જુદા-જુદા વિસ્તારોમાંથી વાહન ચાલકોની ગંભીર બેદરકારીને કારણે કેટલાય નિર્દોષો કાળનો કોળિયો બની જતા હોય તેવી ઘણી બધી ઘટના પાછળના સમયમાં સામે આવી ચૂકી છે, અત્યારે વધુ એક હચમચાવી દેતો કાળમુખો અકસ્માત સર્જાયો છે, જેમાં માત્ર નવ વર્ષની એક દીકરી ઉપર ડમ્પર ચડી જતા તેનું શરીર કચડાય ગયું હતું..
જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર રોડ લોહી લુહાણ થઈ ગયો હતો, જે લોકો આ દ્રશ્ય પોતાની નજર સામે જોયું છે. તેમના મોઢામાંથી ચીખો ફાટી ગઈ હતી અને તેમના રુવાડા પણ બેઠા થઈ ગયા હતા, આ બનાવો આપીસી ગામથી થોડે દૂર આવેલા એક્સપ્રેસ હાઈવેનો છે. હાઈવેની નજીક રહેલા શહેરમાં ગિરધરભાઈ નામના એક વડીલ વ્યક્તિને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા..
ગિરધરભાઈને શ્વાસની તકલીફ હોવાને કારણે તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, જ્યારે આ શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં ગિરધરભાઈ તેમના પરિવારજનોની સાથે રહેતા હતા. ગિરધરભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી પરિવારના મોટાભાગના સભ્યો તેમની સાથે હોસ્પિટલમાં હાજર હતા..
એ વખતે ગિરધરભાઈના દીકરાની વહુએ ઘરે રસોઈ બનાવીને ટિફિન બનાવી દીધા બાદ નવ વર્ષની દીકરી પ્રિયાંશીને જણાવ્યું કે, તારે આ ટિફિન હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાનું છે. બિચારી આ નવ વર્ષની દીકરી તેના દાદા માટે હોસ્પિટલ એ ટિફિન લઈને જતી હતી અને રસ્તામાં કાળમુખા ડમ્પરે આ દીકરીને અડફેટે લઈને કચડી નાખી હતી..
આ હાઇવે ઉપરથી ચાલીને પસાર થતા કેટલાક લોકો બિચારી દીકરીને બચાવવા માટે તેની પાસે પહોંચે એ પહેલા તો તેના શરીર ઉપર થી ડમ્પરના ટાયર ફરી ગયા હતા અને બીચારી આ દીકરીનો જીવ ત્યાંને ત્યાં જ ચાલ્યો ગયો હતો, આ દીકરી કોણ છે તેની કોઈ પણ વ્યક્તિને ખબર હતી નહીં..
જ્યારે બે કલાકનો સમય વીતી ગયો છતાં પણ નવ વર્ષની પ્રિયાંશી હોસ્પિટલે ન પહોંચી ત્યારે પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને હાઇવે પાસે પહોંચતાની સાથે જ તેમને ખબર પડી કે, તેમની દીકરીનું મૃત્યુ થયું છે. અને કાળમુખા ડમ્પરએ તેને અડફેટે લઈ લેવાને કારણે બિચારી આ દીકરીનો જીવ ચાલ્યો ગયો છે..
તો બીજી બાજુ સમાચાર આવ્યા કે, હોસ્પિટલમાં રહેલા ગિરધર દાદાનું પણ મૃત્યુ થઈ ગયું છે. એક બાજુ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું તો એ બીજી બાજુ આ દાદા માટે ટિફિન લઈને ઘરેથી આવતી નવ વર્ષની દીકરીનું પણ મૃત્યુ થઈ જતા પરિવારજનોની માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા..
ઉપરાઉપરી દુઃખો ફાટી નીકળવાને કારણે પરિવારમાં પણ રોકકળ મચી ગયો હતો. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, ભગવાને આ પરિવાર ઉપર ખૂબ જ મોટી કઠણાઈ નાખી છે, એક સાથે બે બે વ્યક્તિઓના મૃત્યુનો આઘાત પરિવારના કોઈ સભ્ય સહન કરી શક્યા નથી..
તમામ લોકો દુઃખના ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમને સાથ સહકાર પૂરો પાડવા માટે ગામના ઘણા બધા લોકો તેમના ઘર સુધી પહોંચી આવ્યા હતા, આ દર્દનાક બનાવને લઈ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, હકીકતમાં જ્યારે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ચારેકોર ફફડાટનો માહોલ સર્જાઈ જતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]