હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે. ઘણા બધા પરિવારમાં સાસુ અને સસરાના ત્રાસને કારણે તેમના જ ઘરની મહિલા પોતાના જીવ ગુમાવી રહી હોય છે પરંતુ હાલમાં એવી ઘટના સામે આવી હતી. જે સૌ કોઈ જાણીને ચોકી ગયા હતા. આ ઘટના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સુહિલી ગામની છે.
આ ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પિતા અને તેમનો દીકરો અને દીકરાની વહુ રહેતા હતા. પિતાનું નામ રામદાસ કુશવાહા હતું. રામદાસની ઉંમર 60 વર્ષની હતી. રામદાસની પત્નીનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું હતું જેના કારણે રામદાસ તેમના દીકરા અને દીકરાની વહુ સાથે રહીને તેમનું ગુજરાન ચલાવતા હતા.
રામદાસ ખેતી કામ કરતા અને તેમના દીકરાને તેઓ આર્થિક મદદ કરતા હતા. રામદાસને તેમના દીકરા સાથે ખૂબ જ સારું એવું બનતું પરંતુ દીકરાની વહુ સાથે સારું બનતું ન હતું. જેના કારણે બંને સાસરા-વહુ અવનવાર ઝઘડાઓ કરતા હતા. નાની નાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડાઓ થતા જેના કારણે દીકરો ખૂબ જ કંટાળી ગયો હતો.
અને તે બંનેમાંથી એક પણને ઠપકો આપી શકતો ન હતો. રામદાસને તેમની દીકરાની વહુના માતા-પિતા પણ ઠપકો આપવા માટે આવતા હતા. દીકરાની વહુ તેમના પિયરના લોકોને તેના સસરા હેરાન કરી રહ્યાનું કહેતી જેના કારણે થોડા દિવસ પહેલા દીકરાની વહુના માતા-પિતાએ રામદાસને વધારે હેરાન કરશો તો જેલમાં મોકલી દેવાશે તેમ ધમકીઓ આપી હતી.
ત્યારબાદ રામદાસ દીકરાની વહુ સાથે બોલવાનું બંધ કર્યું હતું પરંતુ દીકરાની વહુ પણ ખૂબ જ માથાભારે હતી જેના કારણે રામદાસના ઝઘડાને કારણે છેલ્લા 4-5 દિવસથી એક પણ સમયે જમવાનું આપ્યું ન હતું. રામદાસ તેમના જ ગામના તેમના મિત્રોને અવારનવાર આ વાત જણાવતા અને રામદાસ ગામમાં બીજા લોકોના ઘરે જમીને તેમનું પેટ ભરતા હતા.
રામદાસ ખૂબ જ કંટાળી ગયા હતા તેમની પત્નીના અવસાન બાદ તેમનો દીકરો કે દીકરાની વહુ તેમના નથી રહ્યા તેવું લાગી રહ્યું હતું. જેના કારણે રામદાસએ કંટાળીને એક દિવસ તેમના ઘરેથી નીકળી ગયા અને પોતાના ગામની બહાર જઈને બેઠા ત્યાં થોડો સમય બેઠે બેસ્યા બાદ બહાર આવેલી ઝાડની ડાળી પર લટકીને તેણે આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરતા જ રામદાસનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ ગામના લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેના કારણે રામદાસને આ હાલતમાં જોઈને તરત જ ગામના લોકોએ રામદાસના દીકરાને તેના પિતા ની આ ગંભીર ઘટનાની જાણ કરી દીકરો તરત જ દોડતો દોડતો તેના પિતા ના મૃત્દેહ પાસે પહોંચ્યો હતો.
ગામના લોકોએ રામદાસના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને રામનગર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ તપાસની હાથ ધરી હતી. પોલીસ રામદાસના દીકરાની વહુની પૂછપરછ કરી રહી હતી. ગામના લોકોએ દીકરાની વહુ પર રામદાસના મૃત્યુના આરોપો લગાવ્યા હતા. જેના કારણે પોલીસ પૂછપરછ કરી રહી હતી અને આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]