અત્યારના સમયમાં પરિવારના લોકો સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બનતી ગંભીર ઘટનાઓને કારણે પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે. આવી જ એકસાથે ઘણા બધા પરિવારે પોતાના અંગત વ્યક્તિઓને ગુમાવ્યાની ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના બિહારના છપરા ગામમાં બની હતી. એકસાથે ઘણા બધા પરિવારના વ્યક્તિઓએ પોતાના કરુણ જીવ ગુમાવ્યા હતા. છપરા ગામના લોકો દરરોજ સાંજે દારૂના અડ્ડે દારૂ પીવા માટે જતા હતા. પરિવારના યુવકો રોજની કમાણીમાંથી દરરોજ નશો કરતા પરંતુ એક દિવસ આ દારૂના અડ્ડામાં નકલી દારૂ આવી ગયો હતો.
અને આ દારૂ એક ગામના ઘણા બધા યુવકોએ પીધો હતો. દારૂ પીતા જ યુવકોની તબિયત બગડવા લાગી હતી. યુવકો પોતાના ઘરે નશો કરીને પહોંચ્યા એટલી જ વારમાં તેઓની તબિયત બગડવા લાગી, જેના કારણે ગામના લોકો તરત જ 4 યુવકોને એકસાથે હોસ્પિટલ લઈ ગયા હતા. ચારેય પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.
હોસ્પિટલમાં લઈ જઈને તેઓની સારવાર ચાલુ કરાવવામાં આવી હતી. તે સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ યુવકોએ ઝેરી નશો કર્યો છે. જેના કારણે તેઓની તબિયત બગડી છે. આ દર્દીઓનો અચાનક શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. ચક્કર પણ આવી રહ્યા હતા અને બેચેની પણ થઈ રહી હતી.
જેના કારણે તેઓ હોસ્પિટલમાં બૂમ કરી રહ્યા હતા. ત્યારબાદ સવાર થતાં એક સાથે ઘણા બધા ગામના યુવકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે યુવકોએ સાંજે ઝેરી દેશી દારૂ પીધો હતો. તે યુવકો હોસ્પિટલ પહોંચ્યા અને દરેકની સારવાર કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ વધી ગયા કે હોસ્પિટલના જગ્યા પણ ઓછી પડી રહી હતી.
અને ડોક્ટરો પણ ખૂબ જ દોડાદોડી કરી રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની બાજુમાં પોલીસ સ્ટેશન હોવાને કારણે ઘણા બધા વ્યક્તિઓએ પોલીસની બીકને કારણે હોસ્પિટલ દાખલ થયા ન હતા. જેના કારણે તેઓએ ઘરે જ દેશી ઈલાજો ચાલુ કર્યા હતા પરંતુ સ્થિતિ ખૂબ જ કાબુ બહાર જવા લાગી અને તેઓને પણ હોસ્પિટલ આવું પડ્યું હતું.
હોસ્પિટલ પણ ઘણા બધા દર્દીઓ દાખલ હતા. તેઓનું એક જ દિવસમાં રાત થતાં જ મૃત્યુ થવા લાગ્યું હતું. સ્થિતિ ખૂબ જ બેકાબૂ બનવા લાગી જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી અને આ નસીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. તેની તપાસ ચાલી રહી હતી.
તે સિવાય પોલીસને જાણવા મળ્યું હતું કે મશરાગ શહેરના ત્રણ કિલોમીટર દૂરથી નકલી દારૂ લાવવામાં આવ્યો હતો અને આ દારૂ ઘણા બધા વ્યક્તિઓએ પીધો હતો જે વ્યક્તિઓએ પીધો હતો તેમની હાલત ખૂબ જ ખરાબ બનતી ગઈ હતી. દારૂ પીવાને કારણે એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓ અને ગામના યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
પરિવાર ખૂબ જ રડી રહ્યું હતું. પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. તેમના આધાર સ્તંભ નું અચાનક આવી રીતે મૃત્યુ થઈ જતા પરિવારના લોકોનું શું થશે તેમ વિચારીને તેઓ ખૂબ જ રડી રહ્યા હતા. પોલીસ પણ દારૂના અડ્ડે તપાસ કરવા માટે દરોડા પાડી રહી હતી. અને ઘણા બધા વ્યક્તિઓએ પોતાના પરિવારના યુવકોને ઘરે જ અગ્નિસંસ્કાર કર્યા હતા.
એક સાથે 29 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને એક જ દિવસમાં બે ડજનથી વધુ લોકોના મોત પણ થઈ ગયા હતા. આજકાલ આવી કરુણ ઘટનાઓ ખૂબ જ બની રહી છે, જેના કારણે એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવતા તેમના બાળકો અને તેમની પત્નીઓ નિરાધાર બની જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]