Breaking News

દીકરા-દીકરીના 2 વાર લગ્ન તૂટી જતા દુઃખી પિતાએ રૂમ બંધ કરી ખાઈ લીધો ફાંસો, પરિવાર પર કાળ ત્રાટક્યો..!

અત્યારના સમયમાં દીકરા-દીકરીની ઉંમર મોટી થાય એટલે માતા-પિતાઓ ખૂબ ચિંતિત થઇ જતા હોય છે. કારણ કે દીકરાની ઉંમર વધવાની સાથે સાથે તેના લગ્ન કરાવી આપીને ઘરની તમામ જવાબદારીઓ પોતાના દીકરાના ખભા ઉપર મુકવા માટે માતા-પિતાને ઘણી ચૂનોતીઓ સ્વીકારવી પડે છે..

હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં પોતાના દીકરાના બે વાર લગ્ન તૂટી જવાના કારણે તેમ જ પોતાની દીકરીના એક વાર લગ્ન તૂટી જવાના કારણે તેમના પિતા સતત દુઃખી રહેતા હતા. અને એક દિવસ જેવો આપઘાત કરી લેતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. હકીકતમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાકાળી અપાર્ટમેન્ટમાં મૂળ ઉત્તરપ્રદેશનો પરિવાર રહે છે…

પરિવારમાં એક દીકરો દીકરી તેમજ પતિ-પત્ની નો સમાવેશ થાય છે. દીકરો અને દીકરી બંને લગ્નની ઉમર થઇ જતાં માતા-પિતાએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સૌપ્રથમ દીકરાના લગ્ન કરાવ્યા હતા. પરંતુ તેના પહેલા લગ્ન માત્ર ચાર જ મહિનામાં તૂટી ગયા હતા. પત્ની કોઈ ને કોઈ વાંધો ને લઈને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરવાના કારણે ચાર મહિના જ લગ્નજીવન ટકી શકયું હતું..

ત્યારબાદ તેના દીકરાના બીજા લગ્ન કરાવવામાં આવ્યા હતા. પરંતુ બીજા લગ્ન બાદ પણ પત્ની તેના પરિવાર સાથે રહેવા ઇચ્છતી ન હતી એટલા માટે આ લગ્નજીવનનો અંત આવી ગયો હતો. ત્યારબાદ ભાઈ બ-હેન ના પિતા શનાલ્લુભાઈ બારીયાએ પોતાની એકની એક દીકરીના લગ્ન કરાવ્યા હતા..

પરંતુ દીકરીનો પતિ પણ ત્રણ વર્ષ બાદ ખૂબ જ હેરાનગતી પહોંચાડતો હતો. એટલા માટે આ લગ્નજીવન પણ તૂટી ગયું હતું. પોતાના દીકરા દીકરીના લગ્નજીવન તૂટી જવાને કારણે શનાલ્લુ બારીયા કે જેઓની ઉંમર વર્ષ 55 હતી. તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હતા. અવારનવાર તે ઘેરા વિચારોમાં ચાલ્યા જતા હતા..

અને તેઓ દિવસેને દિવસે એક વિચારો લઇને ખૂબ દુઃખી રહેતા હતા. તેઓ છેલ્લા સમયમાં તો ઘરની બહાર જવાનું પણ ટાળે નાખ્યું હતું. એક દિવસ સમગ્ર પરિવાર સાંજે ભોજન કર્યા બાદ સુઈ ગયો હતો. પરંતુ જ્યારે સવારમાં પરિવાર જાગ્યો હતો તેઓએ જોયું કે પોતાના પિતા પંખા સાથે લટકી રહ્યા હતા.

આ જોતાની સાથે જ પરિવાર સૂઝબૂઝ ખોઈ બેઠો હતો. કારણકે ઘરના મોભી પરિવારના સુખ ન જોઈ શકવાને કારણે જીવ ગુમાવી દીધો હતો. જેના કારણે સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છવાઇ ગયો હતો. હકીકતમાં દરેક માબાપને પોતાનાં બાળકોને ખૂબ જ ચિંતા હોય છે કે પોતાનું બાળક ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરે…

અને તેના દરેક સપના પૂરા થાય તેમ જ સુખી લગ્નજીવન જીવે પરંતુ કોઇને કોઇ કારણસર સૌ કોઈ લોકો તારે જેવી જિંદગી જીવી શકતા નથી. અને આ કિસ્સામાં બંને ભાઈ-બહેન સાથે જ પ્રકારનું બન્યું છે. કારણ કે બંને ભાઈ બહેનના લગ્ન થોડા થોડા સમયમાં તૂટી ગયા હતા એટલા માટે તેના પિતા ખૂબ જ દુઃખી રહેતા હતા.. અને અંતે તેઓએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *