હાઇવે ઉપર રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે, તેમાંથી કેટલાક વાહનો મુસાફરી કરે છે, જ્યારે કેટલાક વાહનો ટુકાનોની મુસાફરી કરતા હોય છે. પરંતુ હાઈવે ઉપર રહેવાની તેમજ ખાવા પીવાની ઘણી બધી સુવિધાઓ હવે થવા લાગી છે, હાઇવેની બંને બાજુએ ઘણા બધા રેસ્ટોરન્ટ અને ઢાંબાઓ સતત આવતા ને જતા રહેતા હોય છે..
એક પરિવાર જ્યારે હાઇવે ઉપર મુસાફરી કરતો હતો, ત્યારે રસ્તામાં તેમને ભૂખ લાગવાને કારણે ધાબા ઉપર તેઓ ખીચડી કઢી ખાવા માટે રોકાયા હતા. પરંતુ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, ખીચડી કઢીનો મોઢામાં મુકતાની સાથે તેમને ઉલટી ઉપર ઉલટીઓ થવા લાગી હતી..
આ ઘટનાને લઈને દરેક લોકોએ ખૂબ જ ચેતી જવું જોઈએ અને મુસાફરી કરતી વખતે ગમે તેવી જગ્યાએ ખોરાક ખાવાનો ટાળવો જોઈએ, આરોગ્ય અને વિભાગના અધિકારીઓ પણ જ્યાં અખાત્ય ચીજ વસ્તુઓનો જથ્થો વેચવામાં આવતો હોય છે. ત્યાં છાપો મારીને શહેરના નાગરિકોના સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે..
પરંતુ હાઈવેની બહાર આવી જગ્યા ઉપર આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ફૂડ વિભાગના અધિકારીઓનો પણ કશું ધ્યાન રહેતું નથી, રાકેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે અંદાજે 450 કિલોમીટર દૂર આવેલા તેમના માતાજીના મોઢે દર્શન કરવા માટે જતા હતા અને ત્યાં રસ્તામાં તેમને ભૂખ લાગવાને કારણે તેઓ ધાબા ઉપર ખીચડી કઢી ખાવા માટે રોકાયા હતા..
ખીચડી કઢી જ્યારે તેમની પ્લેટની અંદર આવી ગઈ અને ત્યારબાદ તેનો એક કોળિયો મોઢામાં મૂક્યો ત્યારે રાકેશભાઈના નાનકડા દીકરા શુભે તેના પિતાને જણાવ્યુ કે, પપ્પા આ ખીચડીમાંથી તો મરેલી ગરોળી મળી આવી છે. આ સાંભળતા જ રાકેશભાઈના મોઢામાંથી કોળિયો બહાર નીકળી ગયો હતો..
અને તેઓ ઉલટી કરી બેઠા હતા હકીકતમાં જ્યારે તપાસ કરી તેઓ ખીચડી કઢીની આ પ્લેટ અંદરથી એક મરેલી ગરોળી મળી આવી હતી. આ ગરોળીને જોતા જ રાકેશભાઈએ પિત્તો ગુમાવી દીધો અને ઢાબાના માલિકને બરાબરનો ખખડાવી નાખ્યો હતો. આ ઘટનાને લઈને તેઓએ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી..
આ ઉપરાંત ઢાબા ઉપર જમતા કેટલાક અન્ય વ્યક્તિઓ પણ પોતાના ખોરાક અધુરો મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા, કારણ કે આ મરેલી ગરોળી જેવી ચીજ વસ્તુ ખોરાકમાં ભળી જવાને કારણે કોઈ વખત ફૂડ પોઈઝનીંગ પણ થઈ જાય છે અને આ ફૂડિં પોઈઝનીંગ ઘણી બધી વાર વ્યક્તિઓના જીવ પણ લઈ લેતા હોય છે..
આ ગરોળી વાળી ખીચડી ઘણા બધા લોકોએ ખાઈ લીધી હતી, આ તમામ લોકોને એક પછી એક માહિતી પહોંચાડવામાં આવી હતી કે, આ ખીચડીમાં મરેલી ગરોળી મળી આવી છે. તાત્કાલિક ધોરણે હોસ્પિટલે સારવાર લઈ લેવી જોઈએ નહીં તો ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતા રહેલી છે. અધિકારીઓ તાબડતો અહી દોડતા આવ્યા હતા અને ઢાબા માલિકને બરાબરનો ઠપકો આપીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને અખાદ્ય તમામ ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]