Breaking News

દારુ ઢીંચીને ટલ્લી થયેલો યુવક ઘરે આવીને મચ્છર મારવાનો સ્પ્રે પીઈ ગયો, અને પછી તો જે થયું તે જાણીને પરિવારને મોઢે ફીણ આવી ગયા..!

આજકાલના યુવાધન કઈ તરફ જઈ રહ્યું હોય તેનું કોઈ ચોક્કસ તથ્ય નીકળી શકતું નથી. ઘણા બધા લોકો કંઈક નવીન ચીજ વસ્તુઓમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે અને ઉતરોતર પ્રગતિ કરીને પરિવાર તેમજ સમાજની આગવી ઓળખ આપી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો કામ ધંધો કે, કોઈ નવી ચીજ વસ્તુ કરવાની બદલે ખરાબ સંગતમાં આવી જઈને નશાકારક ચીજ વસ્તુઓના રવાડે ચડી જાય છે..

અને તેમની જિંદગી બરબાદ થઈ જતી હોય છે. રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તાર પાસેથી એક હચમચાવી દેતી ઘટના બની જવા પામી છે. જેમાં માત્ર 25 વર્ષની ઉંમરમાં એક યુવક મૃત્યુ પામી ગયો હતો. આ ઘટના શ્રીગંગાનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષના દેશરાજ નામના યુવક સાથે બની છે..

દેશરાજ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ આગળનો અભ્યાસ ન કરવાની ઈચ્છા રાખીને તેના મિત્રો સાથે રખડપટ્ટી કરવા લાગ્યો હતો. તેના અન્ય મિત્રો પણ એવી ખરાબ કોઈ સંગત ધરાવતા હતા કે, આ સંગતમાં અને સંગતમાં જ દેશરાજ પણ નશાકારક ચીજ વસ્તુઓ નું સેવન કરવા લાગ્યો હતો..

જ્યારે તેના પરિવારજનોને ખબર પડી કે, તેમનો દીકરો ખૂબ જ ઊંધી લાઈન ઉપર ચાલી રહ્યો છે. ત્યારે તેઓએ તેમના દીકરાને સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે એ વખતે દેશ આજે ફરી ક્યારે આ ઘટનાની અંદર તે સામેલ નહીં થાય તેવું જણાવ્યું હતું. પરંતુ તેણે નશો કરવાનો શરૂ રાખ્યું હતું..

એક દિવસ તે એટલો બધો નશો કરીને ઘરે આવ્યો હતો કે, સમગ્ર ભાન અને અક્કલ ભૂલાવી બેઠો હતો, તે ઘરે આવ્યા બાદ સૂઈ જવાને બદલે ત્યાં રસોડા પાસે પડેલા મચ્છર મારવાનો સ્પ્રે પોતાના મોઢામાં નાખ્યો અને સ્પ્રેનું મોઢું દબાવી દેતા આ તમામ સ્પ્રે તેના મોઢામાં ચાલ્યો ગયો હતો અને ટૂંક સમયમાં જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી..

તેમજ તરફડિયા મારીને તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે પરિવાર સવારે જાગ્યો ત્યારે તેને જોયું તો દેશરાજ જમીન ઉપર નીચે ઢળી પડેલો હતો અને તેની પાસે મચ્છર મારવાનો સ્પ્રે પણ પડ્યો હતો. સૌ કોઈ લોકો સમજી ગયા કે, દેશરાજ સાથે ખૂબ જ ખોટી ઘટના બની ગઈ છે. તેવો તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા..

જ્યાં ડોક્ટરએ તેને મૃત જાહેર કરી દીધો હતો અને આગામી તપાસ કરતાં જણાવ્યું કે, દારૂના નશાની અંદર ધુત થયેલા દેશરાજએ મચ્છર મારવાનો સ્પ્રે પોતાના મોઢામાં અને શ્વાસનળીમાં ફસાઈ જવાને કારણે શરીરની અંદર ઇન્ફેક્શન જામી ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ પડતા જ તેનું મૃત્યુ થઈ ગયું છે..

મૃત્યુ થયા બાદ તેનો પરિવાર હવે પછી રહ્યો છે. સમાજના અન્ય સભ્યો કહી રહ્યા છે કે, જો દેશરાજના પરિવારજનોએ થોડી ઘણી મદદ કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો આવે જ નહીં. આ ઘટનાને પરિવાર જોડને મોઢે ફીણ આવી ગયા છે. અને તેઓ સતત અને સતત વિચારવા લાગે છે કે, કદાચ તેઓએ તેમના દીકરાને પકડી પકડીને સમજાવી હોત..

અને આ બધી ઘટનાઓથી દૂર રાખવ્યો હોત તો આજે તે ખૂબ જ સારી હાલતમાં તેમની સામે જીવિત હોત. વ્યસન અને નશાકારક ચીજ વસ્તુઓ મોટા મોટા વ્યક્તિઓને બરબાદ કરી નાખે છે. જેમાં આજે 25 વર્ષનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. દરેક મા-બાપને પરિવારજનો યુવક યુવતીઓને બેસાડીને સારી સારી વાતો શીખવી જોઈએ અને વ્યસન તેમજ વ્યસન કરતા લોકોથી હંમેશા દૂર રહેવા માટે જણાવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *