જુદા-જુદા સમાજમાંથી રોજબરોજ એવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે, જેને જાણ્યા ઘણા બધા લોકોની અક્કલ કામ કરતી બંધ થઈ જતી હોય છે કે, જો માણસ આટલી બધી બુદ્ધિ કોઈ સારા કામની અંદર લગાવે તો તે બે પાંચ પૈસા વધારે કમાઈ શકે છે, પરંતુ અવળા રવાડે આવું ભેજું દોડાવવાથી ક્યારેય પણ કોઈ વ્યક્તિ સફળ થતો નથી..
અત્યારે એક મહિલાએ પોતાના ઘરની અંદર જ એવડું મોટું કાવતરું રચી નાખ્યું હતું કે, પરિવારના સૌ સભ્યો માટે ખૂબ જ મોટી અફરાતફરી ઊભી થઈ ગઈ હતી, આ બનાવ ઓમકાર કોલોનીનો છે, આ કોલોનીમાં મૂળજી પ્રસાદ ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનો દીકરો ગૌરાંગ, ગૌરાંગની પત્ની કરિશ્મા અને ગૌરાંગનો નાનકડો દીકરો પ્રિયાંશનો સમાવેશ થાય છે..
મુળજી પ્રસાદભાઈ નિવૃત્ત જીવન ગુજારે છે, જ્યારે તેનો દીકરો એક ખાનગી કંપનીમાં ખૂબ જ મોટા પદ ઉપર નોકરી કરે છે અને ખૂબ જ સારા પૈસા કમાય છે. આખો દિવસ દરમિયાન ઘરે રહેતા મૂળજી પ્રસાદ ભાઈને તેમના દીકરાની વહુ ઉપર શંકા કરી હતી કારણ કે તેમના દીકરાની વહુ કરિશ્મા અડધી અડધી કલાકે ઘરની અંદરની રૂમમાં મુકેલા કબાટ પાસે સુગંધિત સ્પ્રે છાંટવા માટે જતી હતી..
શરૂઆતમાં તો મૂળજી પ્રસાદ ભાઈએ આ તમામ દ્રશ્ય જોઈને ઘટના વિશે વધુ જાણકારી મેળવવાનું ટાળ્યું હતું, પરંતુ જ્યારે તેમના દીકરાની વહુ દર અડધી કલાકે આ કબાટ પાસે જતી અને કરતી હતી. આ જોઈને તેને શંકા ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે, એવું તો શું થયું હશે કે આ કબાટ પાસે તેમના દીકરાની વહુ સ્પ્રે છાંટવા લાગી છે..
તેમના દીકરાની વહુનો આ દ્રશ્ય જોઈને મુળજી પ્રસાદ ભાઈને ખૂબ જ અજુગતું લાગ્યું હતું, તેણે તેના દીકરાની વહુને પૂછ્યું કે, તું શા માટે અડધી કલાકે કબાટ પાસે જઈને આ સુગંધિત સ્પ્રેનો છટકાવ કરે છે. ત્યારે કરિશ્માએ આ વાતનો જવાબ આપવાનું ટાળ્યું હતું, મુલજી પ્રસાદ ભાઈને વધુ શંકા જતા તેઓએ કબાટ ખોલવાની કોશિશ કરી..
પરંતુ કબાટને લોક લગાવી દેવામાં આવ્યો હતો, તેઓ કબાટનો લોકને તોડી નાખ્યો અને અંદર જોયું હતું તેમના છૂટી ગયા અને મોઢે હાથ દઈને તેવો ઘરની બહાર ભાગવા લાગ્યા હતા, તેઓએ તરત જ ઘરની બહાર જઈને તેના દીકરા ગૌરાંગને ફોન કરીને જણાવ્યું કે, તેમના ઘરના કબાટની અંદર એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે..
અને આ લાશની વાસને છુપાવા માટે કરિશ્મા વારંવાર કબાટ પાસે સ્પ્રે છાંટી રહી હતી, જેનાથી ઘરમાં ફેલાય નહીં. પરંતુ તેમને શંકા જતા તેઓએ કબાટનો તાળો તોડી નાખ્યો અને અંદર પોતાની સાથે જ આ લાશ તેમની નજર સામે દેખાઈ આવી હતી. આ વ્યક્તિ કોણ છે, અને તેની લાશ શા માટે આ કબાટમાં મુકવામાં આવે છે..
તેના વિશે ચંદ્રિકા કોઈપણ જવાબ આપ્યો નહી, આ વાત સાંભળીને તાત્કાલિક ગૌરાંગભાઈ ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેઓએ ઘરે આવીને ચંદ્રિકાને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, આ યુવક સાથે તે આજથી આઠ વરસ પહેલા પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને આ યુવકો હવે દિન પ્રતિદિન તેને હેરાનગતિ પહોંચાડવા લાગ્યું હતું..
એક દિવસથી તેની પાછળ પાછળ ઘર સુધી પણ આવી ગયો અને ત્યારે આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એ વખતે આ વખતે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઈરાદો ધરાવતો હતો, એવામાં કરિશ્મા યુવકને માથામાં બોથડ પદાર્થોનો ઘા માર્યો અને એવું ત્યાં નીચે ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું..
તેણે વિચાર્યું કે, આ યુવકની લાશ ને તે કબાટમાં મૂકી દેશે અને મોકો મળતાની સાથે જ નજીકના કોઈ કચરાની જગ્યાએ ફેંકી આવશે. પરંતુ તેને લાશને ફેંકવા જવાનો મોકો મળ્યો નહીં, અને આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. આ બનાવને લઈને જ્યારે આસપાસના પડોશીઓને જાણકારી મળે ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને કહ્યું કે..
અહીં તેમના પડોશમાં રહેલા એક ઘરની અંદર ખૂબ જ મોટું હોબાળો મળ્યો છે, અને ત્યાં કોઈ વ્યક્તિને મોતની ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ ઘટના પહોંચી અને જરૂરી તપાસ પણ ચલાવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]