અત્યારના સમયમાં કોઈ પણ લોકો જરા પણ રાહ જોઈ શકતા નથી કે ધીરજ રાખી રહ્યા નથી. લોકો પોતાના જ પરિવારના વ્યક્તિઓ સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં લુધિયાણાના માછીવાડા નગર વિસ્તારમાં આવેલા સિકંદરપુર ગામમાં રહેતા પરિવાર સાથે બની છે .પરિવારમાં પતિ-પત્ની અને તેમની માસુમ દિકરી રહેતા હતા.
પત્નીનું નામ મુસ્કાન હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી. તેમના પતિનું નામ રાજસિંહ હતું. તે બંનેને સંતાનમાં એક વર્ષની દીકરી છે. બંને પતિ-પત્નીના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. તેઓ પહેલા માછીવાડામાં ભાડાના મકાન રાખીને રહેતા હતા. રાજસિંહ પોતાની દુકાન ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
રાજસિંહ 2 વર્ષ પહેલાં દિલ્હીમાં રહેતી મુસ્કાન સાથે લગ્ન કરીને તેમની સાથે જીવન જીવી રહ્યા હતા અને તેમની 1 વર્ષની માસુમ દિકરી તેમની લાડકી દીકરી હતી. રાજસિંહને પોતાની દુકાન બરાબર ચાલતી ન હોવાને કારણે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા પરંતુ ખૂબ જ ખર્ચ થતો હોવાને કારણે તેઓ ભાડાનું મકાન મુકીને પાંચ દિવસ પહેલા જ તેમના મૂળ ગામ સિકંદરપુરમાં રહેવા આવી ગયા હતા.
મુસ્કાન અને રાજસિંહની લગ્નની એનિવર્સરી હતી. તે બંનેના લગ્ન થયા તેને સંપૂર્ણ બે વર્ષ થયા હતા. જેના કારણે મુસ્કાન ખૂબ જ ખુશ હતી. તે પોતાના પતિની આવવાની રાહ જોઈ રહી હતી. તેણે પોતાના ઘરને પણ ખૂબ જ સુંદર રીતે શણગાર્યું હતું. રાજસિંહનો નાનોભાઈ અમરસિંહ સાંજના સમયે રાજસિંહના ઘરે ગયો હતો.
અમરસિંહ શરાબી હતો. તેના લગ્ન મુસ્કાનની મિત્ર સાથે જ થયા હતા. એક વર્ષ પહેલા અમરસિંહના લગ્ન મુસ્કાનની મિત્ર સાથે થયા હતા. પરંતુ અમરસિંહની પત્ની તેમને છ મહિનાથી મૂકીને જતી રહી હતી અને તે અલગ રહેવા લાગી હતી. અમરસિંહ ધંધો ન કરતો હોવાને કારણે અને ખૂબ જ વ્યસની હોવાને લીધે તેમની પત્ની તેને છોડીને જતી રહી હતી.
પરંતુ અમરસિંહને લાગી રહ્યું હતું કે મુસ્કાને તેમની પત્નીને ચડાવી છે. જેના કારણે તે ઘર મૂકીને જતી રહી છે. અમરસિંહને આ વાત પર શંકા હતી. જેના કારણે તે મુસ્કાન સાથે બદલો લેવા માગતો હતો. મુસ્કાનના લગ્નની એનિવર્સરીના દિવસે તે સાંજે મુસ્કાનના ઘરે ગયો હતો. અને તેમણે બેલ માર્યો હતો. પરંતુ મુસ્કાન ઘર શણગારતી હોવાને કારણે તેને દરવાજો ખોલવામાં સમય લાગ્યો હતો.
ત્યારબાદ મુસ્કાને દરવાજો ખોલતા અમરસિંહે તેમની સાથે ઝઘડો કર્યો હતો. પોતાની ભાભીને તેણે ગમે તેવા શબ્દો કહ્યા હતા અને ગુસ્સામાં આવીને તેણે પોતાના ખીચામાંથી ધારદાર હથિયાર કાઢ્યું હતું અને તેમની તેમની ભાભી મુસ્કાન પર હુમલો કરી દીધો હતો. મુસ્કાન લોહી લુહાર હાલતમાં જમીન પર પડી ગઈ હતી.
અને તેમની એક વર્ષની માસુમ દિકરી અવાજ થવાને કારણે જાગી ગઈ અને તે રડવા લાગી હતી. ત્યારબાદ અમરસિંહ મુસ્કાન પર હુમલો કર્યો તેનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો તેણે પોતાના મિત્ર જતીનદર સિંહને મોકલ્યો હતો. ત્યારબાદ અમરસિંહે એવું કરી નાખ્યું કે કાયમ માટે રાજસિહ તેમની પત્નીને શોધતો રહી ગયો હતો.
અમરસિંહે રાજસિંહની એક વર્ષની દીકરીને પાડોશીના લોકોને સોંપી દીધી હતી. તે થોડા સમય પછી પરત આવશે ત્યારે દીકરીને લઈ જશે. તેમ કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ જતીનદર સિંહને મોકલેલો વિડીયો જતીનદરસિંહે રાજસિંહને મોકલ્યો મોકલ્યો હતો. જેના કારણે રાજસિંહ પોતાની દુકાન પર હતા.
ત્યારે તેમણે આ વિડીયો જોઈને તરત જ તેઓ ઉઘાડા પગે દોડવા લાગ્યા અને પોતાના ઘરે ફટાફટ પહોંચ્યા હતા. ત્યારે તેમને જોયું તો તેમની દીકરી અને તેમની પત્ની ઘરે ન હતા. જેના કારણે તેમણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના પહોંચી હતી. અને રાજસિંહે જણાવ્યું હતું કે તેમના ભાઈએ તેમની પત્ની પર હુમલો કર્યો છે.
જેના કારણે તેમની પત્ની અને દીકરી ગાયબ છે ત્યારબાદ અમરસિંહ ભાગવા લાગ્યો હતો. જેના કારણે પોલીસે આસપાસના વિસ્તારમાં હોવાને કારણે અમરસિંહને પકડી લીધો હતો અને તેમની કડક પુછપરછ ચાલુ કરી હતી. તે સમયે અમરસિંહ જણાવી દીધું હતું કે તેમના પાડોશીના લોકોના ઘરે દીકરીને મૂકી દીધી છે.
અને મુસ્કાનને મારી નાખીને તેમના મૃતદેહને બોરીમાં ભરીને ખેતરમાં ફેંકી આવ્યો છે. જેના કારણે પોલીસે ખેતરમાં જઈને તપાસ ચાલુ કરી હતી. તે સમયે બોરીમાંથી મુસ્કાનનો મૃતદેહ જોતા જ રાજસિંહ બેહોશ થઈને ઢળી પડ્યો હતો. તે આઘાત સહન કરી શક્યો નહીં અને તેમની એક વર્ષની દીકરીએ પણ પોતાની માતાની મમતા ગુમાવી હતી.
દીકરીને જોઈને પણ રાજસિંહ ખૂબ જ રડી રહ્યો હતો. અમરસિંહ નશાની હાલતમાં તેમની ભાભી સાથે આવી ઘટના કરી નાખી હતી અને રાજસિંહના લગ્નના એનિવર્સરીના દિવસે જ તેમના ભાઈએ તેમની પત્નીને પોતાની પાસેથી છીનવી લીધી હતી. આ વિચારીને તે ખૂબ જ રડી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ અમરસિંહની આગળની પૂછપરછ કરી રહ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]