રોજ રોજ હજારોની સંખ્યામાં અકસ્માતને બનાવો સામે આવે છે, જેમાંથી કેટલાક અકસ્માત ખૂબ જ દર્દનાક સાબિત થાય છે. કારણ કે તેમાં નિર્દોષ વ્યક્તિઓના પણ મોતના બનાવો ઘટી જતા હોય છે. જ્યારે પરિવારના કોઈ સભ્યનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તેવા બનાવોને સહન કરવા કોઈ પણ વ્યક્તિ માટે સહેલા હોતા નથી..
અત્યારે એકવાર ખૂબ જ મોટા અને કાળમુખા અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત જમ્યાપાડા ગામનો છે. આ ગામમાંથી એક કેનાલ પસાર થઈ છે, આ કેનાલના કાંઠે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ કેનાલની પાસેના રોડ ઉપરથી એક બાઈક પસાર થઈ રહી હતી. જેના ઉપર કુલ ત્રણ વ્યક્તિ સવાર હતા..
જેમાં પતિ-પત્ની અને બે વર્ષના દીકરાનો સમાવેશ થતો હતો. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વિનય નામનો યુવક બાઈક ચલાવી રહ્યો હતો. જ્યારે આગળના ભાગે તેનો બે વર્ષનો દીકરો મુકુંદ અને પાછળના ભાગે તેની પત્ની સરિતા બેઠી હતી. જ્યારે તેઓ આ કેનાલ પાસેથી પસાર થતા હતા..
ત્યારે અચાનક જ ચાલુ ગાડીએ વિનયને છીંક આવવા લાગી હતી અને આ છીક આવતાની સાથે જ તેના હાથમાંથી હેન્ડલ છૂટી ગયું અને બાઈક ઉપરનું કાબુ તેણે ગુમાવી દીધું હતું, બાઈક ખૂબ જ વધારે સ્પીડમાં હોવાને કારણે સંતુલન ગુમાવી દીધું અને નજીકની કેનાલમાં ખાપકી ગઈ હતી..
પરિણામે આ ત્રણેય વ્યક્તિઓ કેનાલના પાણીમાં ખાબકી જવાને કારણે ચીસા ચીસ મચી ગઈ હતી. આ પરિવારની અંતિમ ચિખો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકોના પણ રુવાટા બેઠા થઈ ગયા હતા, તેઓ તરત જ આ ત્રણેય વ્યક્તિઓને બચાવવા માટે કેનાલમાં કૂદી ગયા હતા. પરંતુ કેનાલમાં પાણીનું વહેણ ખૂબ જ વધારે હોવાને કારણે આ ત્રણમાંથી કોઈ પણ વ્યક્તિને બચાવી શકાય નથી..
અને ત્રણે ત્રણ વ્યક્તિ પાણીની અંદર ડૂબી જવાને કારણે મૃત્યુ પામ્યા છે, ચાલુ ગાડીએ એક આવી અને બાઈકનું સંતુલન ગુમાવી દેવાને કારણે એક સાથે કુલ ત્રણ વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો. સમગ્ર પરિવાર ખલાસ થઇ જતાં આજે ચારેકોર અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. બીજા દિવસે તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં હાજર થઈ અને આ ત્રણેય મૃત વ્યક્તિઓને લાશને બહાર કાઢીને..
તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે, પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો. વિનય જમ્યાપાડા ગામ થી સાત કિલોમીટર દૂર આવેલા ગામમાં રહેતો હતો. તેના માતા અને પિતા માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકતી નથી, તેમનું એકનું એક દીકરો વિનય તેની પત્ની અને તેમનો બે વર્ષનો દીકરો પણ મૃત્યુ પામ્યો છે, આ ઘટનાને લઇ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]