વરસાદના બે પાંચ છાંટા પડતાની સાથે જ ભજીયા ખાવાની ઈચ્છા ખીલી ઉઠતી હોય છે, એક કહેવત મુજબ કહેવાય છે કે, ચોમાસાની સિઝનમાં સોના કરતા પણ મોંઘું શું તો કે, સોના કરતા પણ મોંઘા ભજીયા હોય છે. લોકોને ભજીયા આટલા બધા વધારે ભાવે છે કે, ચોમાસાની સિઝન દરમિયાન ભજીયાના ભાવ આસમાનની ઊંચાઈ પણ અડકી જતા હોય છે..
છતાં પણ લોકો ખૂબ જ મોંઘા ભાવ ચૂકવીને પણ ભજીયા ખાવાની ઈચ્છા ધરાવે છે, અત્યારે ચાલુ વરસાદની અંદર તીખા તમતમતા ભજીયા ખાવાના પ્રેમી લોકો માટે ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને જાણ્યા બાદ તમારા મોઢેથી પણ કોળીઓ નીચે ઉતરવાનું બંધ થઈ જશે..
આ બનાવને લઈને ચારે કોર ચર્ચાવિચારણા પણ શરૂ થઈ ગઈ છે, હકીકતમાં કુંદન ચાર રસ્તા પાસે રહેતા વિમલ અને અશ્વિન નામના બે યુવકો ચાલુ વરસાદની અંદર નહાવા માટે બાઈક લઈને નીકળી ગયા હતા. ચાલુ વરસાદની મોજ મજા માણતા માણતા તેઓ હાઇવે પાસે પહોંચી અને ત્યાં રહેલા એક ઢાબા ઉપર તેઓએ ભજીયાનો ઓર્ડર આપ્યો હતો..
ચારેકોર ગંદકી દેખાય આવી હતી, છતાં પણ તેઓને ભજીયા ખૂબ જ વધારે ભાવતા હોવાને કારણે તેઓ આ ધાબા ઉપર રોકાયા અને ત્યાં ભજીયાનો ઓર્ડર આપ્યો હતો. તેઓ આ પહેલા ક્યારે પણ પાલમનાથ હાઇવે ઉપર અહીં રોકાયા હતા નહીં, અને પહેલી વખત જ રોકાવા પર પણ તેમને ખૂબ જ માઠો અનુભવ થઈ ગયો હતો..
તેઓએ આ ઢાબા ઉપરથી તીખા તમતમતા ભજીયા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે તેમની ભજીયાની ડિશ તેમની પાસે ચટણી સાથે પહોંચી અને એક પછી એક ભજીયુ ખાવાનું શરૂ કર્યું હતું, ત્યારે આ ભજીયામાંથી તેમને એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે, જે જોઈને વિમલને તો ઢાબાની અંદર જ ઉલટીઓ થવા લાગી હતી..
તો બીજી બાજુ અશ્વિન પણ ઉબકા કરવા લાગ્યો હતો, આ ભજીયાની અંદર મેથી ગોટાના, ભજીયા બટાકાની પૂરી સહિતના ભજીયાનો સમાવેશ થતો હતો. મેથી ગોટાના ભજીયા ની અંદરથી મરેલી ગરોળી મળી આવી હતી. આ દ્રશ્ય જોઈને વિમલને ઉલટીઓ શરૂ થવા લાગી અને તેણે પોતાના મોઢામાં રહેલો કોળીઓ પણ થુંકી નાખ્યો હતો..
આ ભજીયાની અંદર આવી મરેલી જીવજંતુઓ જોઈને વિમલ નો પિત્તો ફાટી ગયો અને તેણે ધાબાના માલિકને બરાબર નો ખખડાવી નાખ્યું હતું, જ્યારે ઢાબાના રસોડા ઉપર જોવામાં આવ્યું ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે જે જોઈને ત્યાં બેઠેલા અન્ય લોકોએ પણ પોતાનું ખોરાક પડતો મૂકી દીધો હતો..
રસોડાની અંદર વરસાદી પાણી પણ ઘૂસી ગયું હતું, આ સાથે સાથે બગડી ગયેલી જીવંત વાણી શાકભાજી પણ મળી આવી હતી. ઉપરના છત ઉપરથી પાણી ટપકતું હતું, જ્યારે સમગ્ર રસોડાની અંદર ચારેકોર માખીઓનો પણ ઘણો બધો ઉપદ્રવ દેખાયો હતો. ઢાબાના રસોડાની અંદર કામકાજ કરનારા કારીગરો પણ હાથમાં કોઈપણ મોજા પહેર્યા ન હતા..
તેમજ ગમે તેવા બગડેલ હાથે તેવો રસોઈ બનાવી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈને વિમલ અને અશ્વિન ખુબ જ હચમચી ઉઠ્યા હતા, તેણે હાઇવે ઉપર આવેલા નારાયણદાસ ભજીયા હાઉસની ફરિયાદ સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી હતી કે, અહીંયા ખૂબ જ હલકી ગુણવત્તા વાળો ખોરાકમાં આવે છે..
જેની અંદર એક વખત તો તેમને ભજીયાની અંદરથી મળેલી ગરોળી દેખાઈ આવી હતી, પછી આ ભજીયા બનાવવા માટે વાપરવામાં આવતા શાકભાજી સહિતની તમામ ચહેજ વસ્તુઓ બગડેલી દેખાઈ આવી હતી, આ દ્રશ્ય જોઈને તેઓ ગુસ્સે ભરાયા હતા અને ઢાબાના માલિક સામે તેઓએ ફરિયાદ નોંધાવી દીધી હતી..
અહીં ચેકિંગ કરવામાં આવ્યું અને વખતે ચીજ વસ્તુઓનો નાશ કરીને આ ઢાબાને દંડ પણ કરવામાં આવ્યો હતો, ઢાંબાના માલિક રણછોડદાસભાઈએ ફરી ક્યારે આવી બેદરકારીઓ નહીં સર્જાય તેવી ખાતરી આપી હતી. ચોમાસાની અંદર લોકોને સ્વાદિષ્ટ અને જીવને તમતમતું લાગે તેવો ખોરાક ખાવાનું વધારે પસંદ પડે છે..
પરંતુ આ ખોરાક કેવી જગ્યા ઉપર બને છે, અને ખોરાક બનાવવા માટે શાકભાજી સહિતની ચીજ વસ્તુ કેવી ગુણવત્તાવાળી વાપરવામાં આવે છે. તેનો પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, શહેરમાં રહેલા રેસ્ટોરન્ટ લારી અને અન્ય ઘણી બધી જગ્યાઓ ઉપર આવી બેદરકારી જોવા મળતી નથી..
પરંતુ હાઈવે ઉપર કોઈપણ પ્રકારનું ચેકિંગ ન થતું હોવાને કારણે આ ઢાબાની બેદરકારી સામે આવી હતી, આ સમાચાર જ્યારે સામે આવે ત્યારે ભજીયા ખાનારા લોકો ચોકી ઉઠ્યા હતા. શહેરની અંદર રહેલા ભજીયા હાઉસ ની અંદર ગુણવત્તાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે, આ ઉપરાંત સરકારી અધિકારીઓની પણ વારંવાર તપાસ રહેતી હોવાને કારણે નાગરિકો ના સ્વાસ્થ્યની તબિયત અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]