Breaking News

ધોરણ 8માં ભણતા દીકરાનું સ્કુલ બસમાં ઘરે આવતી વેળાએ થયું ઓચિંતું મોત, બાળકના માં-બાપે આરોપો લગાવતા કહ્યું કે, સ્કુલ વાળાએ અમારા દીકરાને..

આધુનિક સમયમાં નાના બાળકો સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. બાળકો સાથે શાળાએ જતા આવતા અને રમતા સમયે ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને તેઓનું ધ્યાન ન રહેતા બાળકો સાથે આવી જીવલેણ ઘટનાઓ બની રહી છે.

આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ગયા જિલ્લામાં બની હતી. ગયા જિલ્લામાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ પત્ની અને તેમના બંને બાળકો રહે છે. જેમાં પરિવારના બાળક સાથે જીવલેણ ઘટના બની જતા તેમના માતા પિતા આ આઘાત સહન કરી શકતા નહી. બાળકના પિતાનું નામ પ્રકાશ ચંદ્ર હતું.

અને તેમના મોટા દીકરાનું નામ કૃષ્ણ પ્રકાશ હતું. કૃષ્ણ ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો અને તે એક શહેરની નામચીન ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. શાળાનું નામ જીડી ગોએન્કા સ્કૂલ હતું. બાળક નાના ભાઈનું નામ સવર્ણ પ્રકાશ હતું. તે પણ જીડી ગોએન્કા સ્કૂલમાં જ અભ્યાસ કરતો હતો પરંતુ તે 5 મા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

બંને ભાઈઓ એક જ સાથે શાળાએ જતા હતા. તેમને ઘરે બસ લેવા મુકવા આવતી હતી. શાળાની બસમાં બંને ભાઈઓ એકસાથે જતા આવતા હતા. એક દિવસ બાળક પોતાની શાળાએ તેમના શિક્ષકે આપેલું હોમવર્ક લઈ ગયો ન હતો. જેના કારણે બપોરના સમયે ચાલી રહેલા ક્લાસમાંથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

તેમના શિક્ષક શિવેન્દુએ બાળકને માર માર્યો હતો, ત્યારબાદ શાળાનો છૂટવાનો સમય થઈ જતા કૃષ્ણ બીજા બાળકો સાથે પોતાની સ્કૂલ બસમાં ચડ્યો તે સમયે તેને બહારથી કોઈએ બોલાવ્યો હતો જેના કારણે તે બહાર ગયો અને થોડીવાર પછી તે બસમાં પાછો આવ્યો અને તેણે પોતાનું સ્કૂલબેગ સીટ પર રાખ્યું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો.

બેભાન થઈ જતા આસપાસના બાળકોએ બસના કંડકટરને આ વાતની જાણ કરી હતી. જેના કારણે તરત જ બસ ઉભી રાખવામાં આવી હતી અને શાળાના શિક્ષકોને આ વાતની જાણ કરી હતી. શાળાના શિક્ષકો તેમને જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.

ત્યારબાદ લગભગ એક કલાક પછી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે તેમના પિતા ચંદ્રપ્રકાશને શાળાના આચાર્યએ પોતાના બાળકના બેભાન થઈ જવાની જાણ કરી જેના કારણે પરિવાર દોડતું દોડતું શાળાએ આવ્યું હતું અને પોતાના બાળકની મૃત્યુની ખબર જાણીને તેઓ આઘાતમાં ઢળી પડ્યા હતા.

તેમના મોટા દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતાં પરિવારજનો આઘાત સહન કરી શક્યા નહીં. પરિવારજનોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી અને શાળા પર આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમના કારણે પોતાના દીકરાએ જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ આગળની તપાસ કરી રહી હતી. પરિવારના મોટા દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા શાળામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. અને બીજા બાળકો ખૂબ જ ડરી રહ્યા હતા દીકરાનું આવું કરણ મૃત્યુ થઈ જતા સગા સંબંધીઓમાં પણ દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *