કોઈને કોઈ કારણસર ઘણા બધા લોકો રોજબરોજ ખૂબ જ દુઃખી રહે છે. તેમને હંમેશા કોઈને કોઈ ટેન્શન સતાવતું હોય છે. પરંતુ જો તેઓ આ વાતની જાણ કરીએ તેમના નજીકના સભ્યો સુધી ન પહોંચાડે તો ક્યારે પણ એ મુસીબતમાંથી બહાર નીકળી શકતા નથી. આવી મુસીબતોમાંથી જલ્દી જ બહાર નીકળી જવું જોઈએ…
અત્યારે સફાઈ કર્મચારી તરીકેનું કામકાજ કરતા ચાર દીકરાને પિતા માથે એવી મોટી આફત આવવી પડી હતી કે, બિચારાથી આ મુશ્કેલીની ઘડી સહન ન થતા અંતે તેમણે ઝેરી દવા પીઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના હરિયાણાના રોહતકની છે. અહીં આવેલી એક કોલેજની અંદર 40 વર્ષનો પ્રતાપ નામનો યુવક સફાઈ કામકાજ કરે છે..
એક દિવસ તેને ઘરે આવીને ઝેરી દવા પીઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારજનોને ખબર પડી કે, પ્રતાપભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી છે. ત્યારે તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું..
પ્રતાપભાઈના મોટાભાઈનું કહેવું છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી કોલેજના પ્રિન્સિપાલ સહિત અન્ય ચાર લોકોની હેરાનગતિથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. કોલેજમાં પ્રિન્સિપાલ અને અન્ય ચાર વ્યક્તિઓ તેને હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે તેની નોકરી પણ છૂટી ગઈ હતી. એક દિવસ આ તમામ વ્યક્તિઓએ તેને કોલેજે મળવા માટે બોલાવ્યો હતો..
અને ત્યાંથી ઘરે આવ્યા બાદ પ્રતાપે જીવણ ટૂંકાવી દીધું છે, તેના મૃત્યુ બાદ તેનો એક અંતિમ વિડીયો પણ મળી આવ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે આ પગલું કોલેજના પ્રિન્સિપાલ તેમજ અન્ય ચાર વ્યક્તિની હેરાનગતિના કારણે ભરી રહ્યો છે. તેના મૃત્યુ પાછળ આ પાંચ વ્યક્તિઓ જવાબદાર છે..
મારા મૃત્યુ બાદ તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેઓએ મને જુદા-જુદા કેસની અંદર ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ તેમના કારણે મારી નોકરી છૂટી ગઈ મારે ચાર બાળકો છે. તમામનું ભરણપોષણ પણ મારે જ કરવાનું હોય પરંતુ મારી નોકરી છૂટી જતા મારો પરિવાર રોડ ઉપર આવી ગયો હતો..
તેમનું પાલનપોષણ કેવી રીતે કરવું તે વિચારવા હું પણ મજબૂર થઈ ગયો હતો અને અંતે આ બધી બાબતોથી કંટાળી જઈને હું આપઘાત કરી રહ્યો છું. પ્રતાપભાઈ નો અંતિમ વીડિયો જોઈને તેમના પરિવારજનો તો સમસમી ઉઠ્યા હતા. દરેક લોકો શોકની ઘડીમાં ડૂબી ગયા હતા. ઘરના એકના એક કમાણી કરનાર વ્યક્તિ પ્રતાપભાઈનું મૃત્યુ થતાં અત્યારે તેની પત્ની તેમજ તેના ચારે બાળકો નિરાધાર થયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]