અત્યારે ભલભલા લોકોના ટાંટીયા ધ્રુજી જાય એવી ઘટના બની છે. આ ધટના સામે આવતા જ સૌ કોઈ લોકોના કાળજા ધમધમી ગયા છે. આ બનાવ ઉમરીખેડા કાંકર વિસ્તારનો છે. ગણેશધામ કોલોનીમાં રહેતો એક પરિવાર 8 દિવસ પહેલા જ ઉમરીખેડા કાંકરમાં રહેવા આવ્યો હતો.
પરિવારમાં પતિ-પત્ની અને તેમના સંતાનો રહેતા હતા. સંતાનોમાં 2 પુત્રો હતા. જેમાંથી મોટા દીકરાનું નામ પ્રશાંત હતું. પ્રશાંતની ઉમ્ર 19 વર્ષની હતી. પરીવારના મોભીનું નામ બબલુ હતું. બબલુની ઉમર 40 વર્ષની હતી. તેમના નાના દીકરાનું નામ ધ્રુવ હતું. પ્રશાંત પહેલેથી જ ખુબ જ ખોટા વ્યસન ધરાવતો હતો.
પરિવાર સારી રીતે રેહતો હતો પરંતુ થોડા દિવસોથી પતિ-પત્ની વચ્ચે આવારનવાર ઝઘડા ચાલતા હતા. ઝઘડાઓ બનતા સુનીતાનો પતિ ઉશ્કેરાઈ જઈને સુનીતાને રોજ માર મારતો હતો. જેનાથી સુનીતા ખુબ જ કંટાળી ગઈ હતી. તે માનસિક અને શારીરિક રીતે ત્રાસી ગઈ હતી. સુનીતા એ વખતે રિઝવાન નામના 35 વર્ષના યુવક સાથે સંપર્કમાં આવી હતી.
સુનીતાએ એક દિવસ પોતાના ઘરે જમવામાં દાળ-બાટી બનાવી હતી. જ્યારે તેણે બબલુને ખુબ જ લાડ પ્રેમીથી દાળબાટી ખાધી. તેને દાળબાટી ખુબ જ ભાવતી હોવાથી અવારનવાર સુનીતા તેને દાળ બાટી બનાવી દેતી હતી. પરતું આ વખતે પત્નીના હાથની દાળબાટી ખાતા જ બબલુ ભાન ભૂલવા લાગ્યો હતો.
અને ઘડીક વારમાં તો બબલુ બેહોશ પણ થઈ ગયો હતો. ત્યારબાદ સુનીતાએ રિઝવાને બોલાવ્યો અને બબલુનું ગળું દબાવીને મોતને ઘાટ પણ ઉતારી દીધો હતો. આ સાથે સાથે તેના હાથ, પગ, ગરદન અને ધડને પણ કટકા કરી નાખ્યા હતા. સુનીતાએ લાશના કટકા કરીને એક કોથળીમાં ભરી દીધા.
એક દિવસ તેમનો મોટો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. ત્યાં તેને પણ નશો કર્યો હતો. જેથી પ્રશાંતે નશાની હાલતમાં તેના મિત્રોને કહ્યું, “મમ્મીએ પાપાને મારીને બાથરૂમમાં દાટી દીધા છે” આમ કહેતા મિત્રે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ સુનીતાનું તમામ કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ સુનીતાના ઘરે પહોંચી હતી.
પોલીસ સુનીતાની પૂછપરછ કરી હતી પરંતુ પ્રશાંતને પૂછતા તેને જણાવ્યું કે લાશને જમીનમાં દાટી દીધી હતી. બાકીના ટુકડાને અલગથી ફેંકી દીધા હતા. દરેક ટુકડાને અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. પુત્ર પ્રશાંતના કહેવા પ્રમાણે, પોલીસે બાથરૂમમાં ખોદકામ કર્યું,
પરંતુ ત્યાંથી કંઈ મળ્યું નહીં. પછી સુનીતાએ બીજી જગ્યાએ કહ્યું. પોલીસને ત્યાં જેસીબી ખોદવામાં આવતાં પતિની લાશ 6 ફૂટ ઊંડી મળી આવી હતી. પતિનું ધડ કોથળામાં બંધ હાલતમાં મળી આવ્યું હતું. ખોદકામ હજુ ચાલુ હતું. પોલીસ તેના હાથ, પગ અને ગરદન શોધી રહી હતી. પોલીસનું કહેવું છે કે મહિલા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી હતી.
તેના ઘરે ખોદકામ ચાલી રહ્યું હતું, જ્યારે તેઓએ પૂછ્યું તો મહિલાએ કહ્યું કે, તેઓ બાથરૂમ બનાવી રહ્યા હતા. સુનીતા અને રિઝવાને મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે રિઝવાન ફરાર હતો. એવું સામે આવ્યું છે કે સુનીતા અને રિઝવાન વચ્ચે સંબંધ હતા, જેના કારણે બંનેએ બબલુને રસ્તામાંથી દૂર કરી દીધો હતો. પોલીસ સુનીતાના મિત્ર રિઝવાનને શોધી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]