કયા વ્યક્તિની માથે મોત ઉડતું આવી ફરે તેનું નક્કી હોતું નથી, એટલે જ તો લોકો કહે છે કે, આપણે જે પણ પરિસ્થિતિની અંદર હોઈએ તે પરિસ્થિતિની અંદર ખૂબ જ મોજ મોજા અને રાજી ખુશીથી જીવન જીવી લેવું જોઈએ કારણ કે, આવનારી મિનિટમાં આપણી સાથે શું થવાનું છે તેની કોઈ પણ આપણને ખબર રહેતી નથી..
અત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા 55 વર્ષના સુરેન્દ્ર કુમાર દીક્ષિત નામના યુવકો સાથે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે, બિચારા સુરેન્દ્ર કુમાર તેના મિત્રોની સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમની સેલિબ્રેટ કરી રહ્યા હતા, એ વખતે અન્ય મિત્રોની સાથે તે ડાન્સ કરતા હતા અને અચાનક જ તેઓ નીચે ઢળી ગયા અને માત્ર બે સેકન્ડમાં કાળનો કાગડો તેમનો માથે આવીને બેસી ગયો..
અને તેમનો જીવ ચાલ્યો ગયો હતો, ભોપાલમાં છેલ્લા ચાર દિવસથી ડાક વિભાગના અધિકારીઓની વચ્ચે હોકીની ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી, જ્યાં હોકીના સ્ટેડિયમની અંદર તેની ફાઈનલ મેચ પણ રમવાની હતી, એ વખતે કાર્યાલયના પરિસરમાં જ આ સંસ્કૃતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો..
જ્યાં દરેક મિત્રો સુરેન્દ્ર કુમાર દીક્ષિતની સાથે મોજ મજા કરી રહ્યા હતા, એ વખતે અચાનક જ સુરેન્દ્ર કુમાર નીચે ઢાળી પડ્યા તેઓ જ્યારે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેઓએ અપની તો જેસે તેસે કટ જાયેગી, આપકા ક્યા હોગા જનાબે આલી વગેરે જેવા ગીત ઉપર ડાન્સ કર્યો હતો અને તેઓ જ્યારે બસ આજ કી રાત હૈ જિંદગી કલ હમ કહા તુમ કહા ઉપર ડાન્સ કરતા હતા..
એ વખતે તરત જ તેઓ નીચે ઢાળી પડ્યા અને માત્ર બે સેકન્ડની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની સાથે રહેલા ઘણા બધા લોકો તેમને ઉઠાવવા માટે કોશિશ કરતા રહ્યા પરંતુ મારે આંખો ખોલી નહીં તાત્કાલિક તેમને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેના ડોક્ટરે સારવાર દરમિયાન જણાવ્યું કે, સુરેન્દ્રનગરનું મૃત્યુ થઈ ચૂક્યું છે..
આ દુઃખદ બનાવીને લઈને તમામ અધિકારીઓમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. તેમજ સુરેન્દ્રનગરના પરિવારજનો માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, સુરેન્દ્રકુમાર મધ્યપ્રદેશના ડાક પરિમંડળ કાર્યાલયમા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના મૃત્યુ બાદ સમગ્ર અધિકારીઓ માં ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો. ડોક્ટર જણાવ્યું કે સુરેન્દ્રનગરનું હૃદય રોગનો હુમલો આવવાને કારણે મૃત્યુ થયું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]