Breaking News

“ચાર ભાઈ બીડીની થોકડી” આપવાની ના કહેતા જ લુખ્ખા લફંગાઓએ દુકાનદારના ઘર ઉપર તૂટી પડ્યા, ઘા વાગી જતા થયું મોત, અને પછી તો..!

નાની નાની વાતમાં આજકાલ લોકો એકબીજા સાથે ઝઘડાઓ કરી રહ્યા છે અને આવા ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં વધુ એક ઘટના હાલમાં બની છે. આ ઘટના હરિયાણાના ફતેહાબાદમાં રહેતા પરિવાર સાથે બની હતી.

ભૂનામાં પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની, સસરા, સસરાના નાના ભાઈ અને તેમના બાળકો રહે છે. સસરાનું નામ ગરીબદાસ છે અને પતિનું નામ મુકેશ છે. મુકેશના કાકાનું નામ રમેશભાઈ છે, મુકેશને 2 બાળકો છે, જેમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરો 12 વર્ષનો અને દીકરી 10 વર્ષની છે. દીકરાનું નામ વિશાલ છે.

અને દીકરીનું નામ કાકુલ છે. વિશાલ 7 માં ધોરણમાં અને દીકરી કાકુલ 6 ધોરણમાં અભ્યાસ કરે છે. મુકેશ તેમના પરિવારના લોકો સાથે ચંદન નગરમાં રહેતો હતો. મુકેશના પિતા ગરીબદાસ ભૂનામાં દુકાન ચલાવી રહ્યા છે. મુકેશ ચંદન નગરમાં રહીને કેળા વેચીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેમના પિતા દુકાન ચલાવીને આર્થિક મદદ કરતા હતા.

મુકેશની પત્નીનું નામ કમળા છે. મુકેશ તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો પરંતુ એક દિવસ ગરીબદાસજી પોતાની દુકાન ચલાવી રહ્યા હતા સાંજનો સમય થયો હતો તે સમયે કોઈ અજાણ્યા યુવકો ગરીબદાસજીની દુકાને ભૂનામાં બીડીના બંડલ લેવા માટે આવ્યા હતા. પરંતુ દુકાનમાં બીડીના બંડલ પૂરા થઈ જવાને કારણે ગરીબદાસજીએ બંડલો ન આપવાનું કહ્યું હતું.

જેના કારણે આ અજાણ્યા યુવકોએ ગરીબદાસજી સાથે ઝઘડો કર્યો હતો અને ગરીબદાસજીએ પણ આ યુવકોને અપશબ્દ કહ્યા હતા. જેના કારણે અજાણ્યા યુવકો ગરીબદાસજી સાથે બદલો લેવા માગતા હતા. જેના કારણે એક દિવસ ગરીબદાસજીના ઘરની બહાર અજાણ્યા યુવકો તેમના 40 સાથીદારોને લઈને ચંદન નગરમાં પહોંચ્યા હતા.

અને પહોંચીને દુકાનદારના ઘર પર ઈંટ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારની મહિલાઓ પર આ યુવકોએ બળજબરીનો પ્રયાસ પણ કર્યો હતો. દુકાનદારના દીકરો મુકેશ અને તેમનો ભાઈ રમેશભાઈ ઘરની બહાર આવ્યા હતા.

તે સમયે ઈંટ અને પથ્થર મારાને કારણે તે બંને ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હિસાબની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન મુકેશ કુમારનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારને આ ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસે તમામ ઝઘડાને શાંત કરાવ્યો હતો પરંતુ પરિવારના દીકરાએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ લડાઈમાં બાળકોએ તેમના પિતાને ગુમાવ્યા હતા. અને એક પત્નીએ તેમના પતિને ગુમાવ્યા હતા. જેના કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. ભુના વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. લોકો નાની-નાની વાતમાં ઝઘડાઓ અને બદલા લેવા માટે તેમના પરિવારના લોકોને વેરવિખેર કરી રહ્યા છે અને પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *