જ્યારે જીવનની અંતિમ ઘડી આવી પહોંચે છે. ત્યારે માણસ પોતાના મનમાં રહેલી તમામ અંતિમ વાતોને પોતાના દીકરા કે દીકરીઓને જણાવે છે. એવી જ રીતે ગિરધરભાઈ નામના એક વડીલ દાદાનું મૃત્યુનો સમય નજીક આવી ગયો હતો. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર લેતા હતા..
તેમને હોસ્પિટલમાંથી છેલ્લા અઠવાડિયામાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ઘરે પથારીવશ હતા. તેમની તબિયત ખૂબ જ બગડવા લાગી હતી. ત્યારે ગિરધરભાઈ નામના દાદાએ તેમના દીકરાને દીકરીને પોતાની પાસે બોલાવ્યા હતા અને કહ્યું કે મારા મૃત્યુ બાદ તમે આપડી વાડીમાં કપાસની વચ્ચે ઉપરના શેઢા પાસે ખોદશો તો તમે સુખી થઈ જશો..
બસ એટલો જ શબ્દ બોલીને દાદાનો જીવ શરીરમાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ પૂર્ણ કરી દીધી હતી. પરંતુ દાદાએ કીધેલા અંતિમ શબ્દો પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિના મનમાંથી બહાર નીકળ્યા નહીં. તેઓ વારંવાર વિચાર કરવા લાગે કે દાદાએ શા માટે ખોદકામ કરવાનું કહ્યું હતું..
દાદાની આ વાતને ધ્યાને લઈને પરિવારજનો તાબડતોબ ચાલીને પોતાને ખેતરે પહોંચી ગયા હતા. ત્યાં તેઓએ ખેતરમાં પ્રવેશ કરીને દાદાએ કીધું હતું એ જગ્યાએ ખોદવાની શરૂ કરી હતી. થોડુક ખોદકામ કરતાની સાથે જ અંદરથી જે ચીજ વસ્તુ મળી તે જોઈને સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા.
આ ખાડાની અંદરથી એક માટીનો ઘડો મળી આવ્યો હતો. આ ઘડાની અંદર જોયું તો કાપડની અંદર વીંટાળેલા સોનાના સિક્કા તેમજ સોનાના દાગીના મળી આવ્યા હતા. બસ આ ખજાનો જોઈને જ પરિવાર સમજી ગયો કે, દાદાએ જે વાક્યો કીધા હતા. એ વાક્ય બિલકુલ સત્ય છે. દાદાએ કીધું હતું કે તમે આપડા ખેતરમાં ખોદશો તો તમે સુખી થઈ જશો..
અને હકીકતમાં આ ખેતરમાં ખોદકામ કરતા જ આ ખજાનો મળી આવ્યો હતો. ખજાનાની કિંમત એટલી બધી છે કે, આપણો પરિવાર સંપતિ ટકે ખૂબ જ સુખી થઈ જશે. ગિરધર દાદાના ત્રણેય દીકરા અને બે બહેનો એમ મળીને કુલ પાંચ ભાગોમાં આ સંપત્તિને વહેચી દેવામાં આવી હતી. આવી ઘટનાઓ ખૂબ જ ઓછા ભાગે બનતી હોય છે.
અમુક વખત જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે તેમણે લખેલી ચિઠ્ઠીઓ વાંચ્યા બાદ તેઓ કઈ કઈ જગ્યાએ પોતાની સંપત્તિ છોડીને ગયા છે. તેની જાણકારી મળી આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં જ્યારે ગિરધર દાદા અંતિમ શ્વાસ લેતા હતા. ત્યારે જ તેઓએ જણાવી દીધું હતું કે આ આપડા ખેતરમાંથી જ તમારા સુખની ચાવી તમને મળી રહેશે.
એ મુજબ અત્યારે પરિવાર ખજાનો મળતાની સાથે જ ખૂબ જ રાજીનો રેડ થઈ ગયો છે. આગળ પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ જ્યારે કોઈ વડીલ વ્યક્તિના દીકરા કે દીકરીઓ આટલી બધી મોંઘી કિંમતના ખજાનાઓ જુએ છે. ત્યારે તેમના મનમાં લાલચ અનુભવાય છે અને સગા ભાઈઓમાં પણ ખૂબ જ મોટા ઝઘડાઓ થઈ જતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]