આજે બપોરે ચૂંટણી પંચ કમિશન ગુજરાતના વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સાંભળીને દરેક રાજકીય પાર્ટીઓની સાથે સાથે મત આપનાર જનતા પણ ખૂબ જ જોશમાં આવી ગઈ છે. સૌ કોઈ લોકો પોતાના વિસ્તારમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને ખૂબ જ વધારે મતથી જીતાડવા માટે હવે મથામણ કરવા લાગશે.
આ ઉપરાંત પાર્ટીઓ ટિકિટની વહેંચણી શરૂ કરે એટલે શેરીએ શેરીએ ઢોલ નગારા અને રેલીઓ શરૂ થઈ જશે. ચૂંટણીનો સમય આવતા ની સાથે જ રાજ્યમાં તહેવારનો સમય હોય એ પ્રકારનો માહોલ સર્જાઇ જતો હોય છે. આજે બપોરે ચૂંટણી પંચે તારીખોની જાહેરાતો કરી દીધી છે. પરંતુ આ જાહેરાત કરે એ પહેલા ચૂંટણી પંચના અધિકારીઓએ જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ ગુજરાતના મોરબીમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે..
અને આ દુર્ઘટનાની અંદર અંદાજે 140 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અમુક પરિવારના દરેક સભ્યોના મૃત્યુ થયા છે. તો અમુક પરિવારના 12 સભ્યોના મૃત્યુ થયા છે. તો અમુક પરિવાર આખા ને આખા ખલાસ થઈ ગયો છે. જ્યારે અમુકના ચમત્કારી બચાવો પણ થયા છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ તારીખ જાહેરાત કરતા પહેલા જણાવ્યું કે, મોરબીમાં બનેલી આ દુખદ ઘટનામાં તેઓ પણ શોક વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે છે. આ સાથે સાથે તેઓએ તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. અને ત્યાર પછી ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.
જ્યારે ચૂંટણી પંચની આ માહિતી સામે આવી ત્યારે સૌ કોઈ લોકો સાંભળીને રડવા લાગ્યા હતા. કારણકે જનતા મોરબીમાં બનેલી આ દુખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. આ ઘટનાની નોંધ લગભગ વિશ્વના દરેક દેશોએ લીધી છે. અને સૌ કોઈ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. એવામાં ચૂંટણી પંચે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી..
જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ત્યારે સમગ્ર પાર્ટીઓમાં ભારે ખળભળાટ મચવા લાગ્યો છે. કારણ કે ઉમેદવારી નોંધાવનાર સભ્યોની સંખ્યા ખૂબ જ વધારે છે. અને ચૂંટણીની બેઠકો માત્ર 182 હોવાને કારણે કઈ બેઠક પરથી કોણ ઉમેદવારી નોંધાવશે અને કયા વ્યક્તિને ટિકિટની ફાળવણી કરવામાં આવશે. એ બાબતો પર સૌ કોઈ લોકો નજર માંડીને બેઠા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]