હજુ પણ સમાજમાં ઘણા બધા લોકો નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. તેઓ ઘણી અસામાજીક પ્રવૃત્તિઓમાં માની રહ્યા હોય છે, જેના કારણે દહેજ અને મહિલાઓ સાથે અત્યાચાર જેવી ઘટનાઓ કરી રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ બનતી જોવા અને સંભાળવા મળી રહી છે. બાળકીથી લઈને મહિલાઓ સાથે આવી ઘટનાઓ બનતા તેઓ પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે.
આવો જ એક બનાવ હાલમાં સામે આવ્યો હતો. આ બનાવ દિહૌલી પોલીસ વિસ્તારમાં બન્યો હતો. ગોપાલપુરા ગામમાં પરિવારની વહુ સાથે ખૂબ જ કરુણ ઘટના બની ગઈ હતી. જે જોઈને સૌ કોઈ લોકો આઘાતમાં આવી ગયા હતા. ગોપાલપુરા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં દીકરાના લગ્ન આગરા જિલ્લામાં રહેતા પરિવારની દીકરી સાથે થયા હતા.
પરિવારના બેતાલ સિંહની દિકરી માલતી સાથે 8 મહિના પહેલા લગ્ન થયા હતા. માલતીના પતિનું નામ લક્ષ્મીનારાયણ હતું. તે લગ્ન પછી પોતાના સાસરે ગોપાલપુરા ગામમાં રહેવા આવી ગઈ હતી. તે પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી પરંતુ પરિવારના લોકો લગ્નના થોડા મહિના બાદ માલતીને હેરાન પરેશાન કરવા લાગ્યા હતા.
તેઓ અવારનવાર માલતીને પોતાના પિયરથી કશું પણ ન લાવ્યાનું સંભળાવી રહ્યા હતા અને અવારનવાર ત્રાસ આપતા હતા, જેના કારણે માલતી ખૂબ જ કંટાળી ગઈ હતી. તેણે પોતાના પિતાને પણ આ ઘટનાની જાણ કરી હતી પરંતુ પિતાએ તેને મનાવીને ફરી સાસરે મોકલી હતી. થોડા સમય બાદ માલતી પોતાના રૂમમાં સજના સમયે સુતી હતી.
પરંતુ સવારના સમયે માલતી પોતાના ઘરની બહાર જમીન પર પડેલી જોવા મળી રહી હતી, જેના કારણે ગામના આસપાસના લોકોએ ત્યાંથી પસાર થતા તેને માલતીને જોય અને તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી, પરિવાર ઘરની બહાર પહોંચ્યું ત્યારે તેમણે જોયું તો માલતી સાંજના સમયે પોતાના ઘરની અગાસી પરથી નીચે પડી ગઈ હતી.
માલતીનો પતિ લક્ષ્મીનારાયણ તેને હોસ્પિટલ લઈ ગયો પરંતુ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તપાસ કર્યા બાદ માલતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ ડોક્ટરોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે દિહૌલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ માલતીના સાસરિયાઓએ માલતીના પિતા બેતાલ સિંહને આ ઘટનાની જાણ કરી પિયરના લોકો પણ સાસર આવ્યા હતા અને બેતાલ સિંહને માલતીના સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માલતીને દહેજના નામે અવારનવાર ત્રાસ આપી રહ્યા હતા.
અને માલતીની સાથે સાસરીયાના લોકોએ જ કરુણ ઘટના કાઢી નાખ્યાનું જણાવ્યું હતું. માલતીને અગાસી પરથી ધક્કો મારીને ફેંકી દેવામાં આવી હોવાની આશંકા તેના પિતાએ પોલીસને વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]