કેટલીક પરણીતાઓ પોતાના પતિ તેમજ સાસુ-સસરાના દબાણ વશ થઈને ખૂબ જ સહન કરતી હોય છે. તો કેટલાક સાસરિયાવાળા લોકો પણ તેમની પુત્રવધુનો ત્રાસ સહન કરી રહ્યા હોય છે. જો બંને વચ્ચે સારી સમજણ હોય તો ક્યારે અણબનાવો બનતા નથી પરંતુ અત્યારે મોહિની નામની એક મહિલાને ખૂબ જ માઠું સહન કરવાનો વારો આવ્યો છે..
થોડા દિવસ પહેલા મોહિની અને તેનો પતિ સચિન બંને તેમના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે તેની દીકરી ખૂબ જ રડતી હતી. તેઓ ઇન્દોરમાં રહે છે. ત્યારે આ કેસ સામે આવ્યો ત્યારે મોહિનીના પિતાએ તેમની દીકરીના સાસરિયાંઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, મારી દીકરી મોહિની તેના પતિથી ખૂબ જ કંટાળી ગઈ હતી..
કારણ કે તેનો પતી સચિન કોઈ પણ કામ ધંધો કરતો હતો નહીં, મોહિની નોકરી કરીને જે પૈસા લાવતી હતી એ પૈસાથી તે ઐયાશી કરતો હતો. આ ઉપરાંત તે તેમની દીકરીને માર મારવાનો પણ શરૂ કરતો હતો. મોહિનીના પિતા શંકરલાલે જણાવ્યું કે, તેમનો જમાઈ સચિન અને તેમની દીકરી મોહિનીના પ્રેમ લગ્ન થયા હતા..
શરૂઆતમાં બધું સારું ચાલતું હતું પરંતુ દિન પ્રતિ દિન સચિનની કાળી કરતુતો સામે આવવા લાગી હતી. તે વારંવાર મારી દીકરીને કહેતો કે તું કમાણી કરે છે, તો મારે શું કમાવાની જરૂર છે.? તે વારંવાર ઘર મૂકીને ભાગી જતો, શંકરલાલે તેમના જમાઈ અને તેમની દીકરીને રહેવા માટે ભાડાનું મકાન પણ અપાવ્યું હતું..
જ્યારે મોહિની તેના પતિથી કંટાળી ગઈ અને છુટાછેડા ની વાત કહી ત્યારે સચિનો મોહિનીને ધમકી આપી હતી અને તેમનો દીકરો નતીનને મારી નાખવાની ધમકી આપતો હતો, કે જો તું મને છૂટાછેડા આપીશ તો હું નતીનને પતાવી દઈશ. મોહિનીના પિતાનું કેવું છે કે તેમની દીકરી મોહિનીની હ.ત્યા કરવામાં આવી છે,
બોથડ પદાર્થો વડે તેને માર મારીને પતાવી દેવામાં આવી ત્યારબાદ સચિન પંખે લટકીને આપઘાત કરી લીધો છે. પોલીસે આ દિશામાં તપાસ ચલાવી છે. જેમાં તેમના ઘરમાં રસોડાના દિવાલ પરથી અંતિમ શબ્દો લખેલા મળી આવ્યા છે. મોહિનીના પિતાનું કેવું છે કે, આ અક્ષર તેમની દીકરીના નથી..
આ તમામ કરતુતો સાસરીયાઓ તરફથી કરવામાં આવી છે. જેમાં દિવાલ ઉપર લખવામાં આવ્યું છે કે, હું મોહિની.. હું મારા માતા પિતાથી કંટાળી જઈને આ પગલું કરું છું. હકીકતમાં મોહિની તેના માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. અને તે તેના માતા પિતાથી ખુશ હતી પરંતુ સાસરીયા વાળાએ આ હરકત કરી છે અને અમને ફસાવા માટે જાળ બીછાવી છે..
પરંતુ આ મામલે પોલીસ તપાસ કરવામાં આવશે જ્યારે પોલીસે દિવાલ ઉપર આ શબ્દો લખેલા જોયા ત્યારે પોલીસ પણ માથું પકડી ગઈ અને વિચારવા પર મજબૂર બની હતી કે, આખરે લોકો પોતાની છુપાવવા માટે કેટલી હદે આગળ વધી ગયા છે. આ ઉપરાંત શંકરલાલ ને જણાવ્યું હતું કે, જ્યારે સચિનનો ત્રાસ દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યો. ત્યારે તેઓ તેમના ભાણીયા અને ભાણકીને પોતાના ઘરે રહેવા માટે લઈ આવ્યા હતા સચિનના કારણે જાજે તેમની દીકરીનો જીવ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]