માણસ ગમે એટલો મોટો થઈ જાય તેમ જ ગમે એટલા પૈસા કમાઈ લે પરંતુ ક્યારેય પણ પોતાના માતા પિતા અને સમાજ તેમજ કુટુંબના શ્રેષ્ઠ લોકોએ આપેલા સંસ્કાર અને રીતિ રિવાજોને ભૂલવા જોઈએ નહીં, અત્યારે ન્યૂયોર્કથી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફલાઈટમાં મોટી કંપનીમાં નોકરી કરનાર એક વ્યક્તિએ એવી હરકતો કરી નાખી છે કે, તેને જીવનમાં ઘણી બધી ચીજ વસ્તુઓ ખોઈ નાખવાનો વારો આવ્યો છે..
તેમજ તેના પરિવારજનોની ઈજ્જતના તો કાંકરા થઈ ગયા છે. આ યુવકનું નામ શંકર મિશ્રા હોવાનું સામે આવ્યો છે. જે અમેરિકાની એક ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો હતો. અને તે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ભારત આવી રહ્યો હતો. ત્યારે તેણે ચાલુ વિમાનની અંદર ન કરવાના કારનામા કરી નાખ્યા છે..
જેને કારણે આજે તેની આ ઘટના સૌ કોઈ લોકો સામે જગ જાહેર થઈ ગઈ છે. આ યુવક એર ઇન્ડીયાની ફ્લાઈટની અંદર મુસાફરી કરીને ભારત આવી રહ્યો હતો. ત્યારે તેણે ચાલુ વિમાનમાં એટલો બધો દારૂ પી લીધો હતો કે, તે ભાન ભૂલી ગયો અને ત્યાર બાદ તેને એવા ભવાડા કરી નાખ્યા છે.
જેને લઇ હાલ તેને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધારે પડતો દારૂ પીઈને તે ભાન ભૂલી ગયો હતો અને ત્યારબાદ વિમાનમાં બેઠેલી એક મહિલા સામે તેણે પોતાનું પેટ ઉતારી દીધું હતું અને ત્યારબાદ તેના ઉપર પેશાબ કરવા લાગ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ વિમાનમાં રહેલા મુસાફરોએ બૂમા બુમ મચાવી દીધી હતી..
આ સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. તેમજ ફ્લાઈટના મેમ્બર સહિતના સૌ કોઈ લોકોએ આ ઘટનાને હેન્ડલ કરવાની કોશિશ કરી હતી. ક્રૂ મેમ્બરના લોકોનું કહેવું છે કે, શંકર મિશ્રા નામના મુસાફરે ખૂબ વધારે પડતો દારૂ પીઈ લીધો હતો. શંકર મિશ્રા નામના વ્યક્તિએ જે મહિલા ઉપર ચાલુ વિમાનની અંદર પેશાબ કરી નાખ્યો હતો..
એ મહિલાનું કહેવું છે કે, તેને બીજી સીટ પણ પૂરી પાડવામાં આવી હતી નહીં, જ્યાં આ યુવક પેશાબ કરવા લાગ્યો હતો. ત્યાં એ સીટ ઉપર જ ધાબળો મૂકીને તેને ફરી પાછી બેસવાનું જણાવી દેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ક્રૂ મેમ્બરના લોકોને જણાવ્યું હતું કે, તેને શા માટે શિફ્ટ કરવામાં આવી નથી..
ત્યારે તેને જણાવ્યું કે, ફ્લાઇટના કમાન્ડની મંજૂરી વગર તેને અમે કોઈ પણ જગ્યાએ સીટ આપી શકે નહીં. શંકર મિશ્રા નામના યુવકે દારૂ પીને વિમાનની અંદર આવું ઘેર વર્તણુક કરી હતી. જેને લઇ તેને તેની નોકરી પણ ગુમાવી પડી છે. તે વહેલ્સ ફાર્ગો એન્ડ કંપનીમાં નોકરી કરતો હતો. આ કંપનીના લોકોએ જણાવ્યું કે, અમે પ્રોફેશનલ બિહેવ્યરના હાયર સ્ટાન્ડર્ડ ઉપર કામ કરીએ છીએ..
અને જો અમારી જ કંપનીનો કર્મચારી આ પ્રકારની હરકતો કરે તો અમે ક્યારેય પણ ચલાવી લેશે નહીં, તેમ કહીને તેઓએ શંકર મિશ્રાને નોકરી પરથી કાઢી મૂક્યો છે. ઘટનાની જાણકારી પોલીસ સુધી એની સાથે તેની સામે કાર્યવાહી કરવા માટે પોલીસને શોધી રહી હતી. જ્યારે તેમને ઘરની શોધખોળ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી માત્ર નોકરાણી મળી આવી હતી..
અને બીજે દિવસે પોલીસે બેંગલુરુમાંથી આ યુવકની ધરપકડ કરી નાખી છે. આ યુવકના પિતાનું કહેવું છે કે, તેમનો દીકરો ખૂબ જ થાકેલો હતો. તેમજ તેમનો દીકરો સંસ્કારી છે. તે ક્યારેય પણ આ પ્રકારના કામકાજ કરી શકે નહીં. પોલીસે એરક્રાફ્ટના સ્ટાફને પણ નોટિસ પાઠવી હતી. પરંતુ એ નોટિસ મુજબ સ્ટાફના એક પણ સભ્ય હાજર થયા નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]