Breaking News

દીકરા-દીકરીને વિદેશ મોકલવાનો મોહ હોઈ તો ચેતી જજો, ઓસ્ટ્રેલીયામાં પાગલ પ્રેમીએ યુવતીને ઘા મારીને જીવતા દાટી દેતા થયું મોત.. હોશ ઉડાડતો કિસ્સો..!

અત્યારે મોટાભાગના વ્યક્તિઓમાં વિદેશ જવાનો મોહ જાગી ઉઠ્યો છે, પાછળના સમયમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં કોઈ પણ નીતિઓ અપનાવીને વિદેશ જવાનો મોહ અંતિમ સમયે વ્યક્તિનો જીવ પણ ખેંચી જતો હોય છે, તો કેટલાક વ્યક્તિને ખૂબ જ મોટી પરિસ્થિતિઓ પણ સહન કરવાનો વારો આવી ગયો હતો..

થોડા સમય પહેલા જ વિદેશ જવાના મોહમાં અંદાજે બે થી ત્રણ પરિવારજનોના મૃત્યુ થયા હતા, આ સાથે સાથે કેટલાક વ્યક્તિને એજન્ટ તરફથી દગો મળવાને કારણે સહન પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિઓમાંથી જીવન જીવવાનો વારો આવી ગયો હતો અને અત્યારે ઓસ્ટ્રેલિયામાંથી વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે..

અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે પોતાના માતા-પિતાથી દૂર જતા રહે છે, હાલ દરેક મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ગયો છે. જસ્મીન કોર નામની 21 વર્ષની એક નર્સિંગ વિદ્યાર્થીની ઓસ્ટ્રેલિયાના એડીલેડ શહેરમાં રહે છે, તે આ શહેરની અંદર એક જગ્યા પર કામકાજ કરવા માટે જતી હતી..

અને ત્યાં તારીકજોત સિંહ નામનો યુવક તેની પાસે આવ્યો અને ત્યાંથી તેને અપહરણ કરીને લઈ ગયો હતો, તારીકજોત જસ્મીનને અપહરણ કર્યા બાદ તેના હાથ અને પગને કેબલથી બાંધી દીધા હતા અને પોતાના કારની ડીકીની અંદર તેને નાખી દીધી હતી, આવી હાલતની અંદર જસ્મિનને તે અંદાજે 643 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં લઈ ગયો હતો..

આ એ ખૂબ જ સુમસાન વિસ્તાર છે, અહીં એક ખુલ્લી જગ્યા જોઈને તારીકજોત નામના યુવકે જસ્મીનને ગળા ઉપર વાર કરવાનું શરૂ કરી દીધું હતું, અને ત્યારબાદ જીવાતા જ જમીનની અંદર તેને દફનાવી દીધી હતી, અંદાજે 24 કલાક તડપી તડપીને ઓક્સિજન મેળવ્યા બાદ ઓક્સિજનની કમી સર્જાઈ હતી અને તેના કારણે બિચારી જસ્મીનનું મૃત્યુ થઈ ગયું હતું..

કહેવાય છે કે, જસ્મીનની માતાએ થોડા સમય પહેલા પણ તારીકજોત નામના 22 વર્ષના યુવક સામે જસ્મીનને હેરાનગતિ પહોંચાડવાનો ગુનો નોંધાવ્યો હતો અને અત્યારે પણ તારીકજોત ઉપર જ શંકાનો ટોપલો કર્યો હતો, એટલા માટે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે હકીકતમાં આપઘાત કર્યો છે..

અને આપઘાત કર્યા બાદ તારીકજોત તેની દફનાવા માટે અહીં આવી પહોંચ્યો હતો, પરંતુ વધુ પૂછપરછ કરવામાં આવી અને તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, તારીકજોત નામનો યુવક જસ્મીનના મૃત્યુનું કારણ બન્યો છે, હકીકતમાં તે જસ્મીન સાથે લગ્ન કરવા માંગતો હતો..

પરંતુ જસ્મીને કોઈ કારણસર આ યુવકને લગ્ન કરવાની મનાઈ કરી હતી અને ગુસ્સામાં આવીને આ યુવકે તેનું આવરણ કર્યું અને ત્યારબાદ તેનું ગળું વાઢી નાખ્યું હતું અને જીવતા જ દફનાવી દીધી હતી, બિચારીની ઓક્સિજનની કમીને કારણે રિબાઈ રિબાઈને મૃત્યુ થયું હતું. કોઈપણ વ્યક્તિથી દુઃખની આ ઘડી સહન થઈ શકતી નથી..

અત્યારે ઘણા બધા માતા-પિતા માત્ર ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચને લઈને પોતાના બાળકોને મન ફાવે તેમ વિદેશ મોકલી રહ્યા છે, ત્યાં તેમના દીકરા કેવી હાલતમાં રહેશે અને કેવી કાળી મજૂરી કરવા મજબૂત થશે તેના વિશે કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી..

જે માણસનું ઘડતર પોતાના વતનમાં થયું હોય તે માણસ પોતાની આવડતથી પોતાના જ દેશને આગળ વધવામાં મદદ કરવાને બદલે વિદેશ જઈને ત્યાં મોભો જમવા લાગતા હોય છે, છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે છતાં પણ યુવાધનો ભારત છોડીને અન્ય જગ્યાએ સ્થાયી થવા માટે દોડાદોડી કરી રહ્યો છે, જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવવાના શરૂ થઈ ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *