જ્યારે પણ દીકરાની ઉંમર થઈ જાય ત્યારે તેની માટે સારી કન્યા શોધીને પરિવારજનો તેના લગ્નની વિધિ પણ શરૂ કરી દે છે. ઘરમાં દીકરાની વહુનો પ્રવેશ થતાં જ માહોલ ખૂબ જ બદલાઈ જતો હોય છે અને ચારેકોર સુખની ઘડીઓ ફેલાઈ જતી હોય છે. પરંતુ અત્યારે એક દીકરાની વહુને ખૂબ જ માઠો બનાવ સહન કરવાનો વારો આવ્યો છે..
અને આ બનાવ પાછળ તેના નરાધમ સસરા જવાબદાર છે. પરિવારજનો વચ્ચે સારો તાલ મેળ હોવો ખૂબ જ જરૂરી છે. તો જ સરખી રીતે જીવન જીવી શકાય છે, જો પરિવારજનોમાં અંદરો અંદર કોઈ ખટાશ ઉત્પન્ન થયેલી હોય તો જીવન જીવવાની મજા આવતી નથી. અત્યારે એક પરિવારમાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે..
આ ઘટના ચંદ્રકાંત ભાઈના પરિવાર સાથે બની છે, ચંદ્રકાંતભાઈ તેમની પત્ની નીતા તેમના પિતા રજનીશભાઈ તેમજ તેમની માતા કમલાબેનની સાથે રહે છે. ચંદ્રકાંતભાઈના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા થયા હતા. ચંદ્રકાંતભાઈ અને તેમની પત્ની નીતા બંને ભણેલ ગણેલ વ્યક્તિ છે.
ચંદ્રકાંતભાઈ એક કંપનીમાં ખૂબ જ સારી પદવી ઉપર સારા પગારથી નોકરી કરે છે, જ્યારે તેમની પત્ની ઘર બેઠા છે. નોકરી કરીને પરિવારજનોની મદદરૂપ બને છે. થોડા સમય પહેલા પરિવારની અંદર એક ખુશીના સમાચાર આવ્યા હતા અને ચંદ્રકાંતભાઈ તેમજ નીતાબેન બંને એક બાળકને જન્મ આપવા જઈ રહ્યા હતા..
પરંતુ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નથી, નીતાબેન ઘરકામની સાથે સાથે ઘરે બેઠા નોકરી પણ કરતા હતા. જ્યારે તેમનું છઠ્ઠો મહિનો ચાલતો હતો. ત્યારે તેના સસરા એક વખત ઘરે દારૂ ઢીંચીને આવ્યા હતા અને નીતાની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરવા લાગ્યા હતા..
રજનીશ ભાઈને અવારનવાર દારૂ પીઈને ઘરે આવવાની ટેવ હતી. તે ઘરે આવીને ઘરના સભ્યો સાથે મારપીટ પણ કરતા અને ઘરની ચીજ વસ્તુઓની તોડફોડ પણ કરવા લાગતા હતા. એક વખત તે દારૂ ઢીંચીને ઘરે આવ્યા ત્યારે ઘરે ચંદ્રકાંતભાઈ તેમજ તેમની માતા કમલાબેન બંને એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા…
અને ઘરે માત્ર નીતા હાજર હતી. નીતાને જોઈને આ નરાધમ સસરાએ તેની નજીક આવીને તેને મારપીટ કરવાનું શરૂ કરી દીધું હતું અને આ મારપીટની અંદર રજનીશ ભાઈએ તેના દીકરાની વહુ નીતાને એક જોરદાર ધક્કો માર્યો હતો. આ ધક્કો વાગતાની સાથે જ નીતા ઉપરના માળેથી દાદરે નીચે ઘસડાઈને આવી પડી હતી..
તેના માથાના ભાગે લોહી નીકળવા લાગ્યું, તેમજ છાતી અને પેટના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી. આ ગંભીર જાને કારણે તેના પેટમાં રહેલા બાળકનું અંદરની અંદર જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે મોડી રાત્રે ચંદ્રકાંતભાઈ અને તેમની માતા કમલાબેન ઘરે આવ્યા ત્યારે તેઓએ જોયું કે નીતા નીચેના માળે લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલી હતી..
તેને તરત જ હોસ્પિટલે લઈ જવામાં આવી, ત્યાં સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું કે નીતાનો જીવતો બચી જશે પરંતુ તેના બાળકનું મૃત્યુ થઈ જવા પામ્યું છે. આ દુખદ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે બીજા દિવસે રજનીશભાઈ ભાનમાં આવ્યા અને તેને ખબર પડી કે, તેને દારૂના નશાની અંદર એવું કારનામું કરી નાખ્યું છે..
જેનાથી અત્યારે પરિવારમાં મોતનો માતમ જવાઈ ગયો છે. અને સૌ કોઈ લોકો રડી રહ્યા છે. ત્યારે તેમને ખૂબ જ પછતાવો થવા લાગ્યો હતો, પરંતુ હવે પછતાવો કર્યા પર કશો ફાયદો થતો હતો નહીં. ચંદ્રકાંતભાઈએ તેના પિતા રજનીશ ભાઈને જણાવી દીધું કે, જો હવે તમારે દારૂની આ કુટેવોને છોડવી ન હોય તો તમારે ઘરની અંદર પગ મુકવાનું કોઈ પણ અધિકાર નથી..
તમને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકવામાં આવશે. રજનીશ ભાઈ તેના દીકરાના પગે પડીને માફી માંગવા લાગ્યા હતા અને કહ્યું કે આજ પછી તેઓ ક્યારે પણ આવા વ્યસનની અંદર જોડાશે નહીં અને પરિવારની સાથે સુખ શાંતિથી જિંદગી જીવશે. આજે એજ વ્યસનના કારણે જ નાનકડા માસુમનો જીવ પહેલા જ જતો રહ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]