હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારમાં ભરપૂર ઠંડીનો અનુભવ થાય છે. તો ધીમે ધીમે બપોર થતાં વાતાવરણમાં બળબળતો તાપ પડે છે. તેમજ ફરી પાછી સાંજ થતાં ધીમે ધીમે ઠંડી વધવા લાગે છે. એમાં પણ સવારના સમયમાં ઝાકળ અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે છે.
આ પ્રકારના વાતાવરણને લઇ ને ખેડૂતો ખૂબ ચિંતામાં છે, કારણકે ધુમ્મસભર્યું વાતાવરણ ખેતરમાં રહેલા પાકને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે. છેલ્લા દોઢેક વર્ષથી ખેડૂતોને માથે એક પછી એક સંકટો આવતાં જ રહે છે.. વાવાઝોડા માવઠા તેમજ કમોસમી વરસાદ તોફાની પવન ચક્રવાતો ધુમ્મસ ઝાકળ વગેરે જેવી સમસ્યાઓને કારણે ખેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ ચૂક્યું છે…
અને હજી પણ રાજકોટ જિલ્લાના વિરપુર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી અતિશય ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ખેતીમાં ભારે નુકશાન થઇ રહ્યું છે. વીરપુર પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેને લીધે રાત્રે તેમજ વહેલી સવારમાં ઝાકળ અને ધુમ્મસ દેખાઈ આવે છે…
આ પંથકના ખેડૂતોએ રવિ પાક જેવાકે જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં જેવા પાકોમાં ધુમ્મસ અને ઝાકળની અસરના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ જણાવ્યું છે કે, રવિ પાકને વાવવા માટે ખૂબ જ મોંઘા જંતુનાશક દવાઓ, સારા બિયારણ તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ખેતરમાં પાક ઊભો કર્યો હોય…
અને ઝાકળ ભર્યા વાતાવરણના લીધે અને ધુમ્મસના લીધે ચણાના પાકમાં રાતડીયા રોડ આવી ગયો છે. જ્યારે જીરુંના પાકમાં કારિયો અને ચર્મી નામનો રોગ આવી ગયો છે. આવા રોગોના કારણે પાકો નષ્ટ થવા પામ્યા છે. જીરાના પાકને ઝાકળ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે..
તેમજ ચણા નો ફાલ પણ ઝાકળને કારણે ધોવાઈ જાય છે. તેમજ તેના પાન લાલ પડી જતા હોય છે. પાંદડા લાલ થઇ જતાં ચણાના પાકને ફાલ આવતો નથી. અને સતત મેઘરવો વલ આવવાથી પાકના ફૂલ પણ બળી જાય છે. તેમજ ધાણાના પાકમાં પણ સુકારો આવી જતો હોય છે.
ધુમ્મસ અને ઝાકળના કારણે જીરું ધાણા સહિતના પાકોમાં રોગો ફેલાય ગયા છે. જેને કારણે ખેતી નષ્ટ થવા પામી છે. આ ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ પણ સરકારે ખેડૂતો તરફ ધ્યાન આપ્યું નથી. ખેડૂતોને દર વર્ષે ખૂબ મોટી નુકશાની સહન કરવાનો વારો આવે છે. જે યોગ્ય નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]