Breaking News

દીકરાની વહુ 70 તોલા સોનું પિયરેથી લઈને આવી છતાં પણ લખ્ખણ ખોટી સાસુ અને નણંદ કરતી એવું કે, છતાં પૈસે છુટાછેડા લઈ લેવા પડ્યા, સાસરીયાઓ દોડતા થયા..!

આજકાલના સમયમાં સમાજના ઘણા બધા કુટુંબોમાં એવી ગણતરીઓ ચાલી રહી છે કે, જે દીકરાની વહુ પિયર માંથી ઓછો કરિયાવરનો સામાન તેમજ ઓછું સોનુ લઈને આવ્યું હોય તો તેને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. પાછળના સમયમાં આવી ઘણી બધી ઘટના નોંધાઈ ચૂકી છે..

જેમાં અંતે પરણીને આવેલી નવી વહુ કંટાળી જઈને આપઘાત તરફ પણ ચાલી જાય છે. આવા બનાવો ખૂબ જ ઓછા બને એટલા માટે સમાજમાં દરેક લોકોની જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. અત્યારે કરસનદાસ નામના વડીલના એકના એક દીકરા કિશોરદાસની પત્ની રીંકલ સાથે ખૂબ જ ગંભીર ઘટના બની છે..

જ્યારે રીંકલ અને કિશોરદાસ બંનેના લગ્ન થયા ત્યારે પરિવારજનો ખૂબ જ ખુશ ખુશાલ હતા, કારણ કે રીંકલ તેના પિયર માંથી 70 તોલા સોનું અને પાંચ લાખ રૂપિયા રોકડાની સાથે સાથે ઘણો બધો કરિયાવરનો સામાન પણ લાવી હતી. રીંકલની સાસુ વિમળાબેન ખૂબ જ ખુશ ખુશાલ હતી અને તે સમાજમાં સૌ કોઈ લોકોને કહેતી કે તેમના દીકરાની વહુ પિયરીથી 70 તોલા સોનું લઈને આવી છે..

એટલે હવે અમારે આગળના સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવશે નહીં, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ-તેમ આ 70 તોલા સોનામાંથી વિમળા બેને તેમની દીકરી ચંદ્રિકાને સોના ચાંદીના ઘરેણા કરાવી દીધા હતા. આ સોના ઉપર રીંકલનો અધિકાર હતો પરંતુ સાસુ વિમળાબેન તેમની દીકરીને આ સોના માંથી ભાગ પડાવીને આપી રહ્યા હતા..

રીંકલ એક વખત આ વાતનો વાંધો ઉપાડ્યો હતો. પરંતુ પરિવારજનોએ તેને ચૂપ કરાવી દીધી હતી, આ તમામ બાબતો રીંકલ સહન કરી રહી હતી. છતાં પણ તેની લખ્ખણ ખોટી સાસુ અને તેની નણંદ બંને તેને હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા. રીંકલનો દૂરનો દિયર જ્યાં પરણીઓ ત્યાં તેની પત્ની 90 તોલા જેટલું સોનુ પિયરીથી લઈને આવી હતી..

બસ આ જોતાની સાથે જ હવે વિમળાબેન તેમના દીકરાની વહુ રીંકલને મહેણા મારવા લાગ્યા હતા કે, ફલાણાની વહુ 90 તોલા જેટલું સોનુ પિયરીથી લઈને આવી છે. અને તું માત્ર 70 તોલા જ સોનું લઈને આવી છે. ત્યારે વધારે સોનું લઈને આવવું પડશે, તો બીજી બાજુ રીંકલે જણાવી દીધું કે આ સોનુ આપણી જિંદગી નક્કી કરતું નથી. આપણે આપણી રીતે જિંદગી જીવવું જોઈએ..

અને કોઈ પણ વ્યક્તિની દેખાદેખી માં આવવું જોઈએ નહીં, પરંતુ વિમળાબેન અને તેમની દીકરી ચંદ્રિકા બંનેએ રીંકલને હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. રીંકલે જણાવી દીધું કે, છતાં પૈસા પણ તમે મને હેરાનગતિ પહોંચાડી રહ્યા છો. જે તમને આગળ જતા ખૂબ જ ભારે પડી શકે છે. છતાં પણ તેઓ સમજીયા નહીં અને અંતે રીંકલ ખૂબ જ કંટાળી ગઈ હતી..

તે ભણેલ ગણેલ હોવાથી તેને નક્કી કર્યું કે, તે અહીંથી છુટાછેડા લઈ લેશે અને શાંતિથી જિંદગી જીવશે. ભણેલ-ગણેલ અને પોતાના પગ પર ઉભી રહેતી હોવાને કારણે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પરણી જશે એમ વિચારીને તેણે આ ઘરેથી છૂટાછેડા પણ લઈ લીધા હતા. જ્યારે છુટાછેડા થઈ ગયા ત્યારે સાસરિયાંઓ દોડતા થયા હતા..

અને તેમને ખબર પડી કે, રીંકલ ખૂબ જ સારી વહુ હતી અને પરિવારજનોને પણ ખૂબ જ સારી રીતે સાચવતી હતી. પરંતુ વિમળાબેન અને તેમની દીકરી ચંદ્રિકાની ચઢિયામણીમાં આવી જઈને પરિવારના દરેક સભ્યો સોના અને રૂપિયાની પાછળ ભાગવા લાગ્યા હતા અને આજે એ જ કારણે જ તેમના દીકરાની ભણેલ ગણેલ અને સંસ્કારી વહુને ખોવાનો વારો આવી ગયો છે..

આજકાલના સમયમાં સમાજના ઘણા બધા કુટુંબોમાં દેખાદેખીનો સમય ચાલી રહ્યો છે. સામે દેખાદેખીથી ઉપર આવીને સૌ કોઈ લોકોએ જીવન જીવવું જોઈએ. આ દેખાદેખીમાં કોઈ વ્યક્તિ આર્થિક રીતે એટલો બધો કંગાળ થતો જાય છે કે, તેને ખબર રહેતી નથી અને જ્યારે આંખો ખુલ્લીને ભાન થાય ત્યારે સમય વીતી ગયો હોય અને માથે ઘણા બધા રૂપિયાનું દેવું ચડી ગયેલું હોવાથી અંતે તે ખૂબ જ મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ જતો હોય છે. દિન પ્રતિદિન આવી નાની નાની બાબતોનું પણ હવે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *