Breaking News

ચાલીને દ્વારકા જતા સંઘયાત્રીઓને કારે અડફેટે લઈને કચડી નાખ્યા, મોટી દુર્ઘટના સર્જાતા લોકમાં મચી ગયો ફફળાટ..!

લોકો અવારનવાર દ્વારકાધીશ ના ચરણે દર્શન માટે જતા હોય છે. વાર તહેવાર નજીક આવતાની સાથે જ સૌ કોઈ ભક્તો પગપાળા સંઘ કાઢીને દ્વારકાધીશના દર્શન કરવા માટેનું આયોજન ગોઠવતા હોય છે. જે લોકો સંઘ કાઢીને દ્વારકા ખાતે જતા હોય છે. એ લોકો માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ રસ્તા પર ખાવાનું, આરામ કરવાનું અને પાણીની વ્યવસ્થાઓ પણ કરતા હોય છે.

પગપાળા જતા લોકોનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય છે. છતાં પણ તેઓ સાથે દુર્ઘટનાઓ સર્જાઈ જતા સૌ કોઈ લોકોમાં માહોલ ગમગીન બની ગયો છે. હાલ દ્વારકાધીશના દર્શન માટે પગપાળા સંઘ કાઢીને જતા લોકો ઉપર એક યુવાને મોટર કાર ચડાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે..

અગાઉ પણ માં અંબેના દર્શન માટે લોકો સંઘ કાઢીને જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન પૂર ઝડપે આવતી એક કારે સંઘના ઘણા લોકોનો ભોગ લીધો હતો. અને હવે આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. હકીકતમાં સાયલાથી દ્વારકા સુધી લોકો સંઘ કાઢી ને દર્શન માટે જતા હતા.

તેઓ કલ્યાણપુર થી ગુરગઢ સુધી પહોંચ્યા હતા. એ સમય દરમ્યાન પાછળથી એક મોટર કાર પૂરઝડપે આવી ને સંઘમાં ચાલી રહેલા ઘણા બધા વ્યક્તિઓમાંથી માત્ર બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. કાર ચાલકને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે..

બે લોકોને અડફેટે લેતા ની સાથે જ કાર રસ્તાની બાજુમાં આવેલા ખાળિયામાં નીચે ઉતરી ગઈ હતી. આ સાથે સાથે રસ્તા પર ના સૌ કોઈ લોકો આપણા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવમાં સંઘમાં ચાલી રહેલો ૧૮ વર્ષનો એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. એટલા માટે તેને દ્વારકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે..

૧૮ વર્ષનો જયદીપ હરજીભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. જેમાં મોટાભાગની જાઓ માતા ના ભાગ પર થવાથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોચી છે. હાલ બનેની હાલત ખુબ જ ખરાબ છે. સંઘકાઢી ને દર્શને જનાર આ લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ કે તેઓની સાથે આ પ્રકારનો બનાવ બનશે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *