Breaking News

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે ફરી પરચો બતાવ્યો, ભીસ પડતા પહેર્યા કપડે જ થવું પડ્યુ ફરાર..! વાંચો શું છે આ મામલો..!

આજકાલ અંધશ્રદ્ધાના કેસો ખુબ જ વધી રહ્યા છે. કોઇપણ ઢીલો પોચો વ્યક્તિ તાંત્રિક અને બાબાની જાળમાં ફસાઈને વિધિઓ કરાવતા હોઈ છે. જેના પગલે ખોટા તાંત્રિકો મેલીવીધ્યાને બહાને કેટલાય રૂપિયા પડાવી લેતા હોઈ છે. હર કોઈ તાંત્રિક કે બાબા ખોટા નથી હોતા પરતું અમુક ગણતરી ભરેલા લોકો જ અન્ય લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલવાનો પ્રયાસ કરે છે.

થોડા સમય પહેલા જ વિજ્ઞાનજાથા વાળાએ ઢોંગી ઢબુડી માતા તરીકે પ્રખ્યાત ધનજી ઓડના તમામ કાવતરાનો પર્દાફાશ કરી નાખ્યો હતો. એ બાદ ધનજી ઓડ કોઈ જગ્યાએ ચર્ચામાં આવ્યા નથી. ત્યારબાદ આજે ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે અને તેઓને ભાગવાનો વારો આવ્યો છે…

પ્રથમ વાર ધનજી ઓડનો પર્દાફાશ એવી રીતે કરવામાં આવ્યો હતો કે ધનજી ઓડ ઉર્ફે ધબુડી માતા વિધિ અને ક્રિયાકર્મ વિધિઓના નામે લોકોને અંધશ્રધા તરફ ધકેલતો હતો. લોકોને મોઢામાં ચપ્પલ નાખવીને પણ વિધિ કરવાના કેસ સામે આવી ચુક્યા છે.  ત્યારે પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદના કારણે ધનજી ઓડની ધરપકડ થવાની હતી.

જેના કારણે ઢોંગી ઠબુડીના અગોતરા જામીન અરજી કરી હતી. નજી ઓડના વકીલ દ્વારા તેના બચાવમાં કોર્ટમા અનેક દલીલ કરાઇ હતી. હાલ પણ ઢબુડી માતા ઉર્ફ ધનજી ઓડ સામે એક ફરિયાદ નોંધવામાં આવી છે. જે ગાંધીનગરમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો હેઠળ દાખલ કરવામાં આવી છે.

ફરિયાદમાં રાંધેજા ગામમાં જમીન પર કબજો કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઢોંગી ધનજી ઓડે 3 વિઘા જમીન પર કબજો કરીને ત્યાં રૂમ બનાવી દિધા છે.  આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા જ ધનજી ઓડને ભાગી જવાનો વારો આવ્યો છે. આ કેસમાં ધનજી ઓડ સહિત તેના પરિવારના અન્ય સભ્યો સાથે 4 સામે ગુનો નોંધાયો છે.

ઢબુડી માતા, તેની પત્ની અને પુત્ર અને સુરેશ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં રાંધેજા ગામ ખાતેની જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ છે. જેમાં ૩ વીઘા જમીન પર પતરું અને રૂમ બનાવી જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ છે. તેથી જીલ્લા કલેક્ટરના હુકમને આધારે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તેમાં ફરિયાદને પગલે ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા છે.

ધનજી ઓડનું કહેવું છે કે તે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોગણીમાતાના ભુવા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી પછી ઢબુડી માતાજી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. પરતું વિજ્ઞાનજાથાવાળા એ કહ્યું છે કે, ધબુડી માતા એટલે કે ઢોંગી ધનજી ઓડ ખોટો ભ્રામક પ્રચાર કરી બિમાર તેમજ દુખિયારા લોકોને બાધાઓ આપી વચનોમાં બાંધીને તેઓ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *