પરિવારમાં રહેતા લોકોની ખુશીઓ ક્યારે છીનવાઈ જાય તે કહી શકાતું નથી અને આ દુનિયામાં દરેક પ્રકારના લોકો જોવા મળે છે. ઘણા બધા લોકો બીજા લોકોનું સારું ઈચ્છતા હોય છે, તો ઘણા બધા લોકો બીજા લોકોનું ખરાબ ઇરછી રહ્યા હોય છે. જેમાં સારા કામ કરવાવાળા લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ હાલમાં એવી એક કરુણ ઘટના સામે આવી હતી.
આ ઘટના મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના રહેતા પરિવારમાં બની હતી. જટેશ્વર મવાઈ ગામના પરિવારમાં રહેતા સસરાએ એવું કર્યું હતું કે જે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરિવારમાં રહેતા વડીલ યુવકનું નામ રવિશંકર સોની છે. તેમના દીકરાનું નામ સંજય સોની હતું. સંજય સોનીના લગ્ન કારેલીની રહેવાસી યુવતી સાથે થયા હતા.
યુવતીનું નામ સરિતા છે. સરિતા અને સંજયને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં એક દીકરીની ઉંમર 11 વર્ષની અને બીજી દીકરીની ઉંમર 9 વર્ષની છે. સંજયના પિતા રવિશંકર ભાઈ ડેપ્યુટી રેંજરના પદ પરથી નિવૃત થયા હતા. પરિવારમાં દરેક લોકો ખૂબ જ રાજી ખુશીથી રહેતા અને ઘરમાં ખુશીનો માહોલ હતો.
પરંતુ એક દિવસ સંજય સોની તેમના કોઈ કામ હોવાને કારણે ગામથી બહાર ગયા હતા. તેઓ પોતાની કાર લઈને ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ અચાનક જ રોડ પર તેની સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ખૂબ જ ભયાનક સર્જાવાને કારણે સંજયભાઈનું ઘટના સ્થળ મૃત્યુ થઈ ગયું હતું. સંજયનું અકસ્માતમાં અવશાન થતા પરિવારના લોકો નિરાધાર થઈ ગયા હતા.
સંજયએ પોતાની બંને દીકરીઓ પરથી પિતાની છાયા ગુમાવી હતી અને તેમની પત્ની પણ સંજયના મૃત્યુ બાદ ખૂબ જ રડી રહી હતી. ઘરમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો અને સંજય સોનીની પત્ની સરિતા કેવા અનુભવમાંથી પસાર થઈ રહી હોય તે આપણે પણ વિચારી શકીએ છીએ. દરેક લોકો ખૂબ જ દુઃખી હતા. સરિતા ખૂબ જ રડી અને તે અંદરથી ભાંગી પડી હતી.
જેના કારણે તેમના સસરા રવિશંકર સોની તેમની પુત્રની આ હાલત જોઈ શકતા ન હોવાને કારણે તેમણે સરિતાના પિતા અને ભાઈને સરિતાના બીજા લગ્ન કરાવવાના છે તેમ કહ્યું હતું જેના કારણે છોકરો શોધવાનું કહ્યું રવિશંકર પણ પોતે તેમની દીકરાની વહુના બીજા લગ્ન કરાવીને તેની ખુશીઓને પાછી લાવવા માંગતા હતા.
જેના કારણે તેઓએ પણ સંબંધ શોધવાનું ચાલુ કર્યું હતું. સરિતાના સંબંધ માટે ઘણી બધી જગ્યાએ છોકરાઓ પણ જોયા અને ઘણી બધી જગ્યાએ વાતચીત પણ કરી હતી. ત્યારબાદ જબલપુર નજીક આવેલા પીપરીયા ગામમાં રહેતા પરિવારના યુવક સાથે લગ્ન નક્કી કર્યા હતા. આ યુવકનું નામ રાજેશ સોની હતું.
રાજેશ સોની જબલપુરમાં ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરન્ટનો બિઝનેસ ચલાવે છે. લગભગ ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનું પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજેશને કોઈ સંતાન નથી. તેમને પરિવારમાં બે ભાઈઓ જ રહે છે. રવિશંકર તેમની દીકરાની બહુ સવિતાનો સંબંધ રાકેશ સાથે કરાવ્યો હતો અને તેમના લગ્ન પણ ખૂબ જ ધુમધામથી કરાવ્યા હતા.
સરિતાને સંજયની કાર પણ નામે કરાવીને આપી દીધી હતી. ત્યારબાદ સંજય સોનીના અવસાન બાદ વીમામાંથી આવેલી 3,76,000 પણ દીકરાની વહુ સરિતાના નામે મૂકી દીધા હતા અને તેમની દીકરાની બંને દીકરીઓના નામે એફડી પણ કરાવવામાં આવી હતી. ખૂબ જ ધૂમધામથી સસરાએ તેમની દીકરાની વહુને ફરી લગ્ન કરાવ્યા હતા.
પોતાના દીકરાના અવસાન બાદ દીકરાની વહુને દીકરીની જેમ વિદાય આપી હતી. આવું અમુક જ પરિવાર જોવા મળે છે. મોટાભાગે કોઈ મહિલાનો પતિ આ દુનિયાને છોડીને જાય ત્યારે સાસરીયાઓ તેને ટોચર કરે છે પરંતુ આ પરિવારમાં એવી ઘટના બની હતી. જે જોઈને દરેક લોકોએ આશ્ચર્યચકિત થઈ ગયા હતા…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]