દરેક પરિવારની સ્થિતિ જુદી-જુદી હોય છે. અમુક પરિવારજનો હળી મળીને રાજી ખુશીથી જીવન જીવે છે. તો અમુક પરિવારજનો ડગલેને પગલે લડાઈ ઝઘડો કરી બેસે છે, જે પરિવાર હળી મળીને રહે છે, તેવો જ આગળ જતા ખૂબ જ સારી પ્રગતિ કરે છે. પરંતુ અત્યારે એક માથાભારે વહુને કારણે તેના સાસુ સસરા અને કંટાળીને વતનને ભાગી જવું પડ્યું હતું..
તો બિચારો પતિ વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. આ ઘટના આટલી બધી સાબિત થઈ છે કે, તેને જાણ્યા બાદ દરેક લોકોએ તેમાંથી સારી સલાહ અને શિખામણો પોતાના જીવનની અંદર ઉતારી લેવી જોઈએ અને આવી ઘટના બીજી વખત ક્યારેય ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ..
આ બનાવ હરિપ્રસાદ ભાઈના પરિવારનો છે. હરિપ્રસાદ ભાઈ અને તેમની પત્ની કાંતાબેન બંને વતનેથી શહેરમાં તેમના દીકરાને ઘરે રહેવા માટે આવી ગયા હતા. તેમનો દીકરો શહેરમાં રહીને કલર પ્રિન્ટિંગની એક કંપનીની અંદર મેનેજરનું કામકાજ કરે છે. તેમનો દીકરો અનુજના લગ્ન આજથી ચાર વર્ષ પહેલાં અમીધારા નગરની નીતા નામની યુવતી સાથે થયા હતા..
આ બંને પતિ પત્ની રાજી ખુશીથી જીવન જીવતા હતા, પરંતુ જ્યારે વતનથી હરિપ્રસાદ ભાઈ અને કાંતાબેન અહીં આવી પહોંચ્યા ત્યારે નીતાને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. તે હંમેશા તેના પતિને કહેતી કે તેને તેના સાસુ સસરાને સાચવવા ગમતા નથી. પરંતુ જે જણાવ્યું કે તને મારા માતા-પિતાને સાચવવા ગમે કે ન ગમે પરંતુ તારે સાચવવા પડશે એ સત્ય હકીકત છે..
તારે તારા સગા માતા-પિતા છે, તેમ સમજીને જ તારા સાસુ અને સસરાને સાચવવા જોઈએ એના બદલે તું તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છું, જે ખૂબ જ ખોટી બાબત છે. ઘણી બધી સમજાવી છતાં પણ અનુજની પત્ની નેતા કોઈ કાળે સમજવા માટે તૈયાર હતી નહીં. તે રોજબરોજ તેના સાસુ સસરાને હેરાનગતિ પહોંચાડવા લાગી હતી..
તેને ખૂબ જ કડવા વેણ વચન પણ કહેતી હતી. તો બીજી બાજુ હરિપ્રસાદ ભાઈને કાંતાબેન વિચારતા હતા કે, જો તેઓ તેમના દીકરાને આ ઘટનાની આપવીતી તેમના દીકરાને કહેશે તો તેમનો દીકરો નીતાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મુકશે અને ઘર તૂટી પડશે. એટલા માટે તેઓએ ક્યારે તેમના દીકરાને આ બધી જણાવી નહીં..
પરંતુ જ્યારે હેરાનગતિ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગઈ ત્યારે કંટાળીને સાસુ-સસરા તેના દીકરાનું ઘર મૂકીને પાછા વતને ભાગી ગયા હતા અને ત્યાં રાજી ખુશીથી તેઓ સુખ શાંતિની જિંદગી જીવવા લાગ્યા હતા. આ ઘટનામાં એક બાજુ માતા-પિતા હતા, તો એક બાજુ પત્ની હતી. અને આ બંને લોકોની વચ્ચે અનુજ સુડી વચ્ચે સુપારી બની ગયો હતો..
પારિવારિક લડાઈ ઝઘડાને સુઈ જવા માટે અનુજ ઘણી બધી મહેનત કરી પરંતુ એક પણ મહેનત તેની સફળ થઈ નહીં અને આ લડાઈ ઝઘડાને અંતે બંને પતિ પત્નીના છૂટાછેડા પણ થઈ ગયા હતા. સમાજમાંથી રોજબરોજ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. જે મારા સમયમાં ખૂબ જ મોટા અને પડકારજનક પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યા છે..
આવી ઘટનાઓને અટકાવવા માટે દરેક પરિવારીઓની સારી સમજણ શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. તો જ આ પ્રકારના બનાવો બનવાનું ઓછું થઈ જશે. આવી ઘટનાઓ જોયા બાદ પરિવારજનોએ એકતાનો ઉત્તમ દાખલો બેસારવો જોઈએ અને ક્યારેય પણ લડાઈ ઝઘડામાં ધ્યાન દેવું જોઈએ નહી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]