આજના સમયમાં લોકો પોતાના ઈમાનદારીથી પૈસા કમાવાનું ભૂલી ગયા છે. દિવસેને દિવસે બનતા ચોંકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલમાં એક એવો ગંભીર કિસ્સો સામે આવ્યો છે કે, જે જોઈને દરેક લોકો પોતાના ઘરને રેઢું મુકતા સાવધાન થઇ જશે. આ ઘટના જોધપુર જિલ્લામાં આવેલા સરસ્વતીનગરમાં રહેતા પરિવાર સાથે બની છે.
પરિવારના લોકો સરસ્વતી નગરમાં A-455 નંબરના મકાનમાં રહે છે. જેમાં પરિવારના યુવક રોહિતભાઈની લગ્ન કરવાની ઉંમર હોવાને કારણે પરિવારના લોકો રોહિતભાઈ માટે છોકરી જોઈ રહ્યા હતા. પાડોશીના લોકો સાથે રોહિતભાઈના પરિવારના લોકો ખૂબ જ હળી મળીને રહેતા હતા. દરેક લોકોને ઘર જેવો સંબંધ હતો.
જેના કારણે રોહિતભાઈના પરિવારના લોકો દરેક પાડોશીઓ પર વિશ્વાસ કરતા હતા. રોહિતભાઈના પરિવારમાં રહેતા તેમના માતા-પિતા તેમની બહેન અને ભાઈ બધા હળીમળીને રહેતા હતા. એક દિવસ તેઓને રોહિતભાઈ માટે બીજા ગામ યુવતી જોવા માટે જવાનું હતું. જેના કારણે પરિવારના લોકો એક દિવસ સાંજના સમયે યુવતી જોવા માટે પોતાના ઘરની બંધ કરીને નીકળ્યા હતા.
અને પાડોશીના લોકોને ઘરની સારસંભાળ રાખવાની ભલામણ કરી હતી. પાડોશીના વિશ્વાસ પર તેઓ પોતાના ઘરને રેઢું મૂકીને વેવિશાળ જોવા માટે બીજા ગામ ગયા હતા. ચાર દિવસ પહેલા તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ એક દિવસ અચાનક સવારના સમયે રોહિતભાઈ પર તેમના પાડોશીઓનો ફોન આવ્યો હતો.
પાડોશીએ ફોનમાં એવું જણાવ્યું હતું કે, ત્યાંને ત્યાં રોહિતભાઈ ભાગવા લાગ્યા હતા. રવિવારના લોકોને પોતાના ઘરે ખૂબ જ ગંભીર ઘટના બની હોવાનું જણાવ્યું હતું. જેના કારણે પરિવારના લોકો તરત જ પોતાના ઘરે આવવા માટે નીકળી ગયા હતા અને તેઓ તરત જ પોતાના ઘરે પહોંચી ગયા તે સમયે પાડોશીના લોકોએ જણાવ્યું એવું હતું કે,..
સાંભળીને પરિવારના લોકો હોંશ ભૂલી ગયા, સવારે તેઓ જયારે ઉઠ્યા ત્યારે રોહિતભાઈના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરના દરવાજાનું તાળું પણ તૂટેલું હતું. જેના કારણે પરિવારના લોકો તરત જ ઘરે મુખ્ય દરવાજે પહોંચ્યા હતા અને તેમણે જોયું તો તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરનો સામાન વેરવિખેર હતો.
સાથે જ રૂમમાં મૂકવામાં આવેલા કબાટના દરવાજા પણ ખુલ્લા હતા. જેના કારણે પરિવારના લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયો હતો અને તેઓ માથે હાથ મૂકીને બેસી ગયા હતા. રોહિતભાઈની માતા ચિંતામાં ઢળી પડી હતી. તેમના ઘરમાં કબાટમાં તિજોરીમાં તેઓએ પોતાના ઘરેણા મૂક્યા હતા અને સાથે રોકડ પૈસા મૂક્યા હતા.
જે ગાયબ થયા હતા. તરત જ રોહિતભાઈએ ભગત કોઠી પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ પોલીસે ઘરની તપાસ કરી હતી. તે સમયે પોલીસને ઘરના કબાટ તેમજ રૂમના તમામ તાળા તૂટેલા જોવા મળ્યા હતા. સાથે સોના-ચાંદીના દાગીના અને રોકડ પૈસા ગાયબ થયા હોવાનું જણાવ્યું હતું.
જેમાં 2 અને 3 તોલાના મંગળસૂત્ર, 8 તોલા વજનની 2 સાંકળો, 4 તોલા વજનની 3 કાનની બુટ્ટીની જોડી સાથે જ 2 તોલા વજનની સોનાની ચેન, 9 તોલાની બંગડીઓ 6 તોલાની વીંટી અને સાથે જ 2 તોલા વજનનું સોનાનું બિસ્કીટ પાટલા 5 તોલાના અને 3 તોલાનું બ્રેસલેટ સાથે 4 તોલાની સોનાની ચેન અને કીમતી ઘડિયાળો તેમજ…
સોનાનો હાર, ચાંદીના જુના સિક્કા અને 7 લાખ રૂપિયા રોકડ લઈને લુંટેરાઓ ભાગી ગયા હતા. રોહિતભાઈ ના ઘરમાંથી એકલા 25000 રૂપિયાની ઘડિયાળની ચોરી થઈ હતી અને સાથે જ ચોરોએ રોહિતભાઈ ના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ સાથે લઈ ગયા હતા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી લીધો હતો.
સીસીટીવી કેમેરામાં જોતા બે ચોર ઘરની અંદર જતા દેખાય છે, જેના કારણે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી. રોહિતભાઈ અને તેમના પરિવારના લોકો આઘાતમાં રડવા લાગ્યા હતા. તેમની આખી જિંદગીની કમાણી એક રાતમાં ચોર લુંટી ગયા હતા. પોલીસ ચોરની તપાસ કરી રહી હતી. આજકાલ આવા કિસ્સા ખુબ બની રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]