હોળી ધુળેટીમાં દરેક લોકો કલર અને ગુલાલથી એકબીજાને રંગ લગાડે છે. તેમજ પાણી અને પિચકારીથી પણ ભરપૂર માત્રામાં રમે છે. કેટલાક લોકોને હોળી રમવી ખૂબ જ વધારે ગમે છે. તો કેટલાક લોકોને હોળી રમવી બિલકુલ ગમતી નથી. પરંતુ તહેવારોની સાચી મજા નાના બાળકો મન ભરીને લેતા હોય છે..
અત્યારે ધુળેટી રમતી વખતે ખૂબ જ મોટી લડાઈ ઝઘડો થઈ ગયો હતો. આ ઘટના બિહારના ભોજપુરની છે. અહીં વહેલી સવારથી જ શેરીઓની અંદર બાળકો ધુળેટી રમવા લાગ્યા હતા. આ સોસાયટીમાં ધાર્મિક ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. ધાર્મિક ભાઈ પણ બાળકોની સાથે ભેગા મળીને અન્ય વ્યક્તિઓની સાથે ધુળેટી રમી રહ્યા હતા..
ત્યારે તેઓએ તેમના પડોશમાં રહેતા કિશોરભાઈને રંગ લગાવ્યો હતો અને કિશોરભાઈ તેમના પડોશી હોવાથી ધાર્મિક ભાઈએ ખૂબ જ પ્રેમથી તેમને પાકો કલર લગાડી દીધો હતો અને બીજી બાજુ કિશોરભાઈને હોળીનો તહેવાર બિલકુલ પસંદ હતો નહીં અને આ પાકો કલર લગાડતા ની સાથે જ તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા..
અને ત્યાં ને ત્યાં જ ધાર્મિક ભાઈ ને એક લાફો ચોડી દીધો હતો, તો બીજી બાજુ ધાર્મિકભાઈ જણાવ્યું કે, હોળીએ ખુશીઓનો તહેવાર છે. આ દિવસે તહેવારની ખુશીઓ મનાવી જોઈએ કદાચ તમને આ તહેવાર પસંદ નહીં હોય પરંતુ કોઈ વ્યક્તિ સાથે આવો દૂરવ્યવહાર કરવો જોઈએ નહીં, બસ આ શબ્દો સાંભળતાની સાથે જ કિશોરભાઈ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા..
અને તેમના ઘરેથી તેઓપિસ્તોલ લઈને આવ્યા અને ધાર્મિક ભાઈની સાથે હોળી રમતા અન્ય ચાર લોકો ને પણ ઢાળી દીધા હતા, જ્યારે આ ઘટના બની ત્યારે તહેવારની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ હતી. આ ઘટના સાંભળ્યા બાદ તમને પણ આંચકો લાગશે અને તમે પણ વિચારવા મજબૂર બની જશો કે, આખરે આ તો કેવા મગજનો વ્યક્તિ છે કે જેણે તહેવારની અંદર નજીવી બાબતને લઈને..
એક સાથે ચાર વ્યક્તિના જીવને જોખમમાં મૂકી દીધા છે. આવી ઘટનાઓ સાંભળતાની સાથે જ આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. પરંતુ દરેક વ્યક્તિના મગજ જુદા-જુદા હોય છે. કિશોરભાઈને પાકો કલર લગાડતાની સાથે જ ગુસ્સે ભરાયા અને તેણે ચાર લોકોને ટીંચી નાખ્યા છે..
આ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી ગયો હતો. આ ચારે વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. તો બાકીના ત્રણ વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને આ ત્રણેય વ્યક્તિ જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ડોક્ટરનું કહેવું છે કે, આ ત્રણેય વ્યક્તિઓના જીવ પણ બચવા ખૂબ જ મુશ્કેલ છે..
આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કિશોરભાઈની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના આસપાસના પડોશીઓને પણ પૂછવામાં આવી રહ્યું છે કે, નહીં શું ઘટના બની હતી..
ધાર્મિક ભાઈના પરિવારજનોની સાથે સાથે અન્ય ત્રણ વ્યક્તિના પરિવારજનો પણ અત્યારે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. કારણ કે તેઓએ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે, માત્ર કલર લગાડવા જેવી ન જેવી બાબતને લઈને તેમનો જીવ પણ જતો રહેશે. આ ઘટનાએ આસપાસના સૌ કોઈ વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]