આજકાલ અકસ્માતોના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણીવાર લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉતાવળને કારણે અકસ્માત સર્જાતા હોય છે. આ ઉતાવળ તેમનો જીવ પણ જોખમમાં મુકી શકે છે. આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વાસણા વિસ્તારમાં ખોડીયાર પાર્કમાં રહેતા જશીબેન ઠાકોર અકસ્માતનો ભોગ બન્યા છે..
જશીબેનના વિસ્તારમાંથી કેટલાક લોકો નું સંઘ પદયાત્રા કરીને ચોટીલા તરફ પગપાળા જવા નીકળ્યા હતા. જેમાં જશીબેન ઠાકોર પણ જોડાયા હતા. તેમનો સંગ માતાજીની ભક્તિમાં પગપાળા યાત્રા કરતો ચોટીલા તરફ જઈ રહ્યો હતો.
પરંતુ રસ્તામાં જતા લીંબડી નેશનલ હાઇવે પર જાખર ગામ પાસે એક અકસ્માત બન્યો હતો. જેમાં ખૂબ જ ઝડપે જતી એક કાર દ્વારા જશીબેનને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં જશીબેન ને માથામાં ખુબ જ ગંભીર ઇજા થઈ હતી. ચોટીલા તરફ જતા સંઘના અન્ય સભ્યોએ 108ને ફોન કરીને બોલાવી લીધી હતી. પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેમનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું.
અકસ્માત જોઈને કારચાલક ખૂબ જ ગભરાઈ ગયો હતો. જેથી તે ડરના કારણે ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ આ અકસ્માતની જાણ તરત જ નજીકના લીંબડી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા આ સમગ્ર અકસ્માત ની માહિતી મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]