અમુક માણસોનું મગજ એટલું બધું બેકાબૂ અને અસ્થિર બની જતું હોય છે કે, તેઓ ગુસ્સામાં આવી જઈને શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. અત્યારે એક માથા ભરેલા યુવકે આવી જઈને એવું પગલું ભરી લીધું હતું કે, જેનો પછતાવો તેને માત્ર 10 મિનિટની અંદર જ થઈ જવા પામ્યો હતો..
પરંતુ એક વખત ઘટના ઘટી ગયા બાદ પસ્તાવો કર્યા પર પણ કોઈ ફાયદો રહેતો હોતો નથી, આ ચોકાવનારી ઘટના રાજા પાર્કમાંથી સામે આવી છે, અહીં ભરતકુમાર નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. ભરતકુમાર સ્વભાવના ખૂબ જ તીખા હતા, તેઓ હંમેશાં નાની નાની બાબતોને લઈને કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતા હતા..
અને તેઓને જો ગમતી વાત સાંભળવામાં ન આવે તો તેમને ખૂબ જ વધારે ગુસ્સો પણ આવી જતો હતો, એક દિવસ સવારના સમયે તેઓએ તેમની પત્નીને સાંજે ચણાનું શાક તૈયાર રાખવા માટે જણાવ્યું હતું, તેઓએ જણાવ્યું કે જ્યારે તે સાંજે નોકરી હતી ઘરે પરત આવે ત્યારે તેને શાક ખાવાની ઈચ્છા થઈ છે..
એટલા માટે તે ચણાનું શાક ખાવા ઈચ્છે છે અને આ શાકને તૈયાર રાખવામાં આવે, ભરતકુમારની પત્ની રમીલા તેના પતિની નાની નાની બાબતોનો ખૂબ જ દેખરેખ રાખતી હતી. રમીલા ને ખબર હતી કે તેના પતિનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હોવાને કારણે તે ક્યારેય પણ તેના પતિની કહેલી વાતને ટાળતી હતી નહીં..
પરંતુ એ દિવસે રમીલાની ઉપર કાળ ત્રાટકી ગયો હોય એવી રીતે પરિસ્થિતિ સર્જાઈ ગઈ અને તેને ચણાનું શાક બનાવવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું, બપોરના સમયે તે તેના પડોશમાં રહેતા અંજલીબેનની સાથે ખરીદી કરવા માટે ગયા હતા અને સાંજના સમયે તેમને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું હતું..
તેઓએ ઘણી બધી ઉતાવળ રાખી છતાં પણ તેમને ઘરે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ ગયું ત્યાં સુધીમાં તો તેમના પતિ ઘરે આવી પહોંચ્યા હતા અને જોર જોરથી બુમા બુમ મચાવા લાગ્યા હતા કારણ કે, તેમને ઘરે આવતાની સાથે જ રસોઈ તૈયાર હોય તેવું વધારે પસંદ હતું પરંતુ એ દિવસે રસોઈની તમામ તૈયારીઓ બાકી હતી..
અને ચણાનું શાક હજુ પણ બન્યું હતું નહીં એટલા માટે ભરતકુમાર ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા અને તેણે તેની પત્નીને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું એટલો બધો ગુસ્સામાં ભરાઈ ગયો કે, રસોડામાં તેના હાથમાં લોખંડનો દસ્તો આવી ગયો હતો અને આ દસ્તાના તેણે તેની પત્નીને માથાના ભાગે મારીને તેને ખાંડી નાખી હતી..
એક વખત ભરતકુમારને ગુસ્સો આવ્યા બાદ તેને કોઈપણ વાતનો ખ્યાલ રહેતો હોતો નથી, તે વારંવાર તેની પત્નીને દસ્તાના ઘા મારતો રહ્યો અને તેમના માથામાંથી ધીમે ધીમે લોહીની ધાર નીકળવા લાગી હતી, જોતજોતામાં જ સમગ્ર રસોડાની અંદર લોહીના ખાબોચિયા ચારે કોર ભરાઈ ગયા હતા..
રમીલાની ચીખો સાંભળીને તેના આસપાસના મકાનમાં રહેતા પણ લોકો ત્યાં દોડી આવ્યા અને જોયું તો ભરતકુમારના હાથમાં લોખંડનો દસ્તો હતો અને તે તેની પત્નીને ઢોર માર મારી રહ્યો હતો, જ્યારે બીજી બાજુ તેની પત્નીનો જીવ ઘટના સ્થળે જો ચાલ્યો ગયો હતો. છતાં પણ આ આરોપી ઊભો રહ્યો નહીં અને વારંવાર ઘા મારતો રહ્યો હતો..
આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના સાબિત થઈ હતી અને આસપાસના પડોશી હોય તો આપણે માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી હતી, પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જુદી-જુદી બાબતોની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં ભરતકુમારની ધરપકડ કરવામાં આવી છે..
જ્યારે આ વાતની જાણકારી રમીલાના માતા પિતા સુધી પહોંચી ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા, કોઈપણ વ્યક્તિએ ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવી રીતે બિચારી રમીલાને મોતને ઘાટ ઉતારી દેવામાં તેનો પતિ જવાબદાર હતો અને તેને કડકમાં કડક સજા થાય તેવી સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]