કોરોનાના સંકટે સૌ કોઈને આર્થિક અને માનસિક રીતે પરેશાન કરી મુક્યા છે. હવે એ સંકટએ જોર પકડ્યું હોઈ એવું દેખાઈ રહ્યું છે, કારણકે દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. કેસોની સંખ્યા એવી રીતે વધવા લાગી છે જાણેકે કેસો પવન માફક ફેલાઈ રહ્યા હોઈ.
ભારતમાં સૌથી ઝડપથી કેરલ રાજ્યમાં કેસો વધી રહ્યા છે. કેરળ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કેસોમ હળવો હળવો વધારો આવતો હતો પરતું છેલ્લા થોડાક દિવસથીતો કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ભારતનું આરોગ્ય મંત્રાલય રોજ કોરોનાના કેસોનો દેટા જાહેર કરે છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ સામે આવ્યા છે.
આના એક દિવસ પહેલા 41,965 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 509 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 35,181 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 11,402 સક્રિય કેસ વધ્યા છે.બુધવારે, કેરળમાં કોવિડ ચેપના 32,803 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપને કારણે વધુ 173 લોકોના મોત થયા છે. નવા કેસ પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 40 લાખ 90 હજાર 36 થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 20,961 પર પહોંચી ગઈ છે.
ભારતમાં કુલ કોરોના કેસમાં વધારો : કોરોના મહામારી ની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3 કરોડ 28 લાખ જેટલા કેસો નોંધાય ચુક્યા છે. તેમાંથી 4 લાખ જેટલા લોકોના મોત થયા છે. અત્યાર સુધી ઘણા લોકો સાજા પણ થઈ ચુક્યા છે. આ ઉપરાંત દેશમાં એક્ટીવ કેસોની સંખ્યા 3 લાખ કરતા વધારે છે.
- કોરોનાના કુલ કેસ – ત્રણ કરોડ 28 લાખ 57 હજાર 937
- કુલ ડિસ્ચાર્જ- ત્રણ કરોડ 20 લાખ 28 હજાર 825
- કુલ એક્ટિવ કેસ – ત્રણ લાખ 89 હજાર 583
- કુલ મૃત્યુ- ચાર લાખ 39 હજાર 529
- કુલ રસીકરણ – 66 કરોડ 30 લાખ 37 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
રસીકરણમાં પુર ઝડપ : આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 1 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીના 66 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 81.09 લાખ વેક્સીનો આપવામાં આવી હતી. ICMR ના મત મુજબ કુલ 52 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]