમય દરમ્યાન તેની માતાને જણાવતી હતી કે સાસરીયા વાળા લોકો તેને ખૂબ જ ત્રાસ પહોંચાડે છે…
તેમજ તેનો પતિ ચિરાગ અવારનવાર દારૂ પીને ઘરે આવે છે. અને તેને મન ફાવે તેમ મારપીટ કરે છે અને કહે છે કે તને બરાબર મારી સાથે રહેતા નથી આવડતું અને તેને જમવાનું બનાવવાનું પણ નથી આવડતું. એટલા માટે તું મારી સાથે નહીં સેટ થઈ શકે. આ ઉપરાંત અંકિતા નો દેર પણ અવારનવાર દારૂ પીઈને અંકિતાને માનસિક ત્રાસ પહોંચાડતો હતો..
આ ઉપરાંત પતિ અને દિયર બંને અંકિતાને ઘર મૂકીને ભાગી જવા માટે દબાણ આપતા હતા અને આ વાતમાં તેની નણંદ પણ સુર પુરતી હતી. આ સમગ્ર બાબતોને લઇને અંકિતાએ સાસરિયામાં પરત ન જવા માટે માતાને જણાવ્યું હતું, પરંતુ માતાએ તેને લાડ પ્રેમથી સમજાવીને પરત મોકલી હતી. સાસુ-સસરાએ અંકિતાને જ્યારે છોકરી નો જન્મ થયો..
એ સમય દરમિયાન તેને ઘરમાંથી કાઢી મૂકવાની પણ વાત કરી હતી. રોજના ત્રાસથી કંટાળીને અંકિતા એવું પગલું ભરી બેઠી છે કે જેના કારણે સાસરીવાળા સૌ કોઈ રોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તો બીજી બાજુ અંકિતાએ માતા-પિતા આઘાતના માહોલમાં ચાલ્યા ગયા છે. અંકિતાએ પાદરા તાલુકાના મોભા રોડ પર આવેલા પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે..
તેણે આપઘાત કરતા પહેલાં રડતા રડતા તેની માતાને કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે એમ મને મારા પતિએ કહ્યું છે કે તો આજ પછી મને બોલાવતી નહિ અને હું પણ તારી સાથે કોઈ દિવસ વાત નહીં કરું.. જો મારા પતિ જ મારી સાથે વાત ન કરે તો હું જીવન જીવીને શું કરીશ..
એમ કહીને તેણે આપઘાત કરવાની વાત કરી હતી. આ શબ્દ સાંભળતાની સાથે જ માતા તેને સમજાવે એ પહેલા અંકિતભાઈ ફોન કાપી નાખ્યો હતો. એટલા માટે માતાએ અંકિતાના ભાઈ રવિને બેન પાસે જવા કહ્યું હતું અને તેને તેડી લાવવા માટે જણાવ્યું હતું. ભાઈ પોતાની બહેનને અંકિતાને ફોન અને મેસેજ કરતો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો..
એટલા માટે તેને ચિંતા વધવા લાગી હતી એક દિવસ સાંજે ના સમયે તેમના જમણી ચિરાગગીરીનો ફોન આવ્યો હતો કે અંકિતાએ ગળાફાંસો ખાઇ લીધો છે. આ સમાચાર સાંભળતા ની સાથે જ અંકિતાના માતા ઢળી પડ્યા હતા. હાલ અંકિતાના માતાએ અંકિતાના પતિ ચિરાગગીરી, તેનો દેર નિર્ભયગીરી, તેના પિતા પુરષોત્તમગીરી, તેની માતા હંસાગીરી અને તેની નણંદ જલ્પા સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]