જ્યારે પણ આપણને તબિયતમાં કોઈ ફેરફાર દેખાય એટલે આપણે તરત જ દવાખાને તપાસ માટે પહોંચી જતા હોઈએ છીએ કારણ કે, શરીરની અંદર શું પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તેના વિશે આપણે જાણકાર ન હોવાને કારણે હંમેશા ડોક્ટરની સલાહ લેવી પડે છે. અત્યારે દવાખાને તપાસ માટે ગયેલી એક યુવતી સાથે એવી ઘટના ઘટી ચૂકી હતી કે, યુવતીના મા બાપ તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..
કારણ કે, તેઓ ડોક્ટરના મોઢેથી કહેલા શબ્દોને સાંભળી શક્યા નહીં ગાર્ડન ચોકડીની નજીક આવેલા પ્રતાપ એપાર્ટમેન્ટમાં રોશની નામની 22 વર્ષની યુવતી તેના પરિવાર સાથે જીવન ગુજારે છે, રોશની કોલેજનો અભ્યાસ કરી રહી હતી. તે સવારના સમયે પોતાના ઘરેથી કોલેજે જવાનું કહીને નીકળતી હતી અને સાંજે 5:00 વાગે આસપાસ તે પોતાના ઘરે પરત આવતી હતી..
બિચારા માતા પિતાને તો એમ જ હતું કે, તેમની લાડકવાયી દીકરી કોલેજના અભ્યાસમાં ભણવા માટે જાય છે, પરંતુ થોડા આ વર્ષો બાદ તેમને ખબર પડી કે તેમની દીકરી ખરાબ સંગતને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ચૂકી હતી, હકીકતમાં અચાનક જ રોશનીની તબિયતમાં ફેરફાર થવા લાગ્યો હતો..
અને તેનો પેટમાં દુખાવો વધી ગયો હતો, શરૂઆતમાં તો તેની માતાએ ઘરેલુ ઉપચાર કરીને આ દુખાવાને મટાડવાની કોશિશ કરી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે રોશની કોલેજે પહોંચી ત્યારે અચાનક જ તેને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો, તે કોલેજનું ભણતર પડતું મૂકીને તાબડતો હોસ્પિટલે સારવાર માટે પહોંચી ગઈ હતી..
અને ત્યાં તેણે તેના મમ્મી પપ્પાને પણ બોલાવી લીધા હતા, રોશનીના પિતા અને પ્રકાશભાઈ અને રોશનીની માતા સંગીતાબેન બંને દવાખાને પહોંચી ગયા હતા, જ્યારે ડોક્ટરે તપાસ શરૂ કરી અને ત્યારબાદ તેઓએ એવું તારણ કાઢ્યું કે, જે સાંભળતાની સાથે જ પ્રકાશભાઈ અને સંગીતાબેનના મોતિયા મરી ગયા હતા..
ડોક્ટરે જણાવ્યું કે, રોશની 22 વર્ષની ઉંમરમાં જ એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેના પેટમાં બાળક રહેલું છે, અને તે આવનારા થોડાક મહિનાઓની અંદર જ જન્મ લઈ જશે. જ્યારે ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે પ્રકાશભાઈને તો આંખે અંધારા આવી ગયા હતા અને તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આ બાબત કેવી રીતે શક્ય બની હશે..
કારણ કે તેમની કુવારી દિકરી કોલેજનો અભ્યાસ કરતી હતી અને તે કેવી રીતે એક બાળકને જન્મ આપી શકે છે, આ ઘટના વિશે ડૉક્ટરે હોસ્પિટલની અંદર તેમની દીકરી સાથે કોઈપણ વાતચીત કરવાની મનાઈ ફરમાવી હતી, જ્યારે હોસ્પિટલથી સમગ્ર પરિવાર ઘરે પહોંચ્યો ત્યારબાદ પ્રકાશભાઈ અને સંગીતાબેનને તેમની લાડકડી દીકરીને પૂછ્યું હતું કે, આ બધું કેવી રીતે શક્ય બન્યું છે..
ત્યારે રડતા રડતા રોશનીએ જણાવ્યું કે, તે આજથી ત્રણ વર્ષ પહેલા એક અજાણ્યા યુવકના પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી અને આ અજાણ્યો યુવકો તેને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે સમય વિતાવવાનું કહેતો હતો, એ વખતે રોશનીની ઉંમર ખૂબ જ નાની હતી. અને તેના મગજમાં અન્ય કોઈ પ્રકારની સમજ ન હોવાને કારણે તે આ યુવકના પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી..
અને એ વખતે તેઓએ સાથે સમય વિતાવ્યો હતો, એટલું જ નહીં પરંતુ તે હજુ પણ આ યુવકને પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. પોતાની દીકરીને મોઢેથી જ્યારે મા બાપે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને તેમની દીકરી ઉપર મુકેલો તમામ વિશ્વાસ તૂટી ગયો હતો, જ્યારે માતા પિતાનો વિશ્વાસ તૂટે છે..
ત્યારે તેમને સાંભળવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે, કારણ કે તેઓએ તેમના દીકરા દીકરીને જન્મ આપ્યા બાદથી માંડીને જ્યાં સુધી તેઓ સમજણ ન થાય ત્યાં સુધી ડગલેને પગલે તેમની દરેક ઈચ્છાઓથી લઈ દરેક સુધીની બાબતોને પૂરી કરી હોય છે, માતા પિતાને તેમના દીકરા કે દીકરી તરફથી એક એવી આશા અને અપેક્ષા હોય છે..
કે તેઓ ભણી ગણીને ખૂબ જ હોશિયાર બને અને માતા પિતાનું નામ રોશન કરે પરંતુ રોશનીએ તેના પિતાની ઈજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું હતું. આવા પ્રકારની ઘટનાઓ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ એકદમ સ્તબ્ધ થઈ જતું હોય છે, આવી ઘટનાઓ આવનારા સમયની અંદર કોઈપણ વ્યક્તિને સહન કરવી ન પડે એટલા માટે જુવાન ઉંમરના યુવક યુવતીઓને દરેક માં બાપે ખૂબ જ સારી રીતે સમજાવવા પડશે નહીં તો આવનારો સમય ખૂબ જ વિકટ સાબિત થવા જઈ રહ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]