Breaking News

માં-બાપને શિખામણ દેતી મીઠુડી દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપે ફોન કરીને કીધું એવું કે. પ્રેમી પંખીડા પોલીસ સ્ટેશન દોડતા થયા…!

જ્યારે પણ માતા પિતાને તેમના સંતાનો તરફથી નિરાશા મળે છે, ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઇ જતા હોઈ છે. કારણ કે તેઓએ જેમને મોટા કરીને પાલનપોષણ કરી સારા સંસ્કાર આપ્યા હોય તે જ દીકરા કે દીકરી માતા પિતાની ઈજ્જત અને માન સન્માનને ઠેસ પહોંચાડે તો આ દુઃખને તેઓ સહન કરી શકતા નથી..

અત્યારે રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સુજાનગઢ વિસ્તાર પાસે કંઈક આવો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહે છે. પરિવારમાં બાવીસ વર્ષની જુવાન દીકરી મનીષા તેના મા-બાપને હંમેશા સારી શિખામણ આપતી અને મીઠુંડી ભાષામાં સૌ કોઈ લોકો સાથે ખૂબ જ લાડ પ્રેમથી રહેતી હતી..

મનીષા એ બી.એસ.સીનો અભ્યાસ કર્યો હતો. એક દિવસ અચાનક જ મનીષા ઘરેથી ગાયબ થઈ ગઈ હતી, તેની શોધખોળ શરૂ કરવામાં આવી તેમજ તેના મિત્રોને સ્નેહીજનોને પણ જાણ કરી દેવામાં આવી પરંતુ કોઈ પણ વ્યક્તિએ મનીષાને જોઈ નથી તેવું જણાવી દેતા પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા કે, આખરે આ જુવાન દીકરી ક્યાં ગઈ હશે..?

અને તે કઈ હાલતમાં હશે, તેઓએ તાત્કાલિક પોલીસની મદદ લીધી હતી. પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં તેઓને જાણ થઈ કે તેમની લાડકવાયી દીકરી મનીષા બગસરા ગામના રહેવાસી 24 વર્ષના લાલચંદ સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા છે. એવા ચોંકાવનારા ખુલાસો પણ થયા હતા કે, મનીષા અને લાલચંદ બંને છેલ્લા છ થી સાત વર્ષથી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા..

જ્યારે મનીષાના માતા પિતા મનીષા માટે સારો મુરતિયો શોધવા લાગ્યા હતા, ત્યારે મનીષાએ વિચાર્યું કે, તેના માતા-પિતા તેના પ્રેમ લગ્નને ક્યારેય પણ માન્યતા આપશે નહીં. એટલા માટે તે પોતાના પ્રેમી લાલચંદ સાથે ભાગીને કોર્ટ લગ્ન કરી લીધા હતા. જ્યારે મનીષા ઘરેથી ગુમ થઈ ત્યારે બીજા દિવસે તેને પોતાના માતા પિતાને પોતે ભાગીને લગ્ન કરી લીધા છે. તેવી જાણકારી આપી દીધી હતી.

અને સામે વળતા જવાબમાં મનીષાના માતા પિતાએ તેને એવું કહી નાખ્યું હતું કે, તેના કારણે મનીષા અને તેના પતિ લાલચંદ બંને પોલીસ સ્ટેશન દોડતા થયા હતા, મનીષાના માતા પિતાએ મનીષાને કહ્યું કે, તે પ્રેમ લગ્ન તો કરી લીધા છે. પરંતુ તમે હવે અમારી સામે આવશો એટલે તમને અમે જાનથી મારી નાખીશું..

ધ્યાનથી મારી નાખવાની આ ધમકી સાંભળીને આ પ્રેમી પંખીડા ખુબ જ ભયભીત થઈ ગયા હતા અને તેઓ પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરવા માટે પહોંચી ગયા હતા. આ માતા પિતા પોતાની દીકરીને ભાગી જવાને કારણે સમાજમાં ખૂબ જ નીચું જોવાનો વારો આવ્યો છે..

તેઓએ જણાવ્યું કે, તેમની દીકરીના આ કામને કારણે તેમની ઈજ્જત ઉતરી ગઈ છે. અને હવે તેઓ તેમની દીકરીનું મોઢું જોવા પણ માંગતા નથી. જો તેઓ તેમની સામે આવશે તો તેમને જાનથી મારી પણ નાખશે, તેવું જણાવ્યું હતું. આ મામલે હાલ ખૂબ જ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *