જ્યારે લગ્નની શુભઘડી આંગણે આવી પહોંચી હોય ત્યારે જ ખૂબ જ માઠા બનાવો બનવાના યોગ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં બનતા હોય છે. લગ્ન પ્રસંગ વખતે ઘરના વડીલો ભગવાનને પ્રાર્થના કરે છે કે, તેમના ઘરે આવેલો પ્રસંગ સુખ અને શાંતિથી સંપૂર્ણ થઈ જાય તો વધુ સારું પરંતુ અત્યારે એક લગ્ન પ્રસંગની અંદર એવી ઘટના બની જવા પામી છે કે, આ પ્રસંગ બંધ રાખવો પડ્યો હતો..
અને સૌ લોકોને હોસ્પિટલને દોડતું થવું પડ્યું છે. આ ઘટના લખતરગંજ વિસ્તારની છે. અહીં મંદાકિની સોસાયટીની અંદર રહેતા દીપરાજભાઈ નામના યુવકના લગ્ન લેવાયા હતા. તેમના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, પરંતુ આ વરઘોડો લગ્ન સ્થળે પહોંચે એ પહેલા જ ચાલુ વરઘોડામાં વરરાજાના સગા ફુવા મનોજકુમારને એટેક આવી જતા તે ઢળી પડ્યા હતા..
તેમના કપાળ અને શરીરમાંથી પરસેવો નીકળવા લાગ્યો અને તેમને ઢળેલી હાલતમાં જોઈને વરારાજાના હોશ ઉડી ગયા હતા. તરત જ તેઓએ બેન્ડવાજાના ઢોલ નગારા તેમજ શરણાઈઓના સુર બંધ કરાવી દીધા હતા અને તાત્કાલિક ધોરણે મનોજકુમારને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..
પરંતુ ત્યાં હાજર રહેલા ડોક્ટરે જણાવ્યું કે, તેમનું હૃદય રોગના હમલાથી મૃત્યુ થઈ ગયું છે. આ માતમ ભર્યા સમાચાર સાંભળતાની સાથે જ સંબંધીઓએ પોક મૂકીને રડવાનું શરૂ કરી દીધું હતું કારણ કે, એક બાજુ આ લગ્ન પ્રસંગોની ખુશીઓ હતી. તો બીજી બાજુ લગ્નની ખુશીઓ હવે મોતના માતમમાં ફેરવાઈ ચૂકી હતી..
મનોજકુમારના પરિવર્તનો માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, તેમની પત્ની પણ ત્યાં ઢળી પડી હતી. તેમને એટલો બધો તધ્રાસકો લાગ્યો કે, જે તેમનાથી સહન થઈ શક્યો નહીં. અગાઉ પણ એમાં ઘણા બધા બનાવ બની ચૂક્યા છે કે, જેમાં લગ્ન પ્રસંગની અંદર કોઈને કોઈ કારણસર કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે..
અને આ લગ્ન પ્રસંગ અટકાવી દેવા પડે છે. જ્યારે બીજી બાજુ દુલ્હનના પરિવારજનોને જાણકારી મળી ગઈ વરરાજાના સગા ફૂવાનું વરઘોડમાં મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ ખૂબ જ દુઃખી થયા હતા. મહેમાનો પણ આવી ચૂક્યા હતા અને લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. પરંતુ આ તમામ તૈયારીઓ બંધ રાખવી પડી છે..
કારણ કે, આ સમયે લગ્નગીતો ગાવાને બદલે મોતને મરશિયા ગાવાનો વારો આવી ગયો છે. હાલ આ સમગ્ર પરિવારજનો તેમજ સંબંધીઓ ખૂબ જ ઊંડા શોકની અંદર ગરકાવ થઈ ગયા છે. આ બનાવ બન્યા બાદ મહેમાનોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જયારે અંતિમ ક્રિયા પૂર્ણ થશે ત્યાર બાદ આ લગ્ન પ્રસંગ વિષે વિચાર કરવામાં આવશે તેવું વરરાજાએ જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]