રાજકોટ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યું છે. બે દિવસ પહેલા .દુ.ષ્ક.ર્મ.ના કેસ સામે આવ્યા હતા. તેમજ અકસ્માતના બનાવો સામે આવ્યા હતા અને હવે શારીરિક અડપલાં કેસ બાદ હવે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ભક્તિ નગર વિસ્તારમાં મારુતિ નગર સોસાયટી આવેલી છે..
જેમાં રાકેશભાઈ અધ્યારુ નામના વ્યક્તિ રહે છે. તેમના લગ્ન થઈ ચૂક્યા હતા. તેમજ તે લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રો પણ જન્મ થયો હતો. પરંતુ એ લગ્ન થી નારાજ થઈને તેઓએ વર્ષ ૨૦૦૬ની સાલમાં આશા ચૌહાણ નામની એક મહિલા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આશા ચૌહાણ સાથે તેમના લગ્ન થયા હતા નહીં.
પરંતુ તેઓ મિત્રતા અને પ્રેમ સંબંધમાં ખાતે તેઓની સાથે રહેતા હતા. ત્યારે તેમની પત્ની અને તેમના બંને પુત્રો જુદા રહેતા હતા. આશા ચૌહાણ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. અને બન્નેના સંબંધો દરમિયાન તેમને પુત્રનો જન્મ થયો હતો. રાકેશે આશા ચૌહાણ સાથેની મુલાકાત ખાખરા બનાવવાના એક કારખાનામાં થઈ હતી..
આ લિવ ઈન રિલેશનશિપમાં રાકેશ દારૂનો નશો કરીને ઘરે આવતો હતો અને ઝઘડો કરતો હતો. અવારનવાર તે આશા ચૌહાણ સાથે માથાકૂટ કરવા લાગતો હતો. તેમજ તેના દીકરા સાથે પણ હાથાભાઈ કરતો હતો. રાકેશ ની પહેલી પત્ની અને તેના બંને પુત્રો તો સુખેથી પોતાની રીતે જીવન જીવતા હતા..
પરંતુ રાકેશે આશા ચૌહાણ અને તેના દીકરા નું જીવન પણ બરબાદ કરી નાખ્યું હતું. તે રોજ નશાની હાલતમાં ઘરે આવતો હતો અને બોલાચાલી કરવા લાગતો હતો. રોજ-રોજની માથાકુટથી કંટાળીને આશા અને તેના પુત્રએ રાકેશની હત્યા કરવાનો પ્લાન બનાવી નાખ્યો હતો.
એક દિવસ જ્યારે રાકેશ ઘરે ઘોર નિદ્રામાં સૂતો હતો. ત્યારે તેઓએ ઘરનું બારણું અંદરથી બંધ કરી દીધું હતું. ત્યારબાદ આશાનો દીકરો ત્યાંથી લઈને આવ્યો હતો અને રાકેશ ઉપર કેરોસીન છાંટી લાગ્યો હતો. એવામાં રાકેશની આંખ એકાએક ઉઘડી ગઈ હતી અને તેણે જોયું તો તેનો દીકરો તેના પર કેરોસીન છાંટીને તેને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો..
એવામાં રાકેશે તેના દીકરાને હાથ પર બચકું ભરી લીધું હતું પરંતુ પુત્ર એટલો બધો રોષે ભરાઈ ગયો હતો કે તેના હાથમાં દસ્તો આવ્યો હતો અને તેને દસતો પોતાના બાપને માથે માર્યો હતો. અને તેનો જીવ લઇ લીધો હતો. નજર સામે પોતાના બાપની હત્યા કરવી કંઈ સહેલી બાબત નથી..
પરંતુ આશા ચૌહાણની મદદથી તેના દીકરા એ રાકેશને પતાવી દીધો હતો. ત્યારબાદ તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવીને ભડથું બનાવી દીધો હતો. આ હત્યાનો બનાવ અન્ય કોઈ વ્યક્તિને ખબર ન પડે એટલા માટે તેઓએ એક જુદુ કાવતરું રચ્યું હતું. કાવતરાના ભાગ મુજબ દીકરાએ આશાને પિલર સાથે દોરડા વડે બાંધી દીધી હતી અને ત્યારબાદ તે પોતાના ઘરની બહાર ચાલ્યો ગયો હતો..
અને જોર જોરથી બુમ કરવા લાગ્યો હતો કે તેના પિતાને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને ઢોરમાર માર્યો છે અને ત્યારબાદ તેને સળગાવી ને જતા રહ્યા છે. જ્યારે તેની માતા ને દોરડા વડે બાંધી દેવામાં આવી છે. આ બાબતને લઇને સ્થાનિક પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે દોડી આવી હતી..
અને મામલાની તપાસ શરૂ કરી હતી પરંતુ તેઓએ આશા અને તેના પુત્રની કરી પૂછતાછ કરતાં તમામ બાબતોનો ભાંડો ફૂટી ગયો હતો. અને હકીકત સામે આવી ગઈ હતી. આશા ચૌહાણ નો દીકરો ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો હતો. ધોરણ 12 નું પરિણામ આવે એ પહેલાં જ તેના પિતાની હત્યા માં તેનો નામ સરકારી ચોપડે ચડી ગયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]