Breaking News

કન્ટેનર ચાલકે કારને બચાવવા જતા રોંગ સાઈડમાં આવતા છકડાને ઢસડી નાખતા કુલ 9 લોકો કચડાઈ ગયા, હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો..!

અવારનવાર અકસ્માતના બનાવો હાઇવે ઉપરથી સામે આવે છે. જેમાંથી કેટલાક અકસ્માતો વાહન ચાલકોની બેદરકારીને કારણે બને છે. તો કેટલાક અકસ્માતો અન્ય વ્યક્તિઓનો જીવ બચાવવાને કારણે પણ બની જતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતમાં બનાવ વડોદરા શહેરના દરજીપુરા એરપોર્ટ પાસેથી સામે આવ્યો છે..

અહીં એક ગમખરા અકસ્માત સર્જાતાની સાથે જ કુલ નવ લોકોના કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની વિસ્તારમાં વાત કરવામાં આવે તો સુરત થી અમદાવાદ તરફ એક કન્ટેનર જઈ રહ્યું હતું. રસ્તામાં થયેલી બેકાબૂકાને બચાવવા જતા કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું.

અને સામેની બાજુએ રોંગ સાઈડમાં આવી રહેલા છકડાને અડફેટે લઈ લીધો હતો. આ છકડાની અંદર કુલ 14 મુસાફરો સવાર હતા. રોંગ સાઈડથી આવતાની સાથે જ ટ્રકે ઘસડીને તેને દીવાલમાં ઘુસાડી દીધો હતો. જેમાં દબાઈ જવાને કારણે બે બાળકો સહિત એક મહિલા સાથે કુલ નવ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

જ્યારે ચાર વ્યક્તિને ખૂબ જ ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી જ્યારે પોલીસ તેમજ સ્થાનિક લોકોને થઈ ત્યારે તેમની બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી પડી હતી..

અને છકડાના પતરા કાપીને તમામ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. કન્ટેનર દિવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું. આ અકસ્માતના દ્રશ્યો જોતાની સાથે જ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, આ એક કાળમુખો અકસ્માત હતો. જેને નજરે જુઓ પણ ખૂબ જ મુશ્કેલ છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા..

જેને કારણે ઘણા બધા વાહન ચાલકો સમયસર પોતાના મુકામે ન પહોંચતા ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને સરળ બનાવવાની કોશિશ કરી હતી. આ અકસ્માતમાં વિજયભાઈ બારીયા, અરવિંદભાઈ રાઠવા, મિહિરભાઈ મકવાણા, અને નીરૂબેન બારીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે..

આ બનાવને લઈને વડોદરા જિલ્લાના કલેકટર તેમજ નાયબ પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલે ઇજાગ્રસ્ત વ્યક્તિઓની મુલાકાતે પહોંચી આવ્યા હતા. અને તમામને સારી સારવાર મળે એટલા માટે જરૂરી સલાહ સૂચન પણ આપવામાં આવ્યું હતું. અકસ્માતને લઈને સમગ્ર પંથકમાં હારે રાતી નો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *