પોલીસ ખાતું જાહેર જનતા ની રક્ષા કરવા માટે સ્થપાયેલું હોય છે. પોલીસખાતામાં જોડાયેલા દરેક કર્મચારીઓનો એક જ ધ્યેય હોય છે કે જનતા જનાર્દન કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સરળતાથી જીવન જીવી શકે. એટલા માટે તેઓ આપણું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે…
પરંતુ રાજકોટમાં રક્ષક જ ભક્ષક બન્યો છે. રાજકોટના રામનાથપરા પોલીસ માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બશીર શેખ સામે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે તેના ક્વાટર્સમાંથી એક બેભાન મહિલા મળી આવી છે. રાશીદ બશીર શેખ આગાઉ ભાવનગરની એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને હવે તેના ક્વાટર્સમાંથી એક મહિલા બેભાન હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગયો છે..
આ મહિલાને અન્ય લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.. ત્યારબાદ આ મહિલાએ કોન્સ્ટેબલ રાશિદ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં મહિલા પણ એક પોલીસ કોન્સ્ટેબલ જ છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, રાશિદ બશીર શેખ તેને વારંવાર ફોન કરીને સાતમણ આપતો હતો..
તેમજ તેની સાથે ખૂબ જ ગંદી વાતો કરતો હતો. કેટલીક વાર તે છેડતી પણ કરી ચૂકયો છે. તેમજ તે મને બદનામ કરી નાખવાની અને મારી નાખવાની ધમકી આપતો હતો. મહિલા કોન્સ્ટેબલની ઈચ્છા વિરુદ્ધ કામો કરવાના કારણે મહિલા કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ની સામે ફરિયાદ નોંધાવી હતી..
જેના કારણે પોલીસે આઇપીસીની કલમ લગાવી ને આ કોન્સ્ટેબલ રાશિદ શેખને અટકાયત કરી લીધો છે. મહિલા કોન્સ્ટેબલ જણાવ્યું કે તે હંમેશા મારી સાથે કોન્ટેક્ટ રાખવા માટે મારો પીછો કરતો હતો. તેમજ મને જણાવ્યું હતું કે તું મારી સાથે વાત નહીં કરે તો હું તારી ગંદી અને ખોટી વાતો આખા સ્ટાફ તેમજ સમાજમાં બદનામ કરી નાખીશ..
તે મને આવું નવી ધમકી આપતો હતો જેના કારણે મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલને વધુમાં જણાવ્યું હતું કે રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હતો ત્યાં તેની સાથે મુલાકાત થઈ હતી. રશીદે કચેરીમાંથી મારો મોબાઇલ નંબર મેળવી લીધો હતો..
અને અવારનવાર ફોન કરીને તેની સાથે વાત કરવા અને અન્ય જગ્યાઓ પર મળવા માટે દબાણ કરતો હતો. આ કારણે મહિલા પોલીસ તેની જ સાથે કામ કરતા રશીદ નામના કોન્સ્ટેબલથી કંટાળીને જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કરી રહી હતી. પરતું સદ નસીબે તે બચી ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]