Breaking News

કોરોનાનો રાફડો ફાટ્યો! આ વિસ્તારમાં એક જ દિવસમાં 986 લોકોના મોત..! આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો..!

કોરોનાની ગતિ ભારતમાં હળવી પડી છે અને હવે ધીમે ધીમે ચાલ્યો પણ જશે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. પરતું ગુજરાતના સુરતમાં તેમજ મહારાષ્ટ્ર અને કેરલમાં હજુ પણ કેસોની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે તેથી ચિંતાનો વિષય હજુ નાબુદ થયો નથી. પરતું આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા દેશના વિસ્તારોની કે જયા કોરોનાનો રાફડો ચારે કોર ફાઈ નીકળ્યો છે..

રશિયામાં કોરોનાના કેસ હવા પાણીની માફક રેકોર્ડ બ્રેક રીતે વધી રહ્યા છે. વેક્સિન લોકોએ લીધેલી હોવા છતા કેસ વધી રહ્યા છે. જેના કારણે અહીયાની ચિંતા વધી ગઈ છે. જોકે રશિયાની વેક્સીન સ્પુતનિક વી ખુબ જ અસરકારક છે. છતાં પણ વેક્સીન લીધી હોઈ તો પણ કોરોના ભરખી જાય છે.

રશિયાના સરકારી આકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અહીયા 31,299 કેસ નોંધાયા છે. સાથેજ 986 લોકોના મોત પણ થયા છે. આ આકડા અત્યાર સુધીના સૌથી વધારે છે. આ મામલે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે રશિયામાં મંદ ગતીએ વેક્સિનેશન કરવામાં આવી રહ્યચે.

જેના કારણે કોરોના વકરી રહ્યો છે. ભારતમાં મોદી સરકારે જેટલી જલ્દી બને તેટલી વધારે ગતિએ વેક્સીનેશન કાર્યકર્મ કર્યા હતા જેથી કરીને આખા ભારતમાં દરેક નાગરિકને કોરોનાનો ચેપ લાગે તે પહેલા વેક્સીન મળી જાય. જેથી હવે રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી છે લોકો જલ્દીથી જલ્દી વેક્સિન લગાવાનું શરૂ કરે.

કેમ કે વધતા જતા કેસોને રોકવા માટે વેક્સીનેટેડ લોકો હોવા જરૂરી છે. આ કારણે અહીયાની સરકાર પણ હવે ચિંતામાં મુકાઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે રશીયામાં અત્યાર સુધીમાં પહેલી વખત કોરોનાના કેસ 30 હજારને પાર પહોચી ગયા છે.

ત્યાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મિશુસ્તીને ગત મંગળવારે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 30 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. એટલે અત્યાર સુધીમાં માત્ર 29 ટકા લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વેક્સિનેશનનું પ્રમાણ વધારવા માટે જોર આપ્યું છે. સાથેજ તેમણે લોકો પર દબાણ આપીને વેક્સિન લેવા માટે આગ્રહ કર્યો છે. કારણકે હાલ રશિયામાં 2 લાખ 35 હજારે એક્ટિવ કેસ છે. જેમા મોટા ભાગનાએ હજુ સુધી વેક્સિન લીધીજ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *