Breaking News

“છાનો માનો ભણવામાં ધ્યાન દેજે” કહીને પિતાએ ધોરણ 12માં ભણતા દીકરાને ટકોર કરતા જ દીકરાએ ભરી લીધું એવું પગલું કે માં-બાપના મોઢા ફાટેલા રહી ગયા..!

આજકાલના ડિજિટલ જમાનાની અંદર જો કોઈ વ્યક્તિ ભણેલ ગણેલ ન હોય તો તેને આગળ પ્રગતિ કરવામાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ પડે છે. ડગલેને પગલે ભણતર એટલું બધું જરૂરી બની ગયું છે કે, ભણતર વગર કોઈ ચીજ વસ્તુ શક્ય બનતી નથી. એટલા માટે દરેક માતા-પિતા તેમના દીકરા કે દીકરીઓને સારા ભણતર અને શિક્ષણ આપવા માટે કોઈ કચાસ બાકી મૂકતા નથી..

અને તેમનો ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ અમુક બાળકોને ભણવામાં સહેજ પણ રસ રુચિ રહેતી નથી. જો તેમને વધારે પડતું ભણવાનું કહેવામાં આવે તો તેઓ ક્યારેય અવળું પગલું ભરી લે તેનું પણ નક્કી હોતું નથી. પાછળના સમયમાં આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે, જેમાં ભણવાની બાબતને લઈને દીકરા કે દીકરીઓને મીઠો ઠપકો આપતા મા બાપને અંતે પછતાવાનો વારો આવે છે..

અને તેમના દીકરા કે દીકરી એવું પગલું ભરી લે છે કે, તે સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. અત્યારે રાજસ્થાનના કોટામાંથી ધોરણ 12 માં ભણતા એક વિદ્યાર્થીએ એવું પગલું ભરી લીધું કે, તેના માતા પિતા અડધી રાત્રે દોડતા થઈ ગયા હતા. મૂળ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રહેતો 20 વરસનો મયંક છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના કોટામાં નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો..

તે ધોરણ 12 માં અભ્યાસ કરતો અને નીટની પરીક્ષાની તૈયારી પણ કરતો હતો. તેને થોડા દિવસ પહેલા તેના પિતાએ ટકોર કરતા જણાવ્યું હતું કે, બિનજરૂરી ચીજ વસ્તુઓમાં સમય બગાડવા કરતા છાના માના ભણવામાં ધ્યાન આપવું જોઈએ. બસ પિતાએ કહેલા આ શબ્દોને મયંકે મનમાં લઈ લીધું હતું અને તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો..

તે પોતાને રૂમ ઉપર આવ્યો અને ત્યાં પોતાના શરીર ઉપર કેરોસીન નાખી દીધો અને દિવાસળી લગાડી દીધી હતી. ત્યારબાદ તેને બળતરા થવા લાગતા. તે જોર જોરથી બહુ બૂમ કરવા લાગ્યો હતો. ત્યાં રહેલા કેટલાક લોકોએ તેને આગની અંદર મળતા જોતા જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી કે, મયંકે આગ લગાડી દઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે..

પરંતુ સદનસીબે તેનો જીવ તો બચી ગયો છે. પરંતુ તેનું શરીર બળીને ખાસ થઈ ગયું છે. જ્યારે ઘટનાના સમાચાર જેના માતા-પિતા સુધી પહોંચે ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા મયંકના પિતા વારંવાર તેને પોતાને જ કોસવા લાગ્યા હતા કે, કદાચ તેઓએ તેમના દીકરાને મીઠો ઠપકો આપ્યો ન હોત તો આજે તેનો દીકરો હસતો ખેલતો તેમના મોઢાની સામે હોત..

કદાચ તેમનો દીકરો ભણતર ન ભણી શક્યો હોત પરંતુ તે ખુશાલ હોત બસ એમાં જ તેમનું સુખ છે. તો પરિવારના અન્ય સભ્યોનું કહેવું છે કે, આવી નાનકડી બાબતોને લઈને બાળકો જો અવડું મોટું પગલું ભરી લેશે. તો કેવી રીતે જીવન જીવી શકાશે, દરેક માતા પિતાએ તેમના બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ…

તેમજ બાળકોએ પણ પોતાના માતા પિતાને પોતાના મિત્રો સમજીને પોતાની સાથે બનતી તમામ ઘટનાની વાતચીત કરવી જોઈએ. જેથી કરીને મન હલકું રહે અને આગળ જતા કોઈપણ પરેશાનીનો સામનો કરવો પડે નહીં. હાલ આ દીકરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, સદનસીબે તેનો જીવ તો બચી ગયો છે પરતું તેનું શરીર બળી ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *