જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂરી થઈ જતી હોય છે, ત્યારે તે ખૂબ જ કંટાળી જાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિની હેરાનગતિ રોજબરોજ સહન થતી હોતી નથી. એટલા માટે ડગલેને પગલે ની માથાકૂટોથી કંટાળી જઈને તેઓ તેમનાથી દૂર રહેવા ઇચ્છતા હોય છે, રોજબરોજની જિંદગીની અંદર ઘણા બધા પારિવારિક કિસ્સાઓ પણ સામે આવે છે..
જેમાં છૂટાછેડાના બનાવો પણ સામેલ હોય છે, જ્યારે પતિ અને પત્નીને એકબીજા સાથે રહેવું ગમતું હોતું નથી, તેમજ કોઈને કોઈ બાબતોને લઈને તેમનો લડાઈ ઝઘડો થતો હોય છે. એવા કારણોની અંદર તેઓ એકબીજા સાથે છૂટાછેડા લઈ લેતા હોય છે અને છૂટાછેડા લીધા બાદ તેઓ ક્યારે પણ મળતા હોતા નથી..
પરંતુ અત્યારે છૂટાછેડાના ત્રણ વર્ષ પછી પણ એક પતિ તેની પત્નીને હેરાનગતિ પહોંચાડવા માટે તેના ઘર સુધી પહોંચી જતો હતો અને સૌ કોઈ લોકોની સામે જ એવા કાંડ કરવા લાગ્યો હતો કે, બિચારી મહિલા માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું. હાલ એક ઘટના રીંકલ નામની મહિલા સાથે બની છે..
હકીકતમાં રીંકલના લગ્ન આજથી આઠ વર્ષ પહેલાં યાજ્ઞિક નામના યુવક સાથે થયા હતા, રીંકલ અને યાજ્ઞિક શરૂઆતમાં તો ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા. પરંતુ યાજ્ઞિકે તેનો નોકરી ધંધો મૂકી દીધો અને તે દારૂના અવળા વ્યસને ચડી ગયો હતો, તે રોજબરોજ દારૂનો નશો કરીને ઘરે આવતો અને તેની પત્નીને ઢોર મારવા લાગતો હતો..
એ સમયે રીંકલ એક બાળકને જન્મ આપવા જઈ રહી હતી, પરંતુ યાગ્નિકે તેની પત્નીને માર મારવાનું શરૂ રાખ્યું હતું. રિંકલે ઘણી બધી વાર આ મારને સહન કર્યો અને એક વખત તો યાજ્ઞિકે તેની પત્નીને ધક્કો માર્યો એ વખતે રિંકલે જે બાળકને જન્મ આપવાની હતી, એ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું..
એ ઘટના બન્યા બાદથી જોઈએ રીંકલે તેની તમામ સહન શક્તિઓને ભુલાવી દઈને તેના પતિને છૂટાછેડા આપીને હંમેશા માટે તેનાથી અલગ રહેવાનું નક્કી કરી નાખ્યું હતું કારણ કે, તે ઘણી બધી વાર યાજ્ઞિકને સુધારવા માટે કોશિશો કરી હતી. પરંતુ યાજ્ઞિક સુધારવાનું નામ ન લેતા રીંકલ ખૂબ જ કંટાળી ચૂકી હતી..
તેણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેના પતિ યાજ્ઞિક સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી છૂટાછેડા લીધા બાદ તે એકલવયુ જીવન જીવતી હતી, જ્યારે યાજ્ઞિકને ખબર પડી કે રીંકલ બીના નગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જીવન ગુજારી રહી છે. ત્યારે યાજ્ઞિક તેને હેરાનગતિ પહોંચાડવા માટે રીંકલના ઘર સુધી પહોંચી જતો હતો..
રીંકલ ઘણી બધી વાર યાજ્ઞિકને જણાવતી કે, તમે અહીં શું કામ આવ્યા છો..? તમારું અહીં કાંઈ કામ નથી, મેં તમને છુટાછેડા આપી દીધા છે જો હવે તમે મને હેરાન કરતી પહોંચાડશો તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ. પરંતુ યાજ્ઞિક ઘણી બધી વાર રીંકલના ઘરમાં ઘૂસી જતો હતો અને સોસાયટીના દરેક લોકોની સામે જ જોર જોરથી બૂમા બૂમ કરી દેતો હતો..
સોસાયટીના લોકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા, એક દિવસ રોજ રોજની હેરાન ગતિથી કંટાળી ગયેલી રીંકલે તેના હાથમાં ધોકો લીધો હતો અને યાજ્ઞિકની ઉપર ઢોર મારવાનું શરૂ કરીને માથાના ભાગે બે ધોકાના લગાવી દેતા યાજ્ઞિકનું માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે છે તેનું દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું..
કારણ કે, આ ધોકા ના ઘા ખૂબ જ દર્દનાક રીતે તેને માથાના ભાગે વાગી ગયા હતા અને તેનું માથું ફૂટી જવાને કારણે વધારે પડતું લોહી નીકળવા લાગ્યું અને તે ત્યાં ને ત્યાં જ નીચે ઢળી પડ્યો હતો. રિંકલ હકીકતમાં મુસીબતને ટાળવા માંગતી હતી, પરંતુ ખૂબ જ ગુસ્સામાં આવી જઈને તેને બે ધોકાના ફટકા લગાવી દેતા યાજ્ઞિકનો મૃત્યુ થઈ ગયું હતું..
તેણે ક્યારેય પણ વિચાર્યું હતું નહીં કે તેના હાથે યાજ્ઞિકનું મૃત્યુ થઈ જશે અને આ ઘટના ઘટી જતા હવે તો રીંકલ પણ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ચૂકી હતી, આ ઘટનાની જાણકારી નજીકની પોલીસ ચોકી સુધી પહોંચાડવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ યાજ્ઞિકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી હતી..
આ ઉપરાંત ઘટનાની તપાસ કરવામાં આવી તેની સાથે સાથે રીંકલની પણ ધરપકડ કરીને હાલ તેની પૂછપરછ મેળવાઈ રહી છે, જ્યારે જ્યારે આપણે આ પ્રકારના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણે વિચારમાં મુકાઈ જઈએ છીએ કે, અમુક ઘટના પરિસ્થિતિને જો ગયો એવી બની જતી હોય છે કે, જેમાં કોઈ વ્યક્તિનું પણ કશું ચાલતું નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]