Breaking News

દહેજના ભૂખ્યા સાસરીયાએ પરણીતાનો જીવ ખાધો, ‘2 લાખ લેતી આવજે નહીતો…’ કહીને આપતા રોજ ત્રાસ અને એક દિવસ..!

દહેજ માંગવાનું ધીમે ધીમે ઓછું થયું છે પરતું હજી પણ કોઈ અંતરિયાળ ગામોમાં આ પ્રથા ચાલતી આવે છે, હવે ક્યારે દહેજ જેવા મોટા દુષણને લોકો નકારી કાઢી આ પ્રથાને નાબુદ કરી દેશે તેના પર સૌ કોઈ વિચારી રહ્યા છે. દહેજ આપી આપીને દીકરીના પિતા તૂટી જતા હોઈ છે છતાં પણ કેટલીક વાર સામે પક્ષના માંગો ઓછી થતી ન હોઈ..

અને અંતે કંટાળી જઈને ન ભરવાના પગલા પણ લોકો ભરવા લાગ્યા છે. અત્યારે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં દહેજના ભૂખ્યા સાસરીયાઓએ તેની વહુનો જીવ ખાધો છે. ખાખરેરુ પોલીસ સ્ટેશન વિસ્તારના આલમપુર ગોરિયા ગામની રહેવાસી સોનુભાઈની 21 વર્ષીય પત્ની મનીષા રોજ રોજની માથાકૂટથી થાકી ગઈ અને એક દિવસ જીવ ટૂંકાવી દીધો છે.

જ્યારે આ બનાવની જાણ તેના માતા પિતાએન થઈ ત્યારે તેઓ ખુબ જ ભાંગી પડ્યા હતા. આ મહિલાની લાશ રૂમની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી. મહિલાના પતિએ જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે આ મહિલાની લાશને નીચે ઉતારીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

મહિલાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોએ સાસરિયાઓ પર તેમની દીકરીનો જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે મામલો સવારે વહેલા બન્યો હતો. મહિલાના પિતાનું કહેવું છે કે, દીકરીના સાસરિયાઓ દહેજની માંગણી કરતા હતા.

2 વર્ષ પહેલા અમે અમારી દીકરીના લગ્ન દહેજ આપીને કર્યા હતા. તે પછી પણ પરિવાર પાસેથી સતત 2 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી. પૈસા ન આપવા પર તે લોકો મારી દીકરીને મારતા હતા. આ સાથે સાથે કહેતા કે તું દહેજ માટે 2 લાખ લઈને આવજે બાકી ઘરમાં પગ ન મુક્તિ.

આ સાસરીયાના જ લોકોએ તેમની દીકરીનો જીવ લીધો છે. તેનું ગળું દાબી દીધી હશે અને પછી તેના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હશે એવો આરોપ દીકરીના પિતાએ દીકરીના સાસરીયાવાળા ઉપર કર્યો છે. પોલીસને પણ તેઓએ જાણ કરી હતી. પિતાનો આરોપ છે કે પુત્રીના લગ્ન 9 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા.

દોઢ વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. ત્યારથી આ લોકો દહેજમાં બે લાખ રૂપિયાની માંગ કરવા લાગ્યા. જો માંગ પૂરી ન થાય તો તેનો રસ્તો ખાલી કરવામાં આવ્યો છે. આ કેસમાં સ્ટેશન ઈન્ચાર્જ બ્રજેશ સિંહે કહ્યું કે મહિલાનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *