અમુક વખત મનના વહેમના કારણે ઘણા બધા વ્યક્તિઓને ભારે દોડધામ સહન કરવી પડતી હોય છે. આવી જ એક દોડધામ ઉત્તર પ્રદેશના હાથરસ શહેરના નગલા ચોબેમાંથી લોકોને સહન કરવાનો વારો આવ્યો હતો. અહીં 18 વર્ષના જીતેન્દ્ર નામના એક યુવકનું સાપ કરડવાને કારણે મૃત્યુ થયું હતું.
જ્યારે તે પોતાના ઘરે ભોજન કર્યા બાદ સુઈ ગયો હતો. ત્યારે તેને રાત્રે સાપ કરડી ગયો હતો. આ ડંખની અસહ્ય પીડાને કારણે તેઓ હોસ્પિટલે પહોંચે એ પહેલા જ જીતેન્દ્રનું મૃત્યુ થયું હતું. જીતેન્દ્રના પિતા યોગેશભાઈ તેમજ તેની માતા કેલાદેવી બંને ખૂબ જ ચિંતાતુર હતા. પરંતુ તેમનો બાળક જીવી શક્યો નહીં..
ડોક્ટર એ તેને મૃત જાહેર કરી દેતા હાથરસદેવીના મંદિરના પાસે આવેલા ખાડામાં તેને દફનાવવામાં આવ્યો હતો. સમગ્ર પરિવાર આ દીકરાનું મોત ભૂલી શક્યો નહીં. રોજ જીતેન્દ્રના માતા-પિતા તેને ખૂબ જ યાદ કરતા હતા અને યાદ કરીને રડવા પણ લાગતા હતા. જીતેન્દ્રની માતા કેલાદેવીને બે દિવસ પછી રાત્રે એક સ્વપ્ન આવ્યુ હતું..
અને આ સ્વપ્નમાં જીતેન્દ્રએ તેની માતા કેલા દેવીને કહ્યું કે, હું હજી પણ જીવું છું. મને ખાડામાંથી બહાર કાઢી લેજો, આ પ્રકારનું સ્વપ્ન કેલા દેવીને આવ્યો હતો અને આ સ્વપ્નની જાણ તેઓએ પરિવારના અન્ય સભ્યોને પણ કરી પરંતુ તેમની વાત પર કોઈ પણ વ્યક્તિએ વિશ્વાસ કર્યો નહીં અને મનનો વહેમ કહીને નકારી કાઢી હતી..
પરંતુ બીજા દિવસે પરિવારના અન્ય સભ્યોને પણ આવું સપનું આવ્યું હતું. સૌ કોઈ લોકોની વાતો સાંભળીને અંતે તેઓએ મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા અને ત્યાંથી આ મૃતદેહને ફરી એક વખત ખોદીને બહાર કાઢવાની પરવાનગી લીધી હતી. આ વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો હોવાને કારણે ત્યાં ખૂબ જ પાણી પણ ભરાઈ ગયું હતું..
તાત્કાલિક ધોરણે જેસીબી મંગાવવામાં આવ્યો અને બપોરના સમયથી જ ખાડા ખોદવાનું શરૂ કરવામાં આવ્યો હતું. મહા મહેનતે જીતેન્દ્રને શોધી કાઢવામાં આવ્યો અને જોયું તો તેનું શરીર ત્યાં હાજર હતું. અને તે ખૂબ જ ફૂલી ગયું હતું. આ ઉપરાંત તે મૃત હાલતમાં હતો. આ જોતાની સાથે જ ત્યાં ઉભેલા બધા ના ટાંટીયા ધ્રુજવા લાગ્યા હતા.
બસ તેનો ચહેરો જોઈને ફરી એક વખત તેને દાટી દેવામાં આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રને ફરી એક વખત લોકોએ જોયો ત્યારે સૌ કોઈ લોકોના મનના વહેમ મરી ગયા હતા. પછી ભલે તે ઘરના જ લોકોના સ્વપ્નમાં આવીને કીધું હોય પરંતુ તે મૃત દેખાતા સૌ કોઈ લોકોને સ્વપ્ન મરી ગયા હતા. આ બનાવને લઈને ભારે માતમનો માહોલ સર્જાઈ ગયો હતો.
જ્યારે ખાડો ખોદવામાં આવતો હતો ત્યારે પરિવારના સભ્યોને લાગ્યુ કે, આ સ્વપન પરિવારના એક નહીં પરંતુ પાંચેક જેટલા સભ્યોને આવ્યુ છે, તો કદાચ આ વાત સત્ય હશે. પરંતુ ખાડો પોતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]