માતાજીની મહિમાનો કોઈ પાર નથી. ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે પગપાળા ચાલીને જાય છે. એક સાથે સંઘ કાઢીને પગપાળા ચાલવાથી કેવી રીતે અંતર કપાઈ જાય તેનું પણ ખબર રહેતી નથી અને ખૂબ જ જલ્દી દર્શન માટે પહોંચી જતા હોય છે. અત્યારે કુલ 40 જેટલા પદયાત્રીઓ માતાજીના દર્શન માટે જતા હતા..
ત્યારે અચાનક જ તેમના માથે ખૂબ જ મોટી આફત આવી પડી હતી. તેઓ જ્યારે હાઇવે પરથી પસાર થતા હતા. ત્યારે અચાનક જ હાઇવે ઉપરનો એક ટ્રક બેકાબૂ બનીને ચાલીસ પદયાત્રીઓના આ સંઘની વચ્ચેથી પસાર થયો હતો અને સૌ કોઈ લોકોને ફંગોળી માર્યા હતા. જેમાં કુલ બે વ્યક્તિના શરીરના છૂંદા બોલાવી નાખ્યા અને બે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે..
જ્યારે બાકીના ઘણા બધા લોકો આ અકસ્માતની અંદર ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. બીજા પદયાત્રીઓને એવી તો શી ખબર કે, તેઓ માતાજીનું નામ લઈને ચાલીને તેમના દર્શન માટે જતા હતા. અને એ વખતે જ પાછળથી તેમને મોત આંબી જશે, બે વ્યક્તિઓના મૃત્યુ થતાં એકાએક હડકંપ મચી ગયો છે…
આ બંને વ્યક્તિના પરિવારજનો સુધી પણ હજુ ખબર પહોંચાડવામાં આવી નથી. જ્યારે તેમના પરિવારજનોને ખબર પડશે કે, આ બંને વ્યક્તિ આ માર્ગ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. ત્યારે તેઓ આ દુઃખ ભર્યા સમાચારને સહન કરી શકશે નહીં તેવું લાગી રહ્યું છે. કારણ કે અકસ્માતની અંદર થતા મૃત્યુના બનાવો ખૂબ જ દર્દનાક હોય છે.
જે જન્મો જનમ સુધી આપણને યાદ રહે છે, તેને ભુલાવવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન છે. અત્યારે હાઇવે ઉપર વાહન ચાલકોની સહેજ અમથી પણ ચૂક ખૂબ જ મોટો અને જીવલેણ અકસ્માત તરફ દોરી જાય છે. આ અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલકે ટ્રકને ઘટના સ્થળ ઉપર મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
ઘણા બધા લોકોએ તેને પકડવાની પણ કોશિશ કરી પરંતુ તે કોઈ વ્યક્તિના હાથે ચડ્યો નથી. ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને લોકોને હોસ્પિટલે પહોંચાડવામાં પણ મદદરૂપ બન્યો હતો. આ ટ્રક ચાલક કોણ હતો અને ક્યાંથી ટ્રક ચલાવીને આવી રહ્યો હતો વગેરે જેવી માહિતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ટ્રક ચાલકને પકડવા માટે જુદી-જુદી ટીમો પણ બનાવી નાખી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]